મોરબીમાં વાહનનો ઓવરટેક કરવા બાબતે ઝઘડો કરીને સોની યુવાનની છરીના ત્રણ ઘા ઝીંકીને હત્યા; આજે સોની બજાર બંધ મોરબીની ઉમિયાનગર સોસાયટીમાં રહેતા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત માળીયા (મી)ના સોનગઢ ગામે વીજપોલ ઉપરથી નીચે પટકાતા યુવાનનું મોત લાલબત્તી સમાન કિસ્સો: ટંકારામાં નવો ફોન લેવાની જીદ કરતી પત્નીને પગાર આવે પછી ફોન લઈ આપવાનું પતિએ કહેતા મહિલાએ ગળાફાંસો ખાઈને કર્યું વાંકાનેર વિસ્તારમાં સૌની યોજનાની તાંત્રિક કામગીરી ઝડપથી કરવા મંત્રીને ધારાસભ્યએ કરી રજૂઆત મોરબીની વિવેકાનંદ કન્યા શાળા ખાતે માતૃભાષા મહોત્સવ ઉજવાયો વાંકાનેરના મેસરીયા ગામે પોલીસ પ્રોટેક્શન સાથે કામ કરવા આવેલ જેટકોને અધિકારીઓને મહેશ રાજકોટીયાએ તતડાવી નાખ્યા મોરબી જીલ્લામાં આમ આદમી પાર્ટી છોડીને મહિલા આગેવાનો કોંગ્રેસમાં જોડાયા
Breaking news
Morbi Today

મોરબીમાં પત્ની સાથે થયેલી વાતચીતનું લાગી આવતા નેપાળી યુવાને જીવન ટુંકાવ્યું


SHARE













મોરબીમાં પત્ની સાથે થયેલી વાતચીતનું લાગી આવતા નેપાળી યુવાને જીવન ટુંકાવ્યું

મોરબીના આલાપ રોડ ઉપર આવેલ પટેલનગર સોસાયટીમા ખોડીયાર આશિષ એપાર્ટમેન્ટના ગ્રાઉન્ડ ફ્લોર ઉપર નેપાળી ચોકીદારએ પત્ની સાથે બોલાચાલી થઇ હોવાથી લાગી આવતા ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી કરીને તેના મૃતદેહને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવ અંગેની મૃતકના પત્નીએ મોરબી એ ડિવિઝનન પોલીસે જાણ કરતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની જાણવા મળતી વિગતો મુજબ મૂળ નેપાળના કાલીકોટના વતની અને હાલમાં મોરબીના આલાપ રોડ ઉપર આવેલ પટેલનગર સોસાયટીમાં ખોડીયાર આશિષ એપાર્ટમેન્ટના ગ્રાઉન્ડ ફ્લોર ઉપર આવેલ રૂમમાં રહેતો અને ત્યાં ચોકીદાર તરીકે કામ કરતો પરેક દુર્ગાભાઈ બીકે જાતે વિશ્વકર્મા (ઉમર 28) નામના નેપાળી યુવાને રૂમમાં સીસીટીવી કેમેરાનું ડીવીઆર રાખવા માટેના સ્ટેન્ડની લોખંડની એંગલ સાથે ચાદર બાંધીને ગળાફાંસો ખાઈ લીધો હતો.જેથી કરીને તેનું ઘટના સ્થળે મોત નિપજયુ હતું. ત્યારબાદ તેના મૃતદેહને તેના પત્ની પુષ્પાબેન પરેકભાઈ બીકે જાતે વિશ્વકર્મા (ઉંમર વર્ષ 24) મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ ઉપરના ડોક્ટરએ જોઇ તપાસીના મૃત જાહેર કર્યા બાદ આ બનાવની મૃતકના પત્ની દ્વારા મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.વધુમાં પોલીસ પાસેથી જાણવા મળતી વિગતો પ્રમાણે મૃતક યુવાનને તા.16-4 ના રોજ રાત્રે મોબાઈલ ફોનમાં તેના પત્ની સાથે બોલાચાલી થયેલ હતી જે બાબતે તેને લાગી આવતા તેણે ગળાફાંસો ખાઈને આપઘાત કર્યો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. જેની પોલીસે નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.આ અંગેની આગળની વધુ તપાસ જે.એ.ઝાલા ચલાવી રહ્યા છે.








Latest News