મોરબીના આમરણ-બેલા રોડ ઉપર ટ્રક ચાલકે બાઇકને ટક્કર મારતા વૃદ્ધનું મોત મોરબી મેડિકલ કોલેજ ખાતે એનેટોમી વિભાગ અને પેથોલોજી વિભાગના સંયુક્ત પ્રયાસથી EPIBLAST 2025 સ્પર્ધાનું આયોજન મોરબી જલારામ ધામ ખાતે ચાલતા સદાવ્રતમા પ્રસાદ યોજી લગ્નની પ્રથમ વર્ષગાંઠ ઉજવી મોરબીના શનાળા ગામનો અનંત અઘારામાં ચિત્રો દોરવામાં અવ્વલ મોરબીની લીલાપર ચોકડી પાસે જૂની અદાવતનો ખાર રાખીને યુવાનની છરીના ઘા ઝીકીને હત્યા હળવદ તાલુકામાં એમડી ડ્રગ્સના જથ્થા સાથે પકડાયેલ આરોપીના જામીન મંજૂર મોરબી: બાગાયત ખાતા દ્વારા કૃષિ યાંત્રીકરણમાં પ્રોત્સાહિત કરવાના કાર્યક્રમનો લાભ લેવા ખેડૂતો પાસેથી અરજીઓ મંગાવાઈ મોરબી પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે જિલ્લા અને મણીમંદિર પાસે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની કરાશે ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીના ભરતનગર ગામે થયેલ અપહરણ બનાવમાં એકની ધરપકડ


SHARE

















મોરબીના ભરતનગર ગામે થયેલ અપહરણ બનાવમાં એકની ધરપકડ

મોરબીના માળિયા હાઇવે ઉપર આવેલા ભરતનગર ગામેથી ગત ડિસેમ્બર માસમાં સગીરાનું અપહરણ કરવામાં આવ્યું હતું અને તે અંગે નોંધાયેલી ફરિયાદની તપાસ દરમિયાન આરોપી આગોતરા જામીન સાથે તાલુકા પોલીસ સમક્ષ રજૂ થતાં પોલીસ દ્વારા તેની ધરપકડ કરીને કોર્ટનો હુકમ હોય જામીન મુક્ત કરવામાં આવ્યો હતો.

આ બાબતે મોરબી તાલુકા પોલીસ સુત્રોમાંથી વધુમાં મળતી માહિતી પ્રમાણે મોરબીના માળીયા હાઇવે ઉપર આવેલા ભરતનગર ગામે રહેતા પરિવારની સગીર વયની દીકરીનું બે મહિના પહેલા ગત ડિસેમ્બર માસમાં અપહરણ કરવામાં આવ્યું હતું.તે બાબતે ભોગ બનેલ સગીરાના પરિવારજનો દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી જેની તપાસ તાલુકા પોલીસ મથકના પીએસઆઇ એસ.એન.સગારકાને સોંપવામાં આવી હતી.દરમ્યાનમાં આરોપી ભગવાનજી બાબુભાઇ સાવરીયા (ઉમર ૨૯) રહે.હાલ લાલપર તા.જી.મોરબી મૂળ રહે. જેલ ચોક સામે લીલાપર રોડ મોરબી ગઈકાલ તા.૧૧ ના આગોતરા જામીન સાથે પોલીસ સમક્ષ રજૂ થયો હતો.જેથી કરીને પોલીસે તેની ધરપકડ કરી હતી જોકે આગોતરા જામીન હોય કોર્ટના હુકમ મુજબ તેની પૂછપરછ કર્યા બાદ તેને જામીનમુક્ત કરવામાં આવ્યો હોવાનું પોલીસ સૂત્રોમાંથી જાણવા મળેલ છે.

મારામારીમાં ઈજા થતા સારવારમાં

મોરબીના લીલાપર રોડ ઉપર આવેલ વિલ્સન પેપરમીલ નજીક રહેતા મયુરભાઈ શીવાભાઈ રાઠોડ (ઉમર ૨૨) અને જ્યોતિબેન મયુરભાઈ રાઠોડ (ઉમર ૨૨) ને તા.૧૦-૩ ના ઘર પાસે મારામારીના બનાવમાં ઇજાઓ પહોંચી હતી.જેથી સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.જ્યાં બંનેની સારવાર કરવામાં આવ્યા બાદ આ બાબતે તાલુકા પોલીસ મથકે જાણ કરાતા તાલુકા પોલીસ મથકના બીટ વિસ્તારના જમાદાર સબળસિંહ સોલંકી દ્વારા મારામારીના બનાવ અંગે નોંધ કરીને કારણ સંદર્ભે આગળની તપાસ શરૂ કરાઈ હતી.

વાહન અકસ્માતમાં ઈજા

મોરબીના શનાળા રોડ ગુજરાત હાઉસિંગ બોર્ડમાં રહેતા સંજયભાઈ નટવરલાલ રાણેવાડીયા નામના ૫૫ વર્ષના આધેડને મોરબીના લાતી પ્લોટ મેઇન રોડ ઉપર આવેલ પોલીસ ચોકી પાસેથી પગપાળા જતા સમયે કોઈ અજાણ્યા વાહનના ચાલકે હડફેટે લેતા ઇજા પામેલ હાલતમાં ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયા હતા.જ્યાં તેઓની સારવાર કરવામાં આવ્યા બાદ એ ડિવિઝન પોલીસ મથકમાં જાણ કરાતા એ ડિવિઝન પોલીસ મથકના હરેશભાઈ ચાવડાએ બનાવની નોંધ કરીને અકસ્માત બનાવની આગળની તપાસ હાથ ધરી હતી.






Latest News