મોરબીના વાવડી રોડે ગાયત્રીનગરમાં રહેતો વેપારી યુવાન ગુમ
SHARE









મોરબીના વાવડી રોડે ગાયત્રીનગરમાં રહેતો વેપારી યુવાન ગુમ
મોરબીના વાવડી રોડ ઉપર આવેલ ગાયત્રીનગર શેરી નંબર-૫ માં રહેતો વેપારી યુવાન ઘરે કોઈને કશું કહ્યા વગર ગુમ થઈ ગયેલ છે જેથી કરીને હાલમાં તેની દીકરીએ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુમસુધા ફરિયાદ નોંધાવી છે જેના આધારે પોલીસે ગુમ થયેલા યુવાનને શોધવા માટે તપાસ શરૂ કરી છે
બનાવની જાણવા મળતી માહિતી મુજબ મૂળ વનાળિયા ગામના રહેવાસી અને હાલમાં મોરબીના વાવડી રોડ ઉપર આવેલ ગાયત્રી સોસાયટી શેરી નંબર-૫ માં રહેતા અને દુકાન ધરાવતા વેપારી હરેશભાઈ મગનભાઈ પાડલીયા જાતે પટેલ (૪૫) ગત તા. ૧૧/૩ ના રોજ બપોરે દોઢ વાગ્યાના અરસામાં પોતાના ઘરે કોઈને કશું કહ્યા વગર નીકળી ગયા છે અને તેને શોધવા છતાં કોઈ જગ્યાએથી તેનો પતો લાગે નથી જેથી હાલમાં ગુમ થયેલ યુવાનની દીકરી યોગીબેન હરેશભાઈ પાડલીયા (૨૨) રહે. ગાયત્રીનગર સોસાયટી વાવડી રોડ મોરબી વાડીએ તેના પિતા ગુમ થયા હોવા અંગેની ગુમસુધા ફરિયાદ આપી છે જેથી પોલીસે ગુમ થયેલા યુવાનને શોધવા માટે જુદી જુદી દિશામાં તપાસ શરૂ કરેલ છે
હાર્ટ એટેકથી મોત
હળવદ તાલુકાના શક્તિનગર ગામે નકલંગ ધામ મંદિરની જગ્યામાં સુરેન્દ્રનગર જિલ્લાના સુદામડા ગામના રહેવાસી નિખાલસ ભાઈ અમીરભાઈ સોલંકી (૫૨) નામના આધેડને હાર્ટ એટેકનો હુમલો આવી ગયો હતો જેથી કરીને તેનું મોત નીપજ્યું હતું આ બનાવ અંગેની શિલ્પાબેન હમીરભાઇ સોલંકી (૪૪) રહે સુરેન્દ્રનગર વાળાએ હળવદ તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

