મોરબી જિલ્લાના સવાડી ગામે કર્મભૂમિનું ઋણ અદા કરતો લહેરૂ પરિવાર
મોરબીમાં મહામંડલેશ્વર સ્વામી જ્ઞાનાનંદજીની હાજરીમાં સંતસંગનું આયોજન
SHARE
મોરબીમાં મહામંડલેશ્વર સ્વામી જ્ઞાનાનંદજીની હાજરીમાં સંતસંગનું આયોજન
આગામી તા ૨૩ ના રોજ મહામંડલેશ્વર ગીતા મનીષી સ્વામી જ્ઞાનાનંદજી મહારાજ મોરબી આવી રહ્યા છે ત્યારે વિશ્વની સહુથી મોટી ગીતા લાયબ્રેરી, ગીતાજી ગુરુકુળ તથા આયુર્વેદ ઉપચાર કેન્દ્ર જ્યાં લાખો ગૌ માતા આશ્રય લઈ રહી છે વૈદીક યજ્ઞો અને સાધુ સંતોનો વિસામો આ ગીતાજ્ઞાન સંસ્થામાં થવા જઈ રહ્યો છે અને મોરબીના આંગણે આ સંતોનું આગમન થવા જઈ રહ્યું છે તો મોરબીની સેવાભાવી સંસ્થાઓ, દાનવીરો તેમજ મોરબીની જાહેર જનતાને સંતોના દર્શન તેમજ આશીર્વાદનો લાભ લેવા અનુરોધ કરાયો છે તા.૨૩ ને શનિવારે સવારે ૯થી ૧૦ શ્રીમતિ કૃતિકા આકાશ ઘડિયાળીના નિવાસ સ્થાને, શુભ ટાવર બીજો માળ, સરદારબાગની પાછળ, મોરબી (મો.૯૭૨૭૮ ૬૯૦૯૦) અથવા મોરબી પાલિકા ચેરમેન મનસુખભાઈ પ્રજાપતિ (મનુકાકા-૯૮૭૯૧ ૭૫૨૭૭)નો સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.