મોરબીના સામાકાંઠેથી સગીરાનું અપહરણ, ગુનો નોંધાયો મોરબીનો ૨વા૫૨થી ઘુનડા રોડ બનાવવાનું કામ તાત્કાલિક શરૂ કરવામાં ન આવે તો ઉપવાસ આંદોલન: લલિતભાઈ કાસુન્દ્રા મોરબીના કોમનમેન ફાઉન્ડેશન દ્વારા સારસ્વત સન્માન સમારોહ યોજાયો મોરબીમાં ગૌમાતાને કતલખાને જતી અટકાવવા મહા સહી ઝુંબેશનું આયોજન: નીલકંઠ વિદ્યાલય ખાતે સંતોની હાજરીમાં બેઠક યોજાઈ મોરબી જિલ્લો સાયન્સમાં 94.85 ટકા સાથે રાજ્યમાં પ્રથમ, સામન્ય પ્રવાહમાં 96.23 ટકા પરિણામ: વિદ્યાર્થીઓમાં હર્ષની લાગણી મોરબી જીલ્લામાં લગ્ન જીવનના ૫૦ વર્ષ કે પછી ઉમર ૭૫ વર્ષ થઈ હોય તેવા બ્રહ્મ સમાજના વડીલોનું કરાશે સન્માન મોરબીના મધુપુર ગામે મેલડીધામ ખાતે ખાતે રાજપૂત કરણી સેનાના દ્વારા ક્ષત્રિયા સમાજના ચૂંટાયેલા પ્રતિનિધિઓનું કરાયું સન્માન મોરબીની કોર્ટમાંથી અપહરણ, દુષ્કર્મ અને પોકસોના ગુનામાં આરોપીનો નિર્દોષ છુટકારો
Breaking news
Morbi Today

ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા મોરબીમાં પ્રથમ વિશ્વ ધ્યાન દિવસની ઉજવણી કરાઈ


SHARE













ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા મોરબીમાં પ્રથમ વિશ્વ ધ્યાન દિવસની ઉજવણી કરાઈ

સમગ્ર દેશમાં ૨૧ ડિસેમ્બરની પ્રથમ વખત વિશ્વ ધ્યાન દિવસની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે આ ઉજવણીમાં મોરબીમાં ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા અને દુર્લભજીભાઈ દેથરીયા હાજર રહ્યા હતા અને આ પ્રસંગે મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ભારતની સંસ્કૃતિને વિશ્વ ક્ષેત્રે ઉજાગર કરી છે. તેમના પ્રયાસોથી ભારત વિશ્વના નકશામાં ઉભરી આવ્યું છે. તો ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાએ કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ યોગને વિશેષ મહત્વ આપ્યું જે વિશ્વના અનેક દેશોએ સ્વીકાર્યું છે અને ભારતીય સંસ્કૃતિનું મહત્વનું અંગ એવા ધ્યાનને પણ વિશ્વએ સ્વીકાર્યું છે જે આપણાં માટે ગર્વની વાત છે. અને મોરબીમાં આવેલ શ્રી શ્રી હોલ ખાતે વિશ્વ ધ્યાન દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં મોરબી શહેર અને જિલ્લામાંથી અનેક ધ્યાન સાધકોએ ઉપસ્થિત રહી ધ્યાન ધર્યું હતું.






Latest News