મોરબી પંથકમાં માનસિક અસ્વસ્થ સગીરાનું અપહરણ કરીને દુષ્કર્મ આચર્યું, ગુનો નોંધાયો મોરબીના દેવળીયા ખાતેથી પગના દુખાવાની સારવાર માટે આવેલ વૃદ્ધનું શ્વાસ ઉપડતા મોત મોરબી જિલ્લા પંચાયતની 2 બેઠક ઉપર ભાજપ-કોંગ્રેસ આમને સામને: 15 બેઠક ઉપર ત્રિપાંખીયો જંગ, 7 બેઠક ઉપર 3 થી વધુ ઉમેદવાર મોરબીના જેતપર રોડેથી સગીરાનું અપહરણ કરીને દુષ્કર્મ આચરનાર આરોપીની ધરપકડ મોરબીમાં ગંગા સ્વરૂપ સહાય સમિતિ દ્વારા પાંચમુ બ્યુટી પાર્લર સામાન્ય પરિસ્થિતિ અને વંચિત પરિવારની બહેનો માટે ખુલ્લુ મુકવામાં આવ્યું મોરબીના જેતપર રોડ ઉપરથી ચોરાઉ બાઇક સાથે એક શખ્સ પકડાયો વાંકાનેરના રાતવીરડા રોડ ઉપર કારખાના નજીક દર્દીઓની સારવાર કરતો ડિગ્રી વગરનો ડોક્ટર ઝડપાયો મોરબીમાં ટીંબડીના પાટીયે રિક્ષામાંથી પડી ગયેલા મહિલાનું સારવારમાં રાજકોટ ખાતે મોત
Breaking news
Morbi Today

મોરબીમાં યુવતી સાથે દુષ્કર્મ આચારનાર આરોપીને જેલ હવાલે કરાયો


SHARE













મોરબીમાં યુવતી સાથે દુષ્કર્મ આચારનાર આરોપીને જેલ હવાલે કરાયો

મોરબીમાં યુવતી સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું અને આરોપીને સમજાવવા માટે ગયેલ ભોગ બનેલ યુવતીની બહેન અને માતાને માર મરવામાં આવ્યો હતો જેથી કરીને મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશને જુદીજુદી બે ફરિયાદ નોંધાઈ હતી જે બંને ગુનામાં આરોપીની પોલીસે ધરપકડ કરી હતી અને આ આરોપીને કોર્ટમાં રજૂ કરીને હાલમાં જેલ હવાલે કરવામાં આવેલ છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબી શહેરમાં રહેતા પરિવારની યુવતી તેઓના ઘર પાસે આવેલ દુકાને વિમલ લેવા માટે થઈને ગઈ હતી ત્યારે તેની સાથે અવાવરુ ઓરડીમાં ગોપાલ ભરવાડ નામના શખ્સે દુષ્કર્મ આચર્યુ હતું જેથી ભોગ બનેલ યુવતીની માતા, બહેન સહિતના તે શખ્સની દુકાને તેને ઠપકો આપવા માટે ગયા હતા ત્યારે આરોપી ગોપાલ ભરવાડે “થાય તે કરી લેજો” એવું કહીને ભોગ બનેલ યુવતીની બહેન તથા તેની સાથે ગયેલા લોકોને ગાળો આપી હતી અને હાથમાં રહેલ ધોકા વડે માર માર્યો હતો જેથી કરીને સારવાર લીધા બાદ દુષ્કર્મનો ભોગ બનેલ યુવતીની બહેને મારામારીની ફરિયાદ નોંધાવી હતી જ્યારે દુષ્કર્મનો ભોગ બનેલી યુવતીના ભાઈએ ગોપાલ ભોજાભાઇ મકવાણા નામના શખ્સની સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે આરોપી ગોપાલભાઇ ભોજાભાઇ મકવાણા જાતે ભરવાડ (૩૫) રહે. વાવડી રોડ ભગવતી પરા મોરબી વાળાની ધરપકડ કરેલ હતી અને આ આરોપીને કોર્ટમાં રજૂ કરીને હાલમાં આરોપીને મોરબીની જેલ હવાલે કરેલ છે

માર માર્યો
મોરબી તાલુકાના મકનસર ગામે રહેતા ભરતભાઈ વિક્રમભાઈ વાઘેલા (૪૩) અને ગીતાબેન ભરતભાઈ વાઘેલા (૨૫)ને મારામારીના બનાવમાં ઈજા થઈ હતી જેથી કરીને ઇજાગ્રસ્તને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યા તેને સારવાર આપીને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરી હતી આ બનાવની વધુ તપાસ મહેશભાઈ કહાંગરા ચલાવી રહ્યા છે

અકસ્માતમાં ઇજા
મોરબી તાલુકાના આમરણ ગામે રહેતા સામુબેન જગદીશભાઈ (૪૦) નામના મહિલા સાઇકલમાં બેસીને જઈ રહ્યા હતા ત્યારે કોઈ કારણોસર તે સાયકલ ઉપરથી પડી જતા તેને ઇજાઓ થઈ હતી જેથી કરીને સારવાર માટે મોરબીની આયુષ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપીને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે અને વધુ તપાસ ફિરોજભાઈ સુમરા ચલાવી રહ્યા છે






Latest News