મોરબીમાં વાવડી કન્યા શાળા ખાતે મેડિકલ કેમ્પ યોજ્યો મોરબીના બગથળા ગામે નકલંક મંદિરના મંહત દામજી ભગતના હસ્તે સેવા સેતુ કાર્યક્રમનો શુભારંભ મોરબીમાં તૂટી ગયેલો ઝુલતો પુલ ફરી પાછો બાંધવામાં આવે તેવી માંગ સાથે મુખ્યમંત્રીને કરાઈ રજૂઆત મોરબી સીરામીક એસો.ના આગેવાનો ધારાસભ્યની સાથે મુખ્યમંત્રી અને ઊર્જા મંત્રીને ગાંધીનગરમાં મળ્યા: સિરામિક ઉદ્યોગની સ્થિતિ વિશે કરી વિસ્તૃત ચર્ચા ઈરાન-ઇઝરાયલ યુદ્ધની અસર: મોરબીનો પોલીપેક ઉદ્યોગમાં વપરાતા પ્લાસ્ટિક દાણાના ભાવમાં પ્રતિ કિલોએ 50 ટકાથી વધુનો વધારો મોરબી જિલ્લા કક્ષાના મહિલા દિવસની ઉજવણી સાથે આજે મહિલા સંમેલન-સન્માન સમરોહ યોજાયો મોરબીમાં ભરણપોષણનો કેસ કરનાર પરણીતાના ઘરે જઈને પતિ સહિત બે વ્યક્તિઓએ માર મારીને આપી જાનથી મારી નાખવાની ધમકી હળવદના ઇંગોરાળા મયાપુર રોડ ઉપરથી 300 બિયરના ટીન ભરેલી કાર સાથે બે શખ્સ ઝડપાયા: 2.63 લાખનો મુદ્દામાલ કબ્જે
Breaking news
Morbi Today

મોરબીમાં પતિએ દિવાળી નજીક વતનમાં જવાનું કહેતા મહિલાએ અનંતની વાટ પકડી


SHARE













મોરબીમાં પતિએ દિવાળી નજીક વતનમાં જવાનું કહેતા મહિલાએ અનંતની વાટ પકડી

મોરબીના લાલપર ગામ પાસે આવેલ સોલો સિરામિકના લેબર ક્વાર્ટરની અંદર રહેતી અને મજૂરી કામ કરતી મહિલાએ પોતે પોતાની જાતે ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી તેના મૃતદેહને તે મહિલાનો પતિ મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યો હતો અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. અને મૃતક મહિલાને વતનમાં જવું હતું અને પતિએ દિવાળી નજીક આવે ત્યારે જવાનું કહ્યું હતું જે બાબતે તેને લાગી આવતા મહિલાએ અંતિમ પગલું ભર્યું હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.

જાણવા મળતી માહિતિ મુજબ મોરબી તાલુકાના લાલપર ગામ પાસે આવેલ સોલો સીરામીકના લેબર કવાર્ટરમાં રહેતા અને મજૂરી કામ કરતા કૈલાસબેન વનરાજભાઈ ચૌહાણ (26) નામની મહિલાએ ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી કરીને તેના મૃતદેહને તેના પતિ વનરાજભાઈ ચૌહાણ મોરબીની સરકારી હોસ્પિટલે લઈને આવ્યો હતો અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તે મહિલાને જોઈ તપાસીને મૃત જાહેર કર્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસણે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને વધુ તપાસ તાલુકા પોલીસ સ્ટેશનના વી.ડી. ખાચર ચલાવી રહ્યા છે તેઓની સાથે વાત કરતાં જાણવા મળ્યું હતું કે, મૃતક મહિલાનો લગ્ન ગાળો આઠ વર્ષનો છે અને તેને બે સંતાન છે મૃતક મહિલાને વતનમાં જવું હતું અને તેના પતિએ તેને દિવાળી નજીક આવે ત્યારે જવાનું કહ્યું હતું તે બાબતે બોલાચાલી થયેલ હતી અને ત્યાર બાદ મહિલાએ ગળાફાંસો ખાઈને આપઘાત કરેલ છે.




Latest News