મોરબીના ટિંબડી પાટીયાથી ખોખરા હનુમાન તરફ જવાના રસ્તે યુવાનને અજાણ્યા શખ્સોએ માર માર્યો
SHARE
મોરબીના ટિંબડી પાટીયાથી ખોખરા હનુમાન તરફ જવાના રસ્તે યુવાનને અજાણ્યા શખ્સોએ માર માર્યો
મોરબી તાલુકાના ટિંબડી ગામના પાટીયાથી ખોખરા હનુમાન તરફ જવાના રસ્તા ઉપર રાજસ્થાની યુવાન પસાર થઈ રહ્યો હતો ત્યારે ત્યાં કોઈ અજાણ્યા ઇસમો દ્વારા તેને માર મારવામાં આવ્યો હતો જેથી ઈજા પામેલા યુવાનને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે
બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે રાજસ્થાનના ધોલાખેડા દ્વારકાપ્રસાદ ખાતે રહેતા હિતેન્દ્રકુમાર સ્વામી (૨૬) નામનો યુવાન મોરબીના ટિંબડી ગામના પાટીયાથી ખોખરા હનુમાન મંદિર તરફ જવાના રસ્તા ઉપરથી પસાર થઈ રહ્યો હતો ત્યારે રસ્તામાં કોઈ અજાણ્યા ઇસમો દ્વારા તેને માર મારવામાં આવ્યો હતો જેથી કરીને તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની પ્રાથમિક તપાસ મનીષભાઈ બારૈયા દ્વારા કરવામાં આવી હતી
બાઇક સ્લીપ
ધાંગધ્રા તાલુકાના દુદાપુરા વાડી વિસ્તારમાં રહેતા બાબલાખાન (૨૯) નામનો યુવાન વાડીએથી ગામ તરફ જતો હતો ત્યારે રસ્તામાં તેનું બાઈક સ્લીપ થઈ ગયું હતું જેથી કરીને તેને જમણા હાથના ભાગે ઇજા થઇ હોવાથી ઇજા પામેલા યુવાનને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપીને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી સીટી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવ ધાંગધ્રા પોલીસ સ્ટેશનની હદમાં બનેલો હોવાથી ત્યાં બનાવની જાણ કરવા માટે કવાયત હાથ ધરી છે
અકસ્માતમાં ઇજા
મોરબીની અણીયારી ચોકડી પાસેથી ટ્રક લઈને કચ્છના અંજાર ખાતે માધવ સોજીસ્ટિક ખાતે રહેતા મોડુરામ (૨૭) નામનો યુવાન જઇ રહ્યો હતો ત્યારે વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો અને તેમાં મોડુરામને ઇજાઓ થઈ હતી જેથી તેને મોરબીના સનાડા રોડ ઉપર આવેલ નક્ષત્ર હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતાં પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની પ્રાથમિક તપાસ મહેશભાઈ કહાંગરા દ્વારા કરવામાં આવી હતી