મોરબીમાં સુભાષ રોડે દુકાનની પાછળ ટીખળખોરે કચરો સળગાવતા વિકરાળ આગ: ફાયરની ટિમ દોડતી મોરબીના મહેન્દ્રનગર  પાસે ભક્તિનગર-2 સોસાયટીમાં ચાલુ વીજવાયર તૂટીને પડતાં બે વાહન બળીને ખાખ મોરબીમાં ઉમિયાથી દલવાડી સર્કલ જવાના કેનાલની બીજી બાજુના રોડને સીસી રોડ બનાવવા માટે સીએમને કરી રજૂઆત મોરબીમાં મહાશિવરાત્રીના દિવસે સિદ્ધનાથ મહાદેવની ભવ્ય શોભાયાત્રાનું આયોજન વલ્લભીપુરના પચ્છેગામ ગામે આયોજિત ત્રિવેણી કાર્યક્રમમાં મોરબી સહિત 20 જિલ્લાના ધર્મપ્રેમી લોકોને જોડાવા ગાયત્રી આશ્રમના સંત લાલબાપુનું જાહેર આમંત્રણ હળવદના વેગડવાવ ફાટક પાસે ટ્રાફિક સહિતની સમસ્યા ઉકેલવાની દિશામાં આગળ વધતું તંત્ર બાટલો ફાટયો: મોરબીમાં ફરીયાદ નિવારણના કાર્યક્રમ 30 અરજી કરી તો પણ કામ ન થતાં હવે કચેરીને તાળાબંધીની ચીમકી ઉચ્ચારી મોરબીના સોખડા ગામના પાટીયા પાસે ટેન્કર ચાલકે બેદરકારીપૂર્વક લેતા ટ્રક સાથે અકસ્માત થતા વાહનમાં નુકસાન, કોઈ જાનહાનિ નહીં
Breaking news
Morbi Today

મોરબીની પી.જી.પટેલ કોલેજ તેમજ યુ.એન.મહેતા આર્ટ્સ કોલેજમાં માતૃભાષા દિવસ ઉજવાયો


SHARE















મોરબીની પી.જી.પટેલ- યુ.એન. મહેતા આર્ટ્સ કોલેજમાં માતૃભાષા દિવસ ઉજવાયો

આજરોજ ૨૧ ફેબ્રુઆરી ના રોજ સર્વત્ર માતૃભાષા દિવસ ઉજવાઈ રહ્યોછે ત્યારે મોરબીની પી.જી.પટેલ કોલેજમાં પણ પ્રમુખ દેવકરણભાઈ અને આચાર્ય ડો.રવીન્દ્ર ભટ્ટ ની પ્રેરણા અને માર્ગદર્શન હેઠળ માતૃભાષા દિવસની ઉજવણી કરવામાં આવી હતી આવી જ રીતે મોરબીની યુ.એન. મહેતા આર્ટ્સ કોલેજમાં પણ વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણી કરવામાં આવી હતી તેની સાથે કવિ સંમેલનનું યોજાયું હતું

ગુજરાતી સાહિત્ય અકાદમી ગાંધીનગર અને મોરબીની યુ.એન.મહેતા આર્ટસ કોલેજ દ્વારા કોલેજ કેમ્પસ ખાતે વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણી કરવામાં આવી હતી તેની સાથે કવિ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોરબીના કવિ બિપીનચંદ્ર નિમાવત (બિપીન મધુર), રૂપેશ પરમાર (જલરૂપ), કવિ સંજય બાપોદરિયા (સંગી) હાજર રહ્યા હતા અને તેની કૃતિઓ રજૂ કરી હતી. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડો. આર.કે. વારોતરિયા દ્વારા કરવામાં આવ્યું હતું. આ તકે મોરબીના સાહિત્ય પ્રેમીઓ તેમજ માતૃભાષામાં વિશેષ રૂચિ ધરાવતા શ્રોતાઓ અને કોલેજના વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા આવી જ રીતે મોરબીની પી.જી. પટેલ કોલેજના વિધાર્થીઓએ પણ ગુજરાત સાહિત્ય પરિષદ-અમદાવાદ  દ્વારા જાહેર થયેલ અલગ અલગ પ્રતિષ્ઠિત વ્યક્તિઓના મંતવ્યો રજુ કરતા વિડીયો નિહાળ્યા હતા અને બાદમાં કોલેજના વરિષ્ઠ પ્રાધ્યાપક અનિલભાઈ કંસારાએ વિધાર્થીઓને માતૃભાષાના વૈભવ અને ગરિમાથી વાકેફ કાર્ય હતા તેમજ ગુજરાતી ભાષાના અભિન્ન અંગ એવા જોડણી, અલંકાર, રાગ દુહા છંદ અને વ્યાકરણ અંગે પણ રસપ્રદ અને હળવી શૈલીમાં છણાવટ દ્વારા વિધાર્થીઓને ગુજરાતી ભાષા અંગેનું સચોટ જ્ઞાન આપ્યું હતું.






Latest News