મોરબી : પીજીવીસીએલ દ્વારા તા.૨૫ ના રોજ મોટી સંખ્યામાં ટીમો દ્વારા જોડાણ કાપવાની કામગીરી કરવામાં આવશે મોરબીમાં ૧.૯૫ કરોડના ખર્ચે ઓપન જીમ, જોગિંગ ટ્રેક, ચિલ્ડ્રન પ્લે એરિયા બનશે ડિજિટલ મોરબી : પાલિકા દ્વારા નગરજનોની ફરિયાદના ઝડપી નિકાલ માટે નંબર જાહેર કરાયા ટંકારાના હમીરપર ગામ પાસે બે કાર અથડાતા ઇજા પામેલા ચાર લોકોને સારવારમાં રાજકોટ ખસેડાયા મોરબીમાં બાઈક ઓવરટેક કરવા મુદે કરાયેલ જીવલેણ હુમલામાં એલસીબીએ બે ને દબોચ્યા મોરબી : આયુષ્યમાન આરોગ્ય મંદિર પાનેલી ખાતે ટી.બી. મૂક્ત ભારત અંતર્ગત એક્સ રે સ્ક્રીનિંગ કરવામાં આવ્યા બજેટ-૨૦૨૬ એ ગામડા, ગરીબ અને કિશાન, શિક્ષણ, આરોગ્ય, યુવાનો, મહિલાઓનું ઉત્કર્ષએ ગુજરાત સરકારનું કેન્દ્રબિંદુ ગણાવતાં સાંસદ વિનોદભાઈ ચાવડા મોરબીના રાજપર ગામ ખાતે પરમ પૂજ્ય સંતશ્રી નાથાબાપાની ૭મી પુણ્યતિથિ નિમિત્તે ૯ દિવસીય અખંડ શ્રી રામનામ જપ મહાયજ્ઞનું આયોજન
Breaking news
Morbi Today

મોરબીના માનસર અને માળિયાના ચીખલી ગામે જુદાજુદા બે બનાવમાં બે યુવાનના મોત


SHARE













મોરબીના માનસર અને માળિયાના ચીખલી ગામે જુદાજુદા બે બનાવમાં બે યુવાનના મોત

માળિયા મિયાણા તાલુકાના ચીખલી ગામે વાડીમાં રહીને મજૂરીકામ કરતાં યુવાનને ઝેરી જનાવર કરી જતા તેને સારવારમાં ખસેડવામાં આવ્યો હતો તેવી જ રીતે મોરબી તાલુકાના માનસર ગામ પાસે બાઈક સ્લીપ થતા અકસ્માતના બનાવમાં ઈજા પામેલ યુવાનને સારવારમાં લઈ ગયા હતા જે બંને યુવાનોના સારવાર દરમિયાન મોત નિપજ્યા છે જેથી કરીને સ્થાનિક પોલીસે આ બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી વિગત પ્રમાણે માળિયા મીયાણા તાલુકાના ચીખલી ગામે શાંતિલાલની વાડીએ રહીને મજૂરી કામ કરતા લીલાસિંગ ગુલિયાભાઈ નાયક (32) નામનો યુવાન વાડી હતો ત્યારે તેને કોઈ ઝેરી જનાવર કરડી ગયું હતું જેથી કરીને તેને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને સારવાર દરમિયાન તે યુવાનનું મોત નિપજ્યુ હતું જેથી કરીને આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે માળિયા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે જ્યારે મૂળ એમપીના રહેવાસી અને હાલમાં મોરબી તાલુકાના માનસર ગામે મગનભાઈ મેરજાની વાડીએ રહીને મજૂરીકામ કરતા મડીયાભાઈ હુકુમભાઈ દાવર (45) નામનો યુવાન બાઈક લઈને ગામ નજીક આવેલ સ્મશાન પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે બાઈક સ્લીપ થયુ હતું અને અકસ્માત થયો હતો જે બનાવમાં તે યુવાનને ઈજા થતા પ્રથમ સારવાર માટે મોરબીને ત્યાંથી વધુ સારવાર માટે તેના વતનમાં લઈ ગયા હતા અને ત્યાં ચાલુ સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યુ હતું જે અકસ્માત મૃત્યુના બનાવની મૃતક ના દીકરા અર્જુન મડીયાભાઈ દાવર (24) રહે હાલ માનસર વાળાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરી છે

વરલી જુગાર
વાંકાનેરના સિંધાવદર દરવાજા પાસે બેન્ક નજીક જાહેરમાં વરલી જુગારના આંકડા લેતા હતા ત્યારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી તે સમયે મનોજ શાંતિલાલ વાજા (33) રહે. સીટી સ્ટેશન રોડ અમરસિંહ હાઈસ્કૂલ પાસે વાંકાનેર વાળો વરલી જુગારના આંકડા લેતા મળી આવ્યો હોય પોલીસે તેની પાસેથી 280 ની રોકડ કબજે કરી હતી અને વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે








Latest News