મોરબીની ન્યુએરા ગ્લોબલ સ્કૂલના 35 બાળકો ઈન્ડિયાઝ ગ્રેટેસ્ટ ટેલેન્ટ શોમાં બન્યા ચેમ્પિયન
મોરબીના પરશુરામ ધામ ખાતે સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા કરાઓકે સંગીત સંધ્યા યોજાઇ
SHARE
મોરબીના પરશુરામ ધામ ખાતે સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા કરાઓકે સંગીત સંધ્યા યોજાઇ
મોરબી સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા કરાઓકે સંગીત સંધ્યાનું મોરબીના નવલખી રોડે આવેલ પરશુરામ ધામ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બ્રહ્મસમાજના 6 વર્ષથી લઈને વયોવૃધ્ધ વડિલો સુધીના સહુ કોઈએ ભાગ લીધેલ હતી અને તેના ગીત રજૂ કર્યા હતા. આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે ડો. પ્રેયષભાઈ પંડ્યા, ડો. આશિષભાઈ ત્રિવેદી, જગદીશભાઈ દવે તથા ડો બી.કે.લહેરું, નિરજભાઈ ભટ્ટ, ચિંતનભાઈ ભટ્ટ, નિમેષભાઈ અંતાણી, પરશુરામ યુવા ગૃપના પ્રમુખ જયદીપભાઈ મહેતા તથા તેની સમગ્ર ટીમ સહિતના અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. અને રેવાંશ રાવલ, મીરાં દવે, પ્રાપ્તિ જોશી, અનેરી ત્રિવેદી, જય પંડ્યા, હર્ષ પંડ્યા, નિશાંતભાઈ રાવલ, હાર્દિકભાઈ વ્યાસ, કેતનભાઈ જોશી, ફાલ્ગુનીબેન જોશી, શક્તિબેન ત્રિવેદી, નીતાબેન જોશી, પાયલબેન ભટ્ટ, આરતીબેન રાવલ દ્વારા ફિલ્મી, નોન- ફિલ્મી ગીતો રજૂ કરવામાં આવ્યા હતા. તેમજ સમસ્ત બ્રહ્મસમાજના પ્રમુખ રવીન્દ્રભાઈ ત્રિવેદી દ્વારા પણ સુંદર ગીતની પ્રસ્તુતિ કરવામાં આવી હતી અને કાર્યક્રમનું સંચાલન વિસ્મય ત્રિવેદી અને નીરવભાઈ રાવલ દ્વારા કરવામાં આવ્યું હતું.