વાંકાનેરમાં પ્રેમજાળમાંથી યુવતીને બહાર લાવી પરિવાર સાથે પુન: મિલન કરાવતી બીપીએસસી વાંકાનેરના ખખાણા ગામે જૂની બોલાચાલીની ખાર રાખીને બે મહિલા ઉપર 4 શખ્સોએ કર્યો ધોકા-પાઇપથી હુમલો મોરબી નજીક કારખાનાના કવાર્ટરમાં ઝેરી સાપ કરડી જતાં યુવાનનું મોત મોરબીના જુના સાદૂળકા ગામ નજીક કારખાના પાસેથી બાઈકની ચોરી મોરબીમાં ઘરેથી દુકાને વસ્તુ લેવા ગયેલ સગીરાનું અપહરણ વાંકાનેરમાં ઉંદર પકડવાની પ્રતિબંધિત ગ્લુ ટ્રેપનું વેચાણ કરતાં વેપારી ઝડપાયો રાજસ્થાનની જેમ ગુજરાત સરકાર ચાર ગણું વળતર નહીં ચૂકવે તો ખેતરમાં થાંભલા ઉભા કરવા નહીં દઈએ: જેતપર ગામેથી ખેડૂતોની ખુલ્લી ચેતવણી મોરબીના ઊંચી માંડલ નજીક કારખાનામાં લાદી ઉપાડતા સમયે ચક્કર આવતા પડી જવાથી યુવાનનું મોત
Breaking news
Morbi Today

માળીયા (મી)ના નવા અંજીયાસર ગામે પરણીતાએ કરેલ આપઘાતના બનાવમાં પતિ-સાસુ સામે નોંધાયો ગુનો


SHARE







માળીયા (મી)ના નવા અંજીયાસર ગામે પરણીતાએ કરેલ આપઘાતના બનાવમાં પતિ-સાસુ સામે નોંધાયો ગુનો

માળીયા મીયાણા તાલુકાના નવા અંજીયાસર ગામે પરણીતાએ આપઘાત કર્યો હતો જે બનાવમાં મૃતક મહિલાની માતાએ તેના જમાઈ અને વેવાણની સામે દીકરીને મળવા મજબૂર કરી હોવા અંગેની ફરિયાદ નોંધાવેલ છે જેથી કરીને માળિયા તાલુકા પોલીસ દ્વારા ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ માળીયા મિયાણાના જખરીયા પીર વિસ્તારમાં રહેતા આઈશાબેન અવેશભાઇ કટિયા જાતે મિયાણા (૪૦)એ હાલમાં તેના જમાઈ આસિફભાઇ ઉમરભાઈ મુલ્લા અને વેવાણ ઝરીનાબેન ઉમરભાઈ મુલ્લા રહે. બંને નવા અંજિયાસર વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, તેની દીકરી પરવીનબેન આસિફભાઇ મુલ્લા (૨૦) વાળીએ ગત તા. ૯/૩/૨૪ ના રોજ સાંજના છ વાગ્યાના સુમારે ગળાફાંસો ખાઈને આપઘાત કર્યો હતો કેમકે તેની દીકરીને તેના પતિ અને સાસુ દ્વારા ઘરકામ બાબતે અવારનવાર મેણાં ટોણાં મારીને ત્રાસ આપવામાં આવતો હતો તેમજ ફરિયાદીની દીકરીને તેના જમાઈ નશો કરીને અવારનવાર ઝઘડો કરીને શારીરિક અને માનસિક ત્રાસ આપતા હતા જેથી તેની દીકરીએ ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધેલ છે જેથી કરીને હાલમાં મૃતક મહિલાની માતાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે મૃતક મહિલાના પતિ અને સાસુની સામે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે ચક્રોગતિમાન કર્યા છે

મારા મારીમાં ઇજા

મોરબીના શોભેશ્વર રોડ ઉપર આવેલ કુબેર ટોકીઝની પાછળના ભાગમાં મારામારીનો બનાવ બન્યો હતો જેમાં નીતાબેન કનુભાઈ વાઘેલા (૨૨) નામની મહિલાને ઇજાઓ થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની પ્રાથમિક તપાસ જે.જે. ડાંગર દ્વારા કરવામાં આવેલ છે

ફિનાઇલ પીધું

મોરબીના વીસીપરામાં આવેલ રોહીદાસપરા વિસ્તારમાં રહેતા જયશ્રીબેન રેવાભાઇ રાઠોડ (૧૯)એ કોઈ કારણોસર પોતે પોતાની જાતે ફીનાઇલ પી લીધું હતું જેથી કરીને તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપવામાં આવ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન કરતા પોલીસને જણા કરતાં પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે અને વધુ તપાસ એ.આર. સારદીયા ચલાવી રહ્યા છે






Latest News