ટંકારા સ્થાનકવાસી જૈન સંધ તથા સમસ્ત જૈન સમાજ દ્વારા ચૈત્રી આયંબિલ ઓળીની આરાધનાની પુર્ણાહૂતી
મોરબીની માધાપરવાડી શાળામાં વિદ્યાર્થિનીઓનો વિદાય સમારોહ યોજાયો
SHARE
મોરબીની માધાપરવાડી શાળામાં વિદ્યાર્થિનીઓનો વિદાય સમારોહ યોજાયો
મોરબીમાં આવેલ પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળામાં ધો. ૮ ની અઠ્ઠાવન બાળાઓનો વિદાય સમારોહ યોજાયો હતો આ સમારોહમાં ધો.૬ થી ૮ ની બાળાઓએ દેશભક્તિ, રાષ્ટ્રભકતિ, રાષ્ટ્રસેવા, દેશની એકતા અને અખંડિતતા દર્શાવતા સુંદર કાર્યક્રમો સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા,આ પ્રસંગે શાળાના પ્રિન્સિપાલ અને અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના અધ્યક્ષ દિનેશભાઈ વડસોલાએ તમામ વિદ્યાર્થીઓને શીખ આપતા જણાવ્યું હતું કે આપ સૌ આગળ અભ્યાસ કરજો, ખુબજ મહેનત કરી, હોશિયાર બની શાળાનું અને આપના પરિવારનું નામ રોશન કરજો, દિકરીઓ પર બે કુળને તરવાની જવાબદારી હોય એ જવાબદારી બરાબર નિભાવજો, વગેરે વાતો કરી હતી, બાળાઓએ પણ પોતાના આ શાળાના આઠ વર્ષના અનુભવો રજૂ કર્યા હતા. ધો.૮ ની તમામ બાળાઓ તરફથી વિદ્યાની દેવી સરસ્વતીજીની બેનમૂન મૂર્તિ શાળાને ભેટ સ્વરૂપે અર્પણ કરી હતી, આ શાળા તરફથી તમામ ૫૮ બાળાઓને સમૂહ તસ્વીર ભેટ આપી હતી









