મોરબીના સામાકાંઠેથી સગીરાનું અપહરણ, ગુનો નોંધાયો મોરબીનો ૨વા૫૨થી ઘુનડા રોડ બનાવવાનું કામ તાત્કાલિક શરૂ કરવામાં ન આવે તો ઉપવાસ આંદોલન: લલિતભાઈ કાસુન્દ્રા મોરબીના કોમનમેન ફાઉન્ડેશન દ્વારા સારસ્વત સન્માન સમારોહ યોજાયો મોરબીમાં ગૌમાતાને કતલખાને જતી અટકાવવા મહા સહી ઝુંબેશનું આયોજન: નીલકંઠ વિદ્યાલય ખાતે સંતોની હાજરીમાં બેઠક યોજાઈ મોરબી જિલ્લો સાયન્સમાં 94.85 ટકા સાથે રાજ્યમાં પ્રથમ, સામન્ય પ્રવાહમાં 96.23 ટકા પરિણામ: વિદ્યાર્થીઓમાં હર્ષની લાગણી મોરબી જીલ્લામાં લગ્ન જીવનના ૫૦ વર્ષ કે પછી ઉમર ૭૫ વર્ષ થઈ હોય તેવા બ્રહ્મ સમાજના વડીલોનું કરાશે સન્માન મોરબીના મધુપુર ગામે મેલડીધામ ખાતે ખાતે રાજપૂત કરણી સેનાના દ્વારા ક્ષત્રિયા સમાજના ચૂંટાયેલા પ્રતિનિધિઓનું કરાયું સન્માન મોરબીની કોર્ટમાંથી અપહરણ, દુષ્કર્મ અને પોકસોના ગુનામાં આરોપીનો નિર્દોષ છુટકારો
Breaking news
Morbi Today

મોરબીમાં ઝાલાવાડ કડવા પાટીદાર કેળવણી મંડળનો સ્નેહ મિલન-વિદ્યાર્થી સન્માનનો કાર્યક્રમ યોજાયો, નવા પ્રમુખ મહેશભાઇ ભોરણિયા


SHARE













મોરબીમાં ઝાલાવાડ કડવા પાટીદાર કેળવણી મંડળનો સ્નેહ મિલન-વિદ્યાર્થી સન્માનનો કાર્યક્રમ યોજાયો, નવા પ્રમુખ મહેશભાઇ ભોરણિયા

મોરબીમાં શ્રી ઝાલાવાડ કડવા પાટીદાર કેળવણી મંડળનો ૨૨ મો સ્નેહ મિલન સંમેલનનો કાર્યક્રમ તાજેતરમાં કલાસીક પાર્ટી પ્લોટ ખાતે યોજાયો હતો અને ત્યારે બાળકો માટે જુદીજુદી રમતગમતની હરીફાઈનું પણ આયોજન કરવામાં આવ્યું હતું અને રાજકોટના સાંસદ પરસોત્તમભાઇ રૂપાલાની હાજરીમાં આ કાર્યક્રમ યોજાયો હતો ત્યારે પાટીદાર સમાજના આગેવાન ગોવિંદભાઈ વરમોરા તેમજ જયંતીભાઈ કવાડીયા, ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, દુર્લભજીભાઈ દેથરિયા તથા પ્રકાશભાઈ વરમોરા સહિતના હાજર રહ્યા હતા તે ઉપરાંત કન્યા છાત્રાલય સુરેન્દ્રનગરના પ્રમુખ કાનજીભાઈ પટેલ, ઉમાસંકુલ ધ્રાંગધ્રાના પ્રમુખ મુકેશભાઈ પટેલ, ઉમાસંકુલ માલવણના પ્રમુખ શિવલાલભાઈ પટેલ, ઝાલાવાડ ખાખરીયા સમાજ રાજકોટના પ્રમુખ અમિતભાઈ પારેજીયા, લખતર ઉમાધામના પ્રમુખ હસમુખભાઈ હાડી તથા સમૂહ લગ્ન સમિતિ મોરબીના પ્રમુખ મનુભાઈ કૈલા હાજર રહ્યા હતાં. તેમજ અગ્રણી બિલ્ડર પરેશભાઈ પટેલ, જીવરાજભાઈ ફૂલતરીયા, ગણેશભાઈ મેથાણીયા, અનિલભાઈ વરમોરા, મનોજભાઈ એરવાડિયા તથા ઝાલાવાડ સમાજના પૂર્વ પ્રમુખો હાજર રહ્યા હતાં. તેઓના હસ્તે ધો. 1 થી પીએચડી. સુધીનાં તેજસ્વી તારલાઓને સન્માનીત કરવામાં આવ્યા હતા અને ઝાલાવાડ સમાજના પ્રમુખ પ્રકાશભાઈ કાચરોલાની ટર્મ પૂરી થતાં તેમનું સન્માન કરી વિદાય આપવામાં આવી હતી અને નવા પ્રમુખ તરીકે મહેશભાઈ ભોરણિયા તથા ઉપપ્રમુખ તરીકે ભરતભાઈ નાયકપરાની નિમણૂક કરી સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમના ભોજન દાતા પરષોતમભાઈ વરમોરા (વરમોરા ગ્રુપ) તથા મહેશભાઈ ભોરણીયા (કૂશ ટ્રેડર્સ)નું સન્માન કરવામાં આવ્યું હતું






Latest News