હળવદમાં આજે વિહિપ અને બજરંગદળ દ્વારા આતંકવાદના પૂતળાનું કરાયું દહન
મોરબી જ્ઞાનપથ વિદ્યા સંકુલમાં માનસિક રોગ અંગેની સમજ માટે સ્પર્ધા યોજાયો
SHARE
મોરબી જ્ઞાનપથ વિદ્યા સંકુલમાં માનસિક રોગ અંગેની સમજ માટે સ્પર્ધા યોજાયો
વિશ્વ માનસિક રોગ દિવસની ઉજવણી કરવા તેમજ આમજનતાને માનસિક રોગની સમજ માટે એક પખવાડિયા સુધી માનસિક રોગ અંગે જાગૃતિ આવે તે માટે જુદા જુદા કાર્યક્રમો યોજવામાં આવે છે. જે અંતર્ગત જ્ઞાનપથ વિદ્યા સંકુલમાં વિદ્યાર્થીઓ માટે સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યુ હતું અને વિદ્યાર્થીઓએ વક્તૃત્વ સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા, નિબંધ સ્પર્ધામાં ભાગ લીધો હતો અને વિદ્યાર્થીઓએ પોતાની સ્વરૂચી અને પોતાનામાં રહેલી આવડત દ્રારા સ્પર્ધામાં ભાગ લઈને ખૂબ સરસ દેખવ્યો હતો આ સ્પર્ધામાં જનરલ હોસ્પિટલ મોરબી ખાતે માનસિક રોગ વિભાગમાં ફરજ બજાવતા દિવ્યા આર. ગોહેલ (કલીનિકલ સાયકોલોજિસ્ટ) અને અને હિતેષ પી. પોપટાણી (સાયકાટ્રીક સોશ્યલ વર્કર) ઉપસ્થિત રહ્યા હતા અને આ કાર્યક્રમને સફળ બનાવવા દિવ્ય જ્યોતિ ગ્રામ વિકાસ કેળવણી મંડળ મોરબીના પ્રમુખ બાબુભાઈ ગામી તથા સહ કાર્યકર્તા ધનજીભાઈ અને જ્ઞાનપથ વિદ્યા સંકુલ શાળાના આચાર્ય અરવિંદભાઇ સદાતિયા તેમજ સ્કુલ સ્ટાફે ભારે જહેમત ઉઠાવી હતી.