હૈ તૈયાર હમ: મોરબી જિલ્લાના મતદાન મથકો ઉપર EVM સહિતની મશીનરી-સ્ટાફ રવાના, 225 મતદાન મથકો સંવેદનશીલ હળવદના ગોલસાણ ગામે ભત્રીજા-ભત્રીજીના લગ્ન પ્રસંગમાં સાળાના દીકરાને લેવા જઇ રહેલા યુવાનનું મોરબી નજીક માર્ગ અકસ્માતમાં મોત મોરબી મહાપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયત તેમજ પાલિકાની ચૂંટણી માટે કાલે મતદાન: ૮૫૭ મતદાન મથકો ઉપર સ્ટાફ-મશીનરીની આજે ફાળવણી માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાનને છરીના ઘા ઝીકયા ટંકારાના ઓટાળા નજીક કાર ચાલકે માલવાહક વાહનને હડફેટે લેટ બાળક સહિત 3 વ્યક્તિને ઇજા: હળવદમાં કાર ચાલકે સ્કૂટરને હડફેટે લેતા અકસ્માત ટંકારાના હડમતીયા ગામે મિત્રના લગ્ન પ્રસંગમાં ગયેલા યુવાનને જૂના ઝઘડાનો ખાર રાખીને મારી નાખવાની ધમકી મોરબીમાં ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા 3 શખ્સો પકડાયા મોરબીમાં ચૂંટણીના માહોલ વચ્ચે વિદેશી દારૂની જુદીજુદી ત્રણ રેડમાં 620 બોટલ દારૂ ઝડપાયો
Breaking news
Morbi Today

મોરબીમાં પતિએ દિવાળી નજીક વતનમાં જવાનું કહેતા મહિલાએ અનંતની વાટ પકડી


SHARE













મોરબીમાં પતિએ દિવાળી નજીક વતનમાં જવાનું કહેતા મહિલાએ અનંતની વાટ પકડી

મોરબીના લાલપર ગામ પાસે આવેલ સોલો સિરામિકના લેબર ક્વાર્ટરની અંદર રહેતી અને મજૂરી કામ કરતી મહિલાએ પોતે પોતાની જાતે ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી તેના મૃતદેહને તે મહિલાનો પતિ મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યો હતો અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. અને મૃતક મહિલાને વતનમાં જવું હતું અને પતિએ દિવાળી નજીક આવે ત્યારે જવાનું કહ્યું હતું જે બાબતે તેને લાગી આવતા મહિલાએ અંતિમ પગલું ભર્યું હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.

જાણવા મળતી માહિતિ મુજબ મોરબી તાલુકાના લાલપર ગામ પાસે આવેલ સોલો સીરામીકના લેબર કવાર્ટરમાં રહેતા અને મજૂરી કામ કરતા કૈલાસબેન વનરાજભાઈ ચૌહાણ (26) નામની મહિલાએ ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી કરીને તેના મૃતદેહને તેના પતિ વનરાજભાઈ ચૌહાણ મોરબીની સરકારી હોસ્પિટલે લઈને આવ્યો હતો અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તે મહિલાને જોઈ તપાસીને મૃત જાહેર કર્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસણે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને વધુ તપાસ તાલુકા પોલીસ સ્ટેશનના વી.ડી. ખાચર ચલાવી રહ્યા છે તેઓની સાથે વાત કરતાં જાણવા મળ્યું હતું કે, મૃતક મહિલાનો લગ્ન ગાળો આઠ વર્ષનો છે અને તેને બે સંતાન છે મૃતક મહિલાને વતનમાં જવું હતું અને તેના પતિએ તેને દિવાળી નજીક આવે ત્યારે જવાનું કહ્યું હતું તે બાબતે બોલાચાલી થયેલ હતી અને ત્યાર બાદ મહિલાએ ગળાફાંસો ખાઈને આપઘાત કરેલ છે.






Latest News