મોરબી મનપામાં મિલ્કત વેરો ન ભરનારા 37 આસામીઓની મિલ્કત સીલ મોરબીના કલ્સટર-4 માં સફાઈ સહિતના કામની વિઝિટ કરતાં નાયબ કમિશનર મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ અચાનક આગ લાગતા કાર બળીને ખાખ મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા બાળ સુરક્ષા સમિતિ તથા બાળ કલ્યાણ સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ મોરબીમાં આવેલ ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે ગુરુવારે બૌદ્ધિક સત્રનું આયોજન મોરબીના પાનેલી ગામે આવેલ આયુષ્યમાન આરોગ્ય મંદિર દ્વારા રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરાઇ વાંકાનેર–મીતાણા રોડ પર આસોઈ નદી પર મેજર બ્રિજનું નિર્માણ કાર્ય શરૂ: કેશરીદેવસિંહજી ઝાલાની સફળ રજૂઆત મોરબીના રિપેરિંગ કામ માટે 45 દિવસ સુધી બંધ રહેશે પાડાપુલ, 1.5 કરોડના ખર્ચે થશે સમારકામ: પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જેતાવત
Breaking news
Morbi Today

મોરબીમાં યુવતી સાથે દુષ્કર્મ આચારનાર આરોપીને જેલ હવાલે કરાયો


SHARE















મોરબીમાં યુવતી સાથે દુષ્કર્મ આચારનાર આરોપીને જેલ હવાલે કરાયો

મોરબીમાં યુવતી સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું અને આરોપીને સમજાવવા માટે ગયેલ ભોગ બનેલ યુવતીની બહેન અને માતાને માર મરવામાં આવ્યો હતો જેથી કરીને મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશને જુદીજુદી બે ફરિયાદ નોંધાઈ હતી જે બંને ગુનામાં આરોપીની પોલીસે ધરપકડ કરી હતી અને આ આરોપીને કોર્ટમાં રજૂ કરીને હાલમાં જેલ હવાલે કરવામાં આવેલ છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબી શહેરમાં રહેતા પરિવારની યુવતી તેઓના ઘર પાસે આવેલ દુકાને વિમલ લેવા માટે થઈને ગઈ હતી ત્યારે તેની સાથે અવાવરુ ઓરડીમાં ગોપાલ ભરવાડ નામના શખ્સે દુષ્કર્મ આચર્યુ હતું જેથી ભોગ બનેલ યુવતીની માતા, બહેન સહિતના તે શખ્સની દુકાને તેને ઠપકો આપવા માટે ગયા હતા ત્યારે આરોપી ગોપાલ ભરવાડે “થાય તે કરી લેજો” એવું કહીને ભોગ બનેલ યુવતીની બહેન તથા તેની સાથે ગયેલા લોકોને ગાળો આપી હતી અને હાથમાં રહેલ ધોકા વડે માર માર્યો હતો જેથી કરીને સારવાર લીધા બાદ દુષ્કર્મનો ભોગ બનેલ યુવતીની બહેને મારામારીની ફરિયાદ નોંધાવી હતી જ્યારે દુષ્કર્મનો ભોગ બનેલી યુવતીના ભાઈએ ગોપાલ ભોજાભાઇ મકવાણા નામના શખ્સની સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે આરોપી ગોપાલભાઇ ભોજાભાઇ મકવાણા જાતે ભરવાડ (૩૫) રહે. વાવડી રોડ ભગવતી પરા મોરબી વાળાની ધરપકડ કરેલ હતી અને આ આરોપીને કોર્ટમાં રજૂ કરીને હાલમાં આરોપીને મોરબીની જેલ હવાલે કરેલ છે

માર માર્યો
મોરબી તાલુકાના મકનસર ગામે રહેતા ભરતભાઈ વિક્રમભાઈ વાઘેલા (૪૩) અને ગીતાબેન ભરતભાઈ વાઘેલા (૨૫)ને મારામારીના બનાવમાં ઈજા થઈ હતી જેથી કરીને ઇજાગ્રસ્તને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યા તેને સારવાર આપીને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરી હતી આ બનાવની વધુ તપાસ મહેશભાઈ કહાંગરા ચલાવી રહ્યા છે

અકસ્માતમાં ઇજા
મોરબી તાલુકાના આમરણ ગામે રહેતા સામુબેન જગદીશભાઈ (૪૦) નામના મહિલા સાઇકલમાં બેસીને જઈ રહ્યા હતા ત્યારે કોઈ કારણોસર તે સાયકલ ઉપરથી પડી જતા તેને ઇજાઓ થઈ હતી જેથી કરીને સારવાર માટે મોરબીની આયુષ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપીને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે અને વધુ તપાસ ફિરોજભાઈ સુમરા ચલાવી રહ્યા છે






Latest News