મોરબીના પરશુરામ ધામ ખાતે સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા કરાઓકે સંગીત સંધ્યા યોજાઇ
મોરબીમાં રઘુવંશી યુવક મંડળ દ્વારા સરસ્વતી સન્માન સમારોહનું આયોજન
SHARE
મોરબીમાં રઘુવંશી યુવક મંડળ દ્વારા સરસ્વતી સન્માન સમારોહનું આયોજન
મોરબીમાં રઘુવંશી યુવક મંડળ દ્વારા સરસ્વતી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. અને દર વર્ષની જેમ આ વર્ષે આગામી તા 29/9 ના રોજ લોહાણા જ્ઞાતિના તેજસ્વી તારલાઓને સન્માનીત કરવામાં આવશે.
મોરબીમાં રઘુવંશી યુવક મંડળ દ્વારા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા લોહાણા વિદ્યાર્થી ભવન ખાતે સરસ્વતી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં ધો. 9 અને તેનાથી ઉપરના વિદ્યાર્થીઓને શીલ્ડ તથા સર્ટીફીકેટ આપવામાં આવશે અને વિવિધ ઇનામો આપીને પ્રોત્સાહિત કરવામાં આવશે. સંસાથના પ્રમુખ જયેશભાઈ કોટેચાએ જણાવ્યુ છે કે, આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે તથા ફોર્મ ભરવા માટેની છેલ્લી તા. 19/9 રાખવામાં આવેલ છે. અને ફોર્મ મેળવવા તથા પરત આપવા માટે મનોજ ઝેરોક્ષ (કુબેરનાથ મંદિર વાળી શેરી, મોરબી), દરીયાલાલ આલુ ભંડાર (નવાડેલા, રોડ મોરબી) અને કેવિન ગેસ એજન્સી (નવા બસસ્ટેશનની સામે, મોરબી) નો સંપર્ક કરવા જણાવ્યુ છે. આ સન્માન સમારોહ તા. 29/9 ને રવિવારના રોજ લોહાણા વિદ્યાર્થી ભવન, વસંત પ્લોટ, મોરબી ખાતે યોજાશે. તેવું પ્રમુખ જયેશભાઈ કોટેચા તથા પ્રોજેક્ટ ચેરમેન વિરેનભાઈ પૂજારાએ જણાવ્યુ છે.