મોરબીના જેતપર ગામે આમરણાંત ઉપવાસ કરી રહેલા નેહુલ અમૃતિયાની તબિયત લથડી, સોમવારે તમામ ઉપવાસીઓના પારણા કરાવવાનું એલાન, આંદોલન પાર્ટ 3 માટે થશે મોટી જાહેરત મોરબીમાં 13 વર્ષ પહેલાં તુલસીપાર્કમાં જમીન કબ્જા બાબતે નોંધાયેલ બે ફરિયાદમાં આરોપીની ધરપકડ, વૃદ્ધાને આપઘાત માટે દુષ્પ્રેરણાના ગુનામાં ત્રણ સામે કાર્યવાહી મોરબીમાં સોમવારથી ઓપન ગુજરાત અંડર-૧૪ જુનિયર ગર્લ્સ ફૂટબોલ ટુર્નામેન્ટનો પ્રારંભ, ૧૨ જિલ્લાની ટીમો વચ્ચે જામશે ટક્કર માળીયા (મી)માં પોલીસનું મેગા કોમ્બિંગ: 70 ધારદાર હથિયાર, 1 કટ્ટો, 3 એરગન અને મોટા પ્રમાણમાં ડુપ્લીકેટ સોનાના બિસ્કીટ કબજે: 1 પેરોલ જમ્પ અને 2 વોન્ટેડ આરોપી ઝડપાયા સરકારના પરિપત્રની સોશિયલ મીડિયામાંથી કોપી મળી, અભ્યાસ કરવાનો બાકી: જેતપર આંદોલન સમિતિ મોરબીના પીપળી ગામ નજીક ટ્રેક્ટરની હાઇડ્રોલિકની લારી માથે પડતા યુવાનનું મોત: જાંબુડીયા તળાવમાં ડૂબી જવાથી અજાણ્યા યુવાનનુ મોત સાવધાન: મોરબીમાં ખાનગી શાળાનું વાલીઓનું વ્હોટ્સએપ ગ્રુપ હેક કરીને મહિલાના સબંધીઓ પાસેથી 30 હજાર મેળવી લીધા, 10 લાખની ખંડણી માંગીને ભડાકે દેવાની ધમકી મોરબીની રવાપર ચોકડીએ પગપાળા જતા યુવાનને ટ્રક ચાલકે હડફેટે લેતા બંને પગના પંજામાં ટાંકા આવ્યા
Breaking news
Morbi Today

મોરબીમાં જીવનનો અંત આણવા નીકળેલી સગર્ભા મહિલાને 181 મહિલા હેલ્પલાઇનની ટીમે બચાવી


SHARE









મોરબીમાં આપઘાત કરવા નીકળેલી સગર્ભા મહિલાને 181 મહિલા હેલ્પલાઇનની ટીમે બચાવી

મોરબીમાં એક સજ્જન વ્યક્તિ દ્વારા 181 માં ફોન કરવામાં આવ્યો હતો કે, એક મહિલા અહીંયા રસ્તામાં ઉભા છે અને ઘરેથી નીકળી ગયેલ છે તેવું જણાવે છે અને આપઘાત કરવાનું જણાવે છે. જેથી કરીને 181 ટીમના કાઉન્સેલર સેજલ પટેલ, કોન્સ્ટેબલ જયશ્રીબેન, પાયલોટ પ્રદીપભાઈ તે મહિલા પાસે ગઈ હતી અને મહિલાને સાંત્વના આપી સરળતાપૂર્વક કાઉન્સલિંગ કર્યું હતું

ત્યારે મહિલાએ જણાવ્યુ હતું કે, તેના આ બીજા લગ્નને  એક વર્ષ થયેલ છે અને હાલ ચાર મહિનાનો ગર્ભ છે તેના પતિ ભેગા અલગ રહેતા હોય તેમના પતિ તેમને શારીરિક માનસિક ત્રાસ આપતા હોવાથી તેઓ ઘરેથી નીકળી ગયેલ છે. અને આપઘાતના વિચારો કરતા હતા ત્યારબાદ 181 ટીમ દ્વારા મહિલાને આશ્વાસન આપવામાં આવેલ તેમજ આવી રીતે ક્યારેય પણ આપઘાત ન કરવા અને ઘરેથી ન નીકળવા માટે સલાહ સુચન માર્ગદર્શન અને કાયદાકીય માહિતી આપવામાં આવી હતી.

ત્યારબાદ તેમના જણાવેલ સરનામે જઈ તેના પતિનું કાઉન્સિલિંગ કરતા  તેમના પતિએ જણાવેલ કે તેઓ તેમના પત્ની ભેગા અલગ રહેતા હોય તેમના પિતા ઓફ થઈ ગયેલ છે તેમના માતા એકલા હોય તેમના પત્ની તેમને તેમની માતા પાસે જવાની ના પડે છે. અને જાય તો તેમની જોડે ઝઘડો કરે છે. અને આપઘાત કરવાની ધમકી આપે છે જેથી કરીને દંપતીને સમજવ્યું હતું અને પતિને પત્નીનું ધ્યાન રાખવા માટે જણાવ્યુ હતું.






Latest News