માળીયા (મી)ના મોટાભેલા ગામે વાડામાં કામ કરતાં યુવાનને સથાળમાં નોળિયો કરડી ગયો મોરબીના જૂના વનાળીયા ગામે પાળેશ્વર મહાદેવ મંદિરના જીર્ણોધાર મહોત્સવમાં રાજકીય-સામાજિક આગેવાનો સહિત હાજરો લોકો જોડાયા ટંકારામાં આર્યસમાજ દ્વારા ગુરૂવારથી શતાબ્દી મહોત્સવનો પ્રારંભ: યજ્ઞ, શોભાયાત્રા, વ્યાખ્યાન સહિતના કાર્યક્રમોનું આયોજન મોરબીના પરમ જોલાપરાને ઇન્ટરનેશનલ આઇકોન એવોર્ડ-૨૦૨૬ એનાયત મોરબી મનપામાં ઓનલાઇન વેબસાઈટથી નગરજનોએ ભર્યા 3 કરોડ: ૪ મહિનામાં ૪૦૦૦ થી વધુ ફરિયાદ મોબાઈલ એપ્લિકેશનથી મળી મોરબીમાં નગર દરવાજા ચોકમાં જૂના બસ સ્ટેશન સુધીના વિસ્તારમાં લારી, ગલ્લા અને પાથરણાના દબાણોને હટાવતી મહાપાલિકા મોરબીમાં દીકરીના પ્રથમ જન્મ દિવસે યુવાન દ્વારા 11,111 બાજરાના રોટલા ગાય માતાને ખવડાવવાનો સંકલ્પ મોરબી જિલ્લા પંચાયતમાં 24 મી ફેબ્રુઆરીએ બજેટ બોર્ડ બેઠક
Breaking news
Morbi Today

વાંકાનેરના પ્રતાપગઢ ગામે ઢોર ચરાવવા બાબતે સમજાવવા ગયેલા આધેડ સહિત બે વ્યક્તિને ત્રણ શખ્સોએ માર માર્યો


SHARE













વાંકાનેરના પ્રતાપગઢ ગામે ઢોર ચરાવવા બાબતે સમજાવવા ગયેલા આધેડ સહિત બે વ્યક્તિને ત્રણ શખ્સોએ માર માર્યો

વાંકાનેર તાલુકાના પ્રતાપગઢ ગામે ઢોર ચરાવવા બાબતે સમજાવવા માટે ગયેલા આધેડ સહિત બે વ્યક્તિઓને લાકડી વડે ત્રણ શખ્સો દ્વારા માર મારવામાં આવ્યો હતો જેથી કરીને ઈજા પામેલા આધેડ સહિતના બંને વ્યક્તિઓને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા અને ત્યારબાદ આધેડે ત્રણ શખ્સો સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

જાણવા મળતી વિગત પ્રમાણે વાંકાનેર તાલુકાના પ્રતાપગઢ ગામે રહેતા અને માલ ઢોર ચરાવવાનો ધંધો કરતા ધનાભાઈ ખેંગારભાઈ ફાંગલીયા જાતે ભરવાડ (૫૫)એ હાલમાં વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે વિહાભાઈ સતાભાઈ પાંચિયા, શૈલેષભાઈ હીરાભાઈ પાંચિયા અને જયેશભાઈ વિહાભાઈ પાંચિયા રહે. બધા પાંચ દ્વારકા વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, વાંકાનેર તાલુકાના પ્રતાપગઢ ગામના આહોર તરીકે ઓળખાતા વિસ્તારમાં રહીમભાઈ નૂરમહંમદભાઈની વાડી પાસે તેઓ આરોપીઓને માલઢોર ચરાવવા બાબતે સમજાવવા માટે ગયા હતા ત્યારે વિહાભાઈ પાંચિયાએ તેની પાસે રહેલ લાકડી વડે તેઓને જમણા કાનના ભાગે માર માર્યો હતો તેમજ તેની સાથે રહેલા જીવણભાઈને ત્રણેય આરોપીઓએ ઢીકાપાટુનો માર મારી લાકડી વડે માર માર્યો હતો અને માથામાં ઇજા કરી હતી તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલા ફરિયાદી સંહિતા બંને વ્યક્તિઓએ સારવાર લીધા બાદ આધેડે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે






Latest News