વાંકાનેરના અમરસર અને ટંકારાના અમરાપર નજીકથી દારૂ સાથે બે પકડાયા, મહીલા બુટલેગરની શોધખોળ
મોરબીમાં પત્ની સાથે થયેલી વાતચીતનું લાગી આવતા નેપાળી યુવાને જીવન ટુંકાવ્યું
SHARE
મોરબીમાં પત્ની સાથે થયેલી વાતચીતનું લાગી આવતા નેપાળી યુવાને જીવન ટુંકાવ્યું
મોરબીના આલાપ રોડ ઉપર આવેલ પટેલનગર સોસાયટીમા ખોડીયાર આશિષ એપાર્ટમેન્ટના ગ્રાઉન્ડ ફ્લોર ઉપર નેપાળી ચોકીદારએ પત્ની સાથે બોલાચાલી થઇ હોવાથી લાગી આવતા ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી કરીને તેના મૃતદેહને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવ અંગેની મૃતકના પત્નીએ મોરબી એ ડિવિઝનન પોલીસે જાણ કરતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
બનાવની જાણવા મળતી વિગતો મુજબ મૂળ નેપાળના કાલીકોટના વતની અને હાલમાં મોરબીના આલાપ રોડ ઉપર આવેલ પટેલનગર સોસાયટીમાં ખોડીયાર આશિષ એપાર્ટમેન્ટના ગ્રાઉન્ડ ફ્લોર ઉપર આવેલ રૂમમાં રહેતો અને ત્યાં ચોકીદાર તરીકે કામ કરતો પરેક દુર્ગાભાઈ બીકે જાતે વિશ્વકર્મા (ઉમર 28) નામના નેપાળી યુવાને રૂમમાં સીસીટીવી કેમેરાનું ડીવીઆર રાખવા માટેના સ્ટેન્ડની લોખંડની એંગલ સાથે ચાદર બાંધીને ગળાફાંસો ખાઈ લીધો હતો.જેથી કરીને તેનું ઘટના સ્થળે મોત નિપજયુ હતું. ત્યારબાદ તેના મૃતદેહને તેના પત્ની પુષ્પાબેન પરેકભાઈ બીકે જાતે વિશ્વકર્મા (ઉંમર વર્ષ 24) મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ ઉપરના ડોક્ટરએ જોઇ તપાસીના મૃત જાહેર કર્યા બાદ આ બનાવની મૃતકના પત્ની દ્વારા મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.વધુમાં પોલીસ પાસેથી જાણવા મળતી વિગતો પ્રમાણે મૃતક યુવાનને તા.16-4 ના રોજ રાત્રે મોબાઈલ ફોનમાં તેના પત્ની સાથે બોલાચાલી થયેલ હતી જે બાબતે તેને લાગી આવતા તેણે ગળાફાંસો ખાઈને આપઘાત કર્યો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. જેની પોલીસે નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.આ અંગેની આગળની વધુ તપાસ જે.એ.ઝાલા ચલાવી રહ્યા છે.









