મોરબી મનપામાં મિલ્કત વેરો ન ભરનારા 37 આસામીઓની મિલ્કત સીલ મોરબીના કલ્સટર-4 માં સફાઈ સહિતના કામની વિઝિટ કરતાં નાયબ કમિશનર મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ અચાનક આગ લાગતા કાર બળીને ખાખ મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા બાળ સુરક્ષા સમિતિ તથા બાળ કલ્યાણ સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ મોરબીમાં આવેલ ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે ગુરુવારે બૌદ્ધિક સત્રનું આયોજન મોરબીના પાનેલી ગામે આવેલ આયુષ્યમાન આરોગ્ય મંદિર દ્વારા રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરાઇ વાંકાનેર–મીતાણા રોડ પર આસોઈ નદી પર મેજર બ્રિજનું નિર્માણ કાર્ય શરૂ: કેશરીદેવસિંહજી ઝાલાની સફળ રજૂઆત મોરબીના રિપેરિંગ કામ માટે 45 દિવસ સુધી બંધ રહેશે પાડાપુલ, 1.5 કરોડના ખર્ચે થશે સમારકામ: પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જેતાવત
Breaking news
Morbi Today

વાંકાનેરમાં ધારાસભ્યના કાર્યાલય, રામધન આશ્રમ, વાંકાનેર તાલુ પંચાયત અને ક્રાંતિજયોતમાં ગેમઝોનના દિવંગતોને શ્રધ્ધાંજલી


SHARE















વાંકાનેરમાં ધારાસભ્યના કાર્યાલય, રામધન આશ્રમ, વાંકાનેર તાલુકા પંચાયત અને ક્રાંતિજયોતમાં ગેમઝોનના દિવંગતોને શ્રધ્ધાંજલી

વાંકાનેર ધારાસભ્ય જીતુભાઈ સોમાણીની હાજરીમાં વાંકાનેર ખાતે રાજકોટ ટીઆરપી ગેમઝોનની દુર્ઘટનામાં જીવ ગુમાવનાર તમામ લોકોને અશ્રુભીની શ્રધ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી ત્યારે ભાજપના આગેવાનો, હોદેદારો અને કાર્યકરાઓ સહિત બહોળી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા અને દિવંગતોને શ્રધ્ધાંજલી પાઠવી હતી આવી જ રીતે મોરબીમાં આવેલ ક્રાંતિજ્યોત સોસાયટી (મહેન્દ્રનગર)માં રહેતા લોકો દ્વારા રાજકોટના ગેમઝોનમાં બનેલ ઘટનામાં અવસાન પામેલા લોકોને શ્રધ્ધાંજલિ આપવામાં આવી હતી ત્યારે દિપક અંદરપા, રમેશભાઈ, હસુભાઈ, મોહનભાઈ, મહેન્દ્રભાઈ, ભદ્રેશભાઈ સહિત બહોળી સંખ્યામાં સ્થાનિક લોકો હાજર રહ્યા હતા આવી જ રીતે વાંકાનેર તાલુકા પંચાયત ખાતે રાજકોટ ગેમઝોન દુર્ઘટનાના મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી અને મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામધન આશ્રમ ખાતે શ્રદ્ધાંજલિ સભા રાખવામા આવી હતી જેમાં રાજકોટ ગેમઝોનની દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના આત્માઓની શાંતિ અર્થે ધૂનનું આયોજન કરાયું હતું. જેમાં રામધન આશ્રમના મહંત ભાવેશ્વરી માતાજી તેમજ મોટી સંખ્યામાં ભક્તો હાજર રહ્યા હતા અને ત્યારે બે મિનિટનું મૌન પાળીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી તેવું મુકેશ ભગતે જણાવ્યુ છે






Latest News