વાંકાનેરમાં પાટીદાર સેવા સમાજ દ્વારા શરદોત્સવ ની ઉજવણી કરાઈ
SHARE
વાંકાનેરમાં પાટીદાર સેવા સમાજ દ્વારા શરદોત્સવ ની ઉજવણી કરાઈ
(કેતન ભટ્ટી દ્વારા) વાંકાનેરમાં પાટીદાર સેવા સમાજ દ્વારા શરદોત્સવની ઉજવણી કરવામાં આવતાં જ્ઞાાતિજનોએ ટ્રેડિશનલ પોશાકમાં સજ્જ થઈ રાસોત્સવની રમઝટ બોલાવી હતી, વિજેતાઓને ઈનામો અર્પણ કરવામાં આવ્યાં હતાં.
માં ઉમિયા માતાજીની પ્રતિમા સમક્ષ દીપ પ્રાગટય તથા આરતી કરી કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો, વાંકાનેરની પાટીદાર સેવા સમાજનાં પ્રમુખ તથા વાંકાનેર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી પ્રમુખ અગ્રણી ઉદ્યોગપતિ પ્રજ્ઞેશભાઈ પટેલ ના માર્ગદર્શન હેઠળ પટેલ સમાજ વાડી ખાતે શરદોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભૂલકાઓ, યુવાન ભાઈઓ, બહેનો અને વડીલોએ ટ્રેડિશનલ પોશાકમાં સજ્જ થઈ રાસ ગરબાની રમઝટ બોલાવી હતી, વિવિધ કેટેગરીમાં વિજેતા ખેલૈયાઓને સમાજનાં પ્રમુખ પ્રજ્ઞેશભાઈ પટેલ, જયંતિભાઈ પડસુંબીયા, જયંતિભાઈ રાણીપા, ડૉ. વિજય પટેલ તથા યુવા ટીમનાં અગ્રણી વિશાલભાઈ પટેલ,રાકેશ અઘારા ,પ્રકાશભાઈ વિડજા ,સાગરભાઈ પટેલ સહિતનાં અગ્રણીઓ હસ્તે ઈનામો અર્પણ કરવામાં આવ્યાં હતાં.