મોરબીમાં વાહનનો ઓવરટેક કરવા બાબતે ઝઘડો કરીને સોની યુવાનની છરીના ત્રણ ઘા ઝીંકીને હત્યા; આજે સોની બજાર બંધ મોરબીની ઉમિયાનગર સોસાયટીમાં રહેતા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત માળીયા (મી)ના સોનગઢ ગામે વીજપોલ ઉપરથી નીચે પટકાતા યુવાનનું મોત લાલબત્તી સમાન કિસ્સો: ટંકારામાં નવો ફોન લેવાની જીદ કરતી પત્નીને પગાર આવે પછી ફોન લઈ આપવાનું પતિએ કહેતા મહિલાએ ગળાફાંસો ખાઈને કર્યું વાંકાનેર વિસ્તારમાં સૌની યોજનાની તાંત્રિક કામગીરી ઝડપથી કરવા મંત્રીને ધારાસભ્યએ કરી રજૂઆત મોરબીની વિવેકાનંદ કન્યા શાળા ખાતે માતૃભાષા મહોત્સવ ઉજવાયો વાંકાનેરના મેસરીયા ગામે પોલીસ પ્રોટેક્શન સાથે કામ કરવા આવેલ જેટકોને અધિકારીઓને મહેશ રાજકોટીયાએ તતડાવી નાખ્યા મોરબી જીલ્લામાં આમ આદમી પાર્ટી છોડીને મહિલા આગેવાનો કોંગ્રેસમાં જોડાયા
Breaking news
Morbi Today

ટંકારાના ગજડી ગામે વાડીની ઓરડીમાં દારૂની નાની ૨૫૨ બોટલ-૨૪ બીયર સાથે એક શખ્સની ધરપકડ


SHARE













ટંકારાના ગજડી ગામે વાડીની ઓરડીમાં દારૂની નાની ૨૫૨ બોટલ-૨૪ બીયર સાથે એક શખ્સની ધરપકડ

ટંકારા તાલુકાના ગજડી ગામે વાડીની ઓરડીમાં દારૂનો જથ્થો હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દારૂની નાની ૨૫૨ બોટલો તથા ૨૪ બિયરના ટીન મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે કુલ મળીને ૨૭,૬૦૦ ની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને આરોપીની ધરપકડ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

બનાવની જાણવા મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના ગજડી ગામે રહેતા નીતિનભાઈ ડાંગરની વાડીએ દારૂનો જથ્થો હોવાની ચોક્કસ હકીકત સ્થાનિક પોલીસને મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે ગજડી ગામની સીમમાં આવેલ નીતિનભાઈ ડાંગરની વાડીની ઓરડીમાંથી દારૂની જુદી જુદી બ્રાન્ડની નાની કુલ મળીને ૨૫૨ બોટલો મળી આવી હતી તેમજ બિયરના ૨૪ ટીન મળ્યા હતા જેથી કરીને પોલીસે ૨૭,૬૦૦ ની કિંમતનો દારૂ અને બિયરનો જથ્થો કબજે કર્યો હતો અને આરોપી નીતિનભાઈ વરજાંગભાઈ ડાંગર જાતે બોરીચા (૩૦) રહે. ગજડી તાલુકો ટંકારા વાળાની ધરપકડ કરેલ છે અને તેની સામે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોધી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ શખ્સની પાસેથી મળી આવેલ દારૂ બિયરનો જથ્થો તે કોની પાસેથી લાવ્યો હતો અને કોને આપવાનો હતો તે દિશામાં પોલીસે આગળની તપાસ શરૂ કરી છે

વૃદ્ધ સારવારમાં

મોરબીની મોચી શેરીમાં રહેતા ડાયાભાઈ પ્રેમજીભાઈ ઝાલા (૭૦) નામના વૃદ્ધ મોરબીમાં પાડાપુલ નજીક આવેલ શંકર આશ્રમ પાસેથી જતા હતા ત્યારે વાહન અકસ્માતના બનાવમાં તેમને ઈજા થઈ હતી જેથી કરીને ઇજા પામેલ વૃદ્ધને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ  બનાવની વધુ તપાસ વિપુલભાઈ પટેલ ચલાવી રહ્યા છે








Latest News