મોરબીના સામાકાંઠેથી સગીરાનું અપહરણ, ગુનો નોંધાયો મોરબીનો ૨વા૫૨થી ઘુનડા રોડ બનાવવાનું કામ તાત્કાલિક શરૂ કરવામાં ન આવે તો ઉપવાસ આંદોલન: લલિતભાઈ કાસુન્દ્રા મોરબીના કોમનમેન ફાઉન્ડેશન દ્વારા સારસ્વત સન્માન સમારોહ યોજાયો મોરબીમાં ગૌમાતાને કતલખાને જતી અટકાવવા મહા સહી ઝુંબેશનું આયોજન: નીલકંઠ વિદ્યાલય ખાતે સંતોની હાજરીમાં બેઠક યોજાઈ મોરબી જિલ્લો સાયન્સમાં 94.85 ટકા સાથે રાજ્યમાં પ્રથમ, સામન્ય પ્રવાહમાં 96.23 ટકા પરિણામ: વિદ્યાર્થીઓમાં હર્ષની લાગણી મોરબી જીલ્લામાં લગ્ન જીવનના ૫૦ વર્ષ કે પછી ઉમર ૭૫ વર્ષ થઈ હોય તેવા બ્રહ્મ સમાજના વડીલોનું કરાશે સન્માન મોરબીના મધુપુર ગામે મેલડીધામ ખાતે ખાતે રાજપૂત કરણી સેનાના દ્વારા ક્ષત્રિયા સમાજના ચૂંટાયેલા પ્રતિનિધિઓનું કરાયું સન્માન મોરબીની કોર્ટમાંથી અપહરણ, દુષ્કર્મ અને પોકસોના ગુનામાં આરોપીનો નિર્દોષ છુટકારો
Breaking news
Morbi Today

મોરબી સબ જેલમાંથી મળ્યા 40 માવા !: જેલરની બદલી


SHARE













મોરબી સબ જેલમાંથી મળ્યા 40 માવા !: જેલરની બદલી

મોરબીમાં આવેલ સબ જેલમાં જેલ આઈજી સ્ક્વોડ દ્વારા તપાસ કરવામાં આવી હતી. ત્યારે ત્યાંથી 40 માવા મળી આવ્યા હતા જેથી કરીને હાલમાં મોરબીની સબ જેલના જેલરની બદલી કરવામાં આવેલ છે અને નવા જેલર તરીકે એચ.એ.બાબરીયાને મૂકવામાં આવેલ છે.

ગુજરાતની જુદીજુદી જેલોમાં કેદીઓને ઘણી બધી સુવિધાઓ પ્રતિબંધિત વિસ્તાર હોવા છતાં પણ આપવામાં આવતી હોય છે તેમાં શંકાને કોઈ સ્થાન નથી. તેવામાં મોરબી સબ જેલમાં રાખવામા આવેલ કેદીઓને પણ સુવિધાઓ મળતી હોવાનું સામે આવ્યું છે જે અંગેની મળતી માહિતી મુજબ મોરબી સબ જેલમાં મળતી સુવિધાઓની ઉચ્ચ અધિકારી સુધી ફરિયાદ પહોચી હતી ત્યાર બાદ જેલ આઈજી સ્ક્વોડ દ્વારા મોરબીની સબ જેલમાં તપાસ કરવામાં આવી હતી. ત્યારે સબ જેલમાંથી 40 માવા મળી આવ્યા હતા જેથી કરીને મોરબી સબ જેલના જેલર સુજાનસિંહ ચુડાસમાની તાત્કાલિક બદલી કરાઇ છે અને હાલમાં રાજપીપળાથી એચ.એ.બાબરીયાને મોરબીની સબ જેલના નવા જેલર તરીકે મૂકવામાં આવેલ છે.






Latest News