જો ખેડૂતોને પૂરતું વળતર નહીં મળે તો લાલ લાઇટ વાળી ગાડીમાં ફરતા મિનિસ્ટરોને 108 માં ઘાલવાના છે: જેતપર ગામેથી રાકેશભાઈ અમૃતિયાની ચેતવણી મોરબી જિલ્લામાં વીજપોલ-લાઇનના વળતર માટે એમઆરસીની રચના કરવા કલેક્ટરના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ રાજ્યભરમાં ટંકારા તાલુકો ટેકાના ભાવે ઘઉંની ખરીદી કરવામાં મોખરે: જીલ્લામાં ખેડૂતોને ૨૦ કરોડથી વધુ રકમ ચૂકવાઈ ખેડૂતોના પરિશ્રમને મળ્યા પોષણક્ષમ ભાવ: ઘઉંની ટેકાના ભાવે ખરીદીમાં રાજ્યના તમામ તાલુકાઓમાં મોરબીનો ટંકારા તાલુકો ૬૧,૯૪૯ ક્વિન્ટલ સાથે પ્રથમ ક્રમે મોરબી જીઆઇડીસી પાસે નવ બોટલ દારૂ સાથે બે પકડાયા વાંકાનેરમાં પ્રેમજાળમાંથી યુવતીને બહાર લાવી પરિવાર સાથે પુન: મિલન કરાવતી બીપીએસસી વાંકાનેરના ખખાણા ગામે જૂની બોલાચાલીની ખાર રાખીને બે મહિલા ઉપર 4 શખ્સોએ કર્યો ધોકા-પાઇપથી હુમલો મોરબી નજીક કારખાનાના કવાર્ટરમાં ઝેરી સાપ કરડી જતાં યુવાનનું મોત
Breaking news
Morbi Today

ટંકારાને નગરપાલિક આપવાની મુખ્યમંત્રીએ કરી જાહેરાત: સાંસદ-ધારાસભ્યની રજૂઆત ફળી


SHARE







ટંકારાને નગરપાલિક આપવાની મુખ્યમંત્રીએ કરી જાહેરાત: સાંસદ-ધારાસભ્યની રજૂઆત ફળી

મોરબી જીલ્લામાં આવેલ ટંકારાને પાલિકા આપવા માટે સાંસદ અને ધારાસભ્યએ મુખ્યમંત્રીને રજૂઆત કરી હતી જેને ધ્યાને લઈને હાલમાં મુખ્યમંત્રીએ ટંકારાને નગરપાલિકા આપવાની જાહેરાત કરેલ છે જેથી વર્ષો બાદ હવે ટંકારાનો વિકાસ સાચી દિશામાં થશે તેવું કહીએ તો તેમાં જરાપણ અતિશયોક્તિ નથી

રાજકોટના લોકલાડીલા સાંસદ મોહનભાઇ કુંડારીયા અને ૬૬ ટંકારાના ધારાસભ્યશ્રી દુર્લભજીભાઈ દેથરીયાએ આર્ય સમાજના સ્થાપક અને ક્રાંતિકારી સમાજ સુધારક મહર્ષિ દયાનંદ સરસ્વતીજીની ૨૦૦ મી જન્મ જયંતિ નિમિત્તે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ટંકારા ખાતે કાર્યક્રમમાં આવ્યા હતા ત્યારે ટંકારાને નગરપાલિકાનો દરજ્જો આપવામાં આવે તેવી રૂબરૂ લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરેલ હતી. આ રજૂઆતો ને ધ્યાને લઈ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા ટંકારા ગ્રામ પંચાયતને નગરપાલિકામાં રૂપાંતરિત કરવા માટે મંજૂરી આપવામાં આવેલ છે આ મંજૂરી મળતા ટંકારા અને તેમાં સમાવિષ્ટ વિસ્તારોને જન સુખાકારી સુવિધાઓ તેમજ ટંકારાના ઉદ્યોગોને વિકાસમાં બળ મળશે. આ તકે રાજકોટના સાંસદ મોહનભાઇ કુંડારીયા તથા ૬૬ ટંકારા ના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાએ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ તેમજ ગુજરાત સરકારનો આભાર વ્યક્ત કર્યો છે.






Latest News