મોરબીના આમરણ-બેલા રોડ ઉપર ટ્રક ચાલકે બાઇકને ટક્કર મારતા વૃદ્ધનું મોત મોરબી મેડિકલ કોલેજ ખાતે એનેટોમી વિભાગ અને પેથોલોજી વિભાગના સંયુક્ત પ્રયાસથી EPIBLAST 2025 સ્પર્ધાનું આયોજન મોરબી જલારામ ધામ ખાતે ચાલતા સદાવ્રતમા પ્રસાદ યોજી લગ્નની પ્રથમ વર્ષગાંઠ ઉજવી મોરબીના શનાળા ગામનો અનંત અઘારામાં ચિત્રો દોરવામાં અવ્વલ મોરબીની લીલાપર ચોકડી પાસે જૂની અદાવતનો ખાર રાખીને યુવાનની છરીના ઘા ઝીકીને હત્યા હળવદ તાલુકામાં એમડી ડ્રગ્સના જથ્થા સાથે પકડાયેલ આરોપીના જામીન મંજૂર મોરબી: બાગાયત ખાતા દ્વારા કૃષિ યાંત્રીકરણમાં પ્રોત્સાહિત કરવાના કાર્યક્રમનો લાભ લેવા ખેડૂતો પાસેથી અરજીઓ મંગાવાઈ મોરબી પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે જિલ્લા અને મણીમંદિર પાસે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની કરાશે ઉજવણી
Breaking news
Morbi Today

ટંકારાને નગરપાલિક આપવાની મુખ્યમંત્રીએ કરી જાહેરાત: સાંસદ-ધારાસભ્યની રજૂઆત ફળી


SHARE

















ટંકારાને નગરપાલિક આપવાની મુખ્યમંત્રીએ કરી જાહેરાત: સાંસદ-ધારાસભ્યની રજૂઆત ફળી

મોરબી જીલ્લામાં આવેલ ટંકારાને પાલિકા આપવા માટે સાંસદ અને ધારાસભ્યએ મુખ્યમંત્રીને રજૂઆત કરી હતી જેને ધ્યાને લઈને હાલમાં મુખ્યમંત્રીએ ટંકારાને નગરપાલિકા આપવાની જાહેરાત કરેલ છે જેથી વર્ષો બાદ હવે ટંકારાનો વિકાસ સાચી દિશામાં થશે તેવું કહીએ તો તેમાં જરાપણ અતિશયોક્તિ નથી

રાજકોટના લોકલાડીલા સાંસદ મોહનભાઇ કુંડારીયા અને ૬૬ ટંકારાના ધારાસભ્યશ્રી દુર્લભજીભાઈ દેથરીયાએ આર્ય સમાજના સ્થાપક અને ક્રાંતિકારી સમાજ સુધારક મહર્ષિ દયાનંદ સરસ્વતીજીની ૨૦૦ મી જન્મ જયંતિ નિમિત્તે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ટંકારા ખાતે કાર્યક્રમમાં આવ્યા હતા ત્યારે ટંકારાને નગરપાલિકાનો દરજ્જો આપવામાં આવે તેવી રૂબરૂ લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરેલ હતી. આ રજૂઆતો ને ધ્યાને લઈ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા ટંકારા ગ્રામ પંચાયતને નગરપાલિકામાં રૂપાંતરિત કરવા માટે મંજૂરી આપવામાં આવેલ છે આ મંજૂરી મળતા ટંકારા અને તેમાં સમાવિષ્ટ વિસ્તારોને જન સુખાકારી સુવિધાઓ તેમજ ટંકારાના ઉદ્યોગોને વિકાસમાં બળ મળશે. આ તકે રાજકોટના સાંસદ મોહનભાઇ કુંડારીયા તથા ૬૬ ટંકારા ના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાએ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ તેમજ ગુજરાત સરકારનો આભાર વ્યક્ત કર્યો છે.






Latest News