મોરબીમાં અનેક ગુનામાં સંડોવાયેલ બી.કે.બોરીચાનું સરઘસ કાઢતી પોલીસ, ઘરમાંથી મળી આવેલા ડોક્યુમેન્ટ બાબતે ઊંડાણપૂર્વની તપાસ ચાલુ: DYSP મોરબીની પી.જી.પટેલ કોલેજમાં માતૃભાષા મહોત્સવ અંતર્ગત કવિસંમેલન યોજાયું વાંકાનેરમાં બહેન રિસામણે બેઠેલ હોય સમાધાન માટે ગયેલ યુવાનને વેવાઈ-વેવાણે મારમાર્યો ટંકારા નજીક રિક્ષા રેલિંગ સાથે અથડાઈને પલટી મારી જતાં બે સગાભાઈઓને ઇજા: રિક્ષા ચાલક સામે ગુનો નોંધાયો મોરબી નજીકથી કતલખાને લઈ જવાતા 15 પાડા ભરેલી બોલેરો ગૌરક્ષકોએ પકડી: પાયલોટિંગ સાથે અબોલજીવને કતલખાને લઈ જતાં હોવાનું ખૂલ્યું માળીયા (મી)-હળવદમાં દારૂની 3 રેડ: 31 બોટલ દારૂ-39 બિયરના ટીન કબ્જે વાંકાનેરના માટેલ રોડે કારખાનાના કવાર્ટરમાં રહેતા યુવાને બીમાર પત્નીની સારવારના ટેન્શનમાં કર્યો આપઘાત મોરબી શહેર-તાલુકામાં વાહન-ઘરફોડ ચોરી કરતી ગેંગનો એક સાગરીત પકડાયોએલ 3 ની શોધખોળ
Breaking news
Morbi Today

વાંકાનેરમાં વહીવટદાર શાસનમાં પાલિકા દ્વારા કરાયેલ કામની ગુણવતા સામે ધારાસભ્યએ ઉઠાવ્યા સવાલ !


SHARE













વાંકાનેરમાં વહીવટદાર શાસનમાં પાલિકા દ્વારા કરાયેલ કામની ગુણવતા સામે ધારાસભ્યએ ઉઠાવ્યા સવાલ !

વાંકાનેર નગરપાલિકાને સુપરસિડ કરવામાં આવી છે અને હાલમાં વહીવટદાર શાસન ચાલી રહ્યું છે ત્યારે શહેરમાં સીસી અને પેવરની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે તે કામગીરી એજન્સીઓ દ્વારા કરવામાં આવી રહી છે જો કે, રોડ ઉપર યોગ્ય લાઈન લેવલ જળવાતું ન હોવાની તેમજ અત્યંત નબળી કક્ષાની કામગીરી થતી હોવાનો આક્ષેપ વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ  સોમાણી દ્વારા કરવામાં આવેલ છે

વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ  સોમાણીએ ગત તા. ૭/૧૦/૨૩ નાં રોજ પાલિકાના વહીવટદારને પત્ર લખીને નબળી કક્ષાની કામગીરી થતી ધ્યાન દોર્યું હતું અને સીસી રોડની કામગીરી બંધ કરી આ કામગીરી ઓનલાઈન ટેન્ડરીંગ પ્રક્રિયા કરી મજૂરી કામ કરાવવા તેમજ માલ સામાન પાલિકા દ્વારા ખરીદી કરી રોડના કામો કરાવવામાં આવે તો પાલિકાને આર્થિક ભારણ ન પડે અને કામની ગુણવતા જળવાઈ રહેશે તેવું સુચન કર્યું હતું તેમ છતાં કામગીરી અટકાવાઇ ન હતી. જેથી કરીને તા ૧૮/૧ ના રોજ મોરબી ખાતે કલેકટરની અધ્યક્ષતામાં યોજાયેલી સંકલન સમિતિની બેઠકમાં પણ સોમાણીએ કલેકટરને પત્ર લખીને વાંકાનેર પાલિકા દ્વારા વહીવટી શાસનમાં ચાલતા સીસી રોડની કામગીરી પૂરી થઈ ગઈ છે તેની ગુણવતા અત્યંત નબળી છે તેનું જણાવ્યુ હતું તેમ છતાં કોઇ જ પગલાં લેવાયા નથી !. અગાઉની સંકલન બેઠક વખતે તાજેતરમાં બદલી પામેલા કલેકટર હતા ત્યારે શું નિર્ણય તેમના દ્વારા લેવાયા હતા. તે ચેક કર્યા પછી વર્તમાન કલેકટર જણાવશે તેવું કહેલ છે વધુમાં ધારાસભ્યએ જણાવ્યુ છે કે, વાંકાનેરમાં વહીવટી શાસન પહેલા અને પછીના કામોને ચેક કરવામાં આવશે તો જમીન આસમાનનું અંતર તેમાં જોવા મળશે આ બાબતે યોગ્ય તપાસ કરી રિપોર્ટ કરવો જરૂરી છે 








Latest News