મોરબી મનપામાં મિલ્કત વેરો ન ભરનારા 37 આસામીઓની મિલ્કત સીલ મોરબીના કલ્સટર-4 માં સફાઈ સહિતના કામની વિઝિટ કરતાં નાયબ કમિશનર મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ અચાનક આગ લાગતા કાર બળીને ખાખ મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા બાળ સુરક્ષા સમિતિ તથા બાળ કલ્યાણ સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ મોરબીમાં આવેલ ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે ગુરુવારે બૌદ્ધિક સત્રનું આયોજન મોરબીના પાનેલી ગામે આવેલ આયુષ્યમાન આરોગ્ય મંદિર દ્વારા રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરાઇ વાંકાનેર–મીતાણા રોડ પર આસોઈ નદી પર મેજર બ્રિજનું નિર્માણ કાર્ય શરૂ: કેશરીદેવસિંહજી ઝાલાની સફળ રજૂઆત મોરબીના રિપેરિંગ કામ માટે 45 દિવસ સુધી બંધ રહેશે પાડાપુલ, 1.5 કરોડના ખર્ચે થશે સમારકામ: પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જેતાવત
Breaking news
Morbi Today

ટંકારાના ગજડી ગામે વાડીની ઓરડીમાં દારૂની નાની ૨૫૨ બોટલ-૨૪ બીયર સાથે એક શખ્સની ધરપકડ


SHARE















ટંકારાના ગજડી ગામે વાડીની ઓરડીમાં દારૂની નાની ૨૫૨ બોટલ-૨૪ બીયર સાથે એક શખ્સની ધરપકડ

ટંકારા તાલુકાના ગજડી ગામે વાડીની ઓરડીમાં દારૂનો જથ્થો હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દારૂની નાની ૨૫૨ બોટલો તથા ૨૪ બિયરના ટીન મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે કુલ મળીને ૨૭,૬૦૦ ની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને આરોપીની ધરપકડ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

બનાવની જાણવા મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના ગજડી ગામે રહેતા નીતિનભાઈ ડાંગરની વાડીએ દારૂનો જથ્થો હોવાની ચોક્કસ હકીકત સ્થાનિક પોલીસને મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે ગજડી ગામની સીમમાં આવેલ નીતિનભાઈ ડાંગરની વાડીની ઓરડીમાંથી દારૂની જુદી જુદી બ્રાન્ડની નાની કુલ મળીને ૨૫૨ બોટલો મળી આવી હતી તેમજ બિયરના ૨૪ ટીન મળ્યા હતા જેથી કરીને પોલીસે ૨૭,૬૦૦ ની કિંમતનો દારૂ અને બિયરનો જથ્થો કબજે કર્યો હતો અને આરોપી નીતિનભાઈ વરજાંગભાઈ ડાંગર જાતે બોરીચા (૩૦) રહે. ગજડી તાલુકો ટંકારા વાળાની ધરપકડ કરેલ છે અને તેની સામે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોધી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ શખ્સની પાસેથી મળી આવેલ દારૂ બિયરનો જથ્થો તે કોની પાસેથી લાવ્યો હતો અને કોને આપવાનો હતો તે દિશામાં પોલીસે આગળની તપાસ શરૂ કરી છે

વૃદ્ધ સારવારમાં

મોરબીની મોચી શેરીમાં રહેતા ડાયાભાઈ પ્રેમજીભાઈ ઝાલા (૭૦) નામના વૃદ્ધ મોરબીમાં પાડાપુલ નજીક આવેલ શંકર આશ્રમ પાસેથી જતા હતા ત્યારે વાહન અકસ્માતના બનાવમાં તેમને ઈજા થઈ હતી જેથી કરીને ઇજા પામેલ વૃદ્ધને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ  બનાવની વધુ તપાસ વિપુલભાઈ પટેલ ચલાવી રહ્યા છે






Latest News