મોરબીમાં વાહનનો ઓવરટેક કરવા બાબતે ઝઘડો કરીને સોની યુવાનની છરીના ત્રણ ઘા ઝીંકીને હત્યા; આજે સોની બજાર બંધ મોરબીની ઉમિયાનગર સોસાયટીમાં રહેતા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત માળીયા (મી)ના સોનગઢ ગામે વીજપોલ ઉપરથી નીચે પટકાતા યુવાનનું મોત લાલબત્તી સમાન કિસ્સો: ટંકારામાં નવો ફોન લેવાની જીદ કરતી પત્નીને પગાર આવે પછી ફોન લઈ આપવાનું પતિએ કહેતા મહિલાએ ગળાફાંસો ખાઈને કર્યું વાંકાનેર વિસ્તારમાં સૌની યોજનાની તાંત્રિક કામગીરી ઝડપથી કરવા મંત્રીને ધારાસભ્યએ કરી રજૂઆત મોરબીની વિવેકાનંદ કન્યા શાળા ખાતે માતૃભાષા મહોત્સવ ઉજવાયો વાંકાનેરના મેસરીયા ગામે પોલીસ પ્રોટેક્શન સાથે કામ કરવા આવેલ જેટકોને અધિકારીઓને મહેશ રાજકોટીયાએ તતડાવી નાખ્યા મોરબી જીલ્લામાં આમ આદમી પાર્ટી છોડીને મહિલા આગેવાનો કોંગ્રેસમાં જોડાયા
Breaking news
Morbi Today

માળીયા (મી)ના નવા અંજીયાસર ગામે પરણીતાએ કરેલ આપઘાતના બનાવમાં પતિ-સાસુ સામે નોંધાયો ગુનો


SHARE













માળીયા (મી)ના નવા અંજીયાસર ગામે પરણીતાએ કરેલ આપઘાતના બનાવમાં પતિ-સાસુ સામે નોંધાયો ગુનો

માળીયા મીયાણા તાલુકાના નવા અંજીયાસર ગામે પરણીતાએ આપઘાત કર્યો હતો જે બનાવમાં મૃતક મહિલાની માતાએ તેના જમાઈ અને વેવાણની સામે દીકરીને મળવા મજબૂર કરી હોવા અંગેની ફરિયાદ નોંધાવેલ છે જેથી કરીને માળિયા તાલુકા પોલીસ દ્વારા ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ માળીયા મિયાણાના જખરીયા પીર વિસ્તારમાં રહેતા આઈશાબેન અવેશભાઇ કટિયા જાતે મિયાણા (૪૦)એ હાલમાં તેના જમાઈ આસિફભાઇ ઉમરભાઈ મુલ્લા અને વેવાણ ઝરીનાબેન ઉમરભાઈ મુલ્લા રહે. બંને નવા અંજિયાસર વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, તેની દીકરી પરવીનબેન આસિફભાઇ મુલ્લા (૨૦) વાળીએ ગત તા. ૯/૩/૨૪ ના રોજ સાંજના છ વાગ્યાના સુમારે ગળાફાંસો ખાઈને આપઘાત કર્યો હતો કેમકે તેની દીકરીને તેના પતિ અને સાસુ દ્વારા ઘરકામ બાબતે અવારનવાર મેણાં ટોણાં મારીને ત્રાસ આપવામાં આવતો હતો તેમજ ફરિયાદીની દીકરીને તેના જમાઈ નશો કરીને અવારનવાર ઝઘડો કરીને શારીરિક અને માનસિક ત્રાસ આપતા હતા જેથી તેની દીકરીએ ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધેલ છે જેથી કરીને હાલમાં મૃતક મહિલાની માતાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે મૃતક મહિલાના પતિ અને સાસુની સામે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે ચક્રોગતિમાન કર્યા છે

મારા મારીમાં ઇજા

મોરબીના શોભેશ્વર રોડ ઉપર આવેલ કુબેર ટોકીઝની પાછળના ભાગમાં મારામારીનો બનાવ બન્યો હતો જેમાં નીતાબેન કનુભાઈ વાઘેલા (૨૨) નામની મહિલાને ઇજાઓ થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની પ્રાથમિક તપાસ જે.જે. ડાંગર દ્વારા કરવામાં આવેલ છે

ફિનાઇલ પીધું

મોરબીના વીસીપરામાં આવેલ રોહીદાસપરા વિસ્તારમાં રહેતા જયશ્રીબેન રેવાભાઇ રાઠોડ (૧૯)એ કોઈ કારણોસર પોતે પોતાની જાતે ફીનાઇલ પી લીધું હતું જેથી કરીને તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપવામાં આવ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન કરતા પોલીસને જણા કરતાં પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે અને વધુ તપાસ એ.આર. સારદીયા ચલાવી રહ્યા છે








Latest News