મોરબી જિલ્લા પંચાયતના માજી ચેરમેને ભાજપમાંથી ટિકિટ ન મળતા કરી અપક્ષ ઉમેદવારી: તમામ બેઠકો ઉપર પક્ષ-અપક્ષ સહિત તમામ ઉમેદવારોનું સંપૂર્ણ લિસ્ટ મોરબીમાં વેપાર માટે વ્યાજે લીધેલા ૫ લાખ સામે ૭.૯૦ લાખ ચૂકવવા છતાં પઠાણી ઉઘરાણી કરનાર બે ની ધરપકડ વાંકાનેરના ચિત્રાખડા ગામે ખનીજ માફિયા ઉપર ધોંસ: 45 લાખની મશીનરી કબ્જે મોરબીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના  ઓબ્ઝર્વર ડૉ. શ્રી સંજય જોશી અધિકારીઓ સાથે કરી સમીક્ષા બેઠક મોરબીમાં પૂર્વ મંત્રી બ્રિજેશ મેરજાના દીકરા ડૉ. પ્રશાંત મેરજાની સ્મૃતિમાં યોજાયેલા મેડિકલ કેમ્પનો 400 જેટલા દર્દીઓએ લાભ લીધો મોરબી તાલુકા પંચાયતના માજી પ્રમુખ સ્વ. નાથાભાઈની પુણ્યતિથિએ સદભાવના વૃદ્ધાશ્રમમાં ભોજન પ્રસાદ કરાવ્યો મોરબીના શનાળા ગામ નજીક બ્રેઝા ગાડીમાં આગ લાગતા કાર બળીને ખાખ મોરબીના ચેક રીર્ટન કેસમાં આરોપીને એક વર્ષની સજા: ડબલ રકમ ચૂકવવા આદેશ
Breaking news
Morbi Today

મોરબીના ભરતનગર ગામે થયેલ અપહરણ બનાવમાં એકની ધરપકડ


SHARE













મોરબીના ભરતનગર ગામે થયેલ અપહરણ બનાવમાં એકની ધરપકડ

મોરબીના માળિયા હાઇવે ઉપર આવેલા ભરતનગર ગામેથી ગત ડિસેમ્બર માસમાં સગીરાનું અપહરણ કરવામાં આવ્યું હતું અને તે અંગે નોંધાયેલી ફરિયાદની તપાસ દરમિયાન આરોપી આગોતરા જામીન સાથે તાલુકા પોલીસ સમક્ષ રજૂ થતાં પોલીસ દ્વારા તેની ધરપકડ કરીને કોર્ટનો હુકમ હોય જામીન મુક્ત કરવામાં આવ્યો હતો.

આ બાબતે મોરબી તાલુકા પોલીસ સુત્રોમાંથી વધુમાં મળતી માહિતી પ્રમાણે મોરબીના માળીયા હાઇવે ઉપર આવેલા ભરતનગર ગામે રહેતા પરિવારની સગીર વયની દીકરીનું બે મહિના પહેલા ગત ડિસેમ્બર માસમાં અપહરણ કરવામાં આવ્યું હતું.તે બાબતે ભોગ બનેલ સગીરાના પરિવારજનો દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી જેની તપાસ તાલુકા પોલીસ મથકના પીએસઆઇ એસ.એન.સગારકાને સોંપવામાં આવી હતી.દરમ્યાનમાં આરોપી ભગવાનજી બાબુભાઇ સાવરીયા (ઉમર ૨૯) રહે.હાલ લાલપર તા.જી.મોરબી મૂળ રહે. જેલ ચોક સામે લીલાપર રોડ મોરબી ગઈકાલ તા.૧૧ ના આગોતરા જામીન સાથે પોલીસ સમક્ષ રજૂ થયો હતો.જેથી કરીને પોલીસે તેની ધરપકડ કરી હતી જોકે આગોતરા જામીન હોય કોર્ટના હુકમ મુજબ તેની પૂછપરછ કર્યા બાદ તેને જામીનમુક્ત કરવામાં આવ્યો હોવાનું પોલીસ સૂત્રોમાંથી જાણવા મળેલ છે.

મારામારીમાં ઈજા થતા સારવારમાં

મોરબીના લીલાપર રોડ ઉપર આવેલ વિલ્સન પેપરમીલ નજીક રહેતા મયુરભાઈ શીવાભાઈ રાઠોડ (ઉમર ૨૨) અને જ્યોતિબેન મયુરભાઈ રાઠોડ (ઉમર ૨૨) ને તા.૧૦-૩ ના ઘર પાસે મારામારીના બનાવમાં ઇજાઓ પહોંચી હતી.જેથી સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.જ્યાં બંનેની સારવાર કરવામાં આવ્યા બાદ આ બાબતે તાલુકા પોલીસ મથકે જાણ કરાતા તાલુકા પોલીસ મથકના બીટ વિસ્તારના જમાદાર સબળસિંહ સોલંકી દ્વારા મારામારીના બનાવ અંગે નોંધ કરીને કારણ સંદર્ભે આગળની તપાસ શરૂ કરાઈ હતી.

વાહન અકસ્માતમાં ઈજા

મોરબીના શનાળા રોડ ગુજરાત હાઉસિંગ બોર્ડમાં રહેતા સંજયભાઈ નટવરલાલ રાણેવાડીયા નામના ૫૫ વર્ષના આધેડને મોરબીના લાતી પ્લોટ મેઇન રોડ ઉપર આવેલ પોલીસ ચોકી પાસેથી પગપાળા જતા સમયે કોઈ અજાણ્યા વાહનના ચાલકે હડફેટે લેતા ઇજા પામેલ હાલતમાં ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયા હતા.જ્યાં તેઓની સારવાર કરવામાં આવ્યા બાદ એ ડિવિઝન પોલીસ મથકમાં જાણ કરાતા એ ડિવિઝન પોલીસ મથકના હરેશભાઈ ચાવડાએ બનાવની નોંધ કરીને અકસ્માત બનાવની આગળની તપાસ હાથ ધરી હતી.






Latest News