મોરબીના સામાકાંઠેથી સગીરાનું અપહરણ, ગુનો નોંધાયો મોરબીનો ૨વા૫૨થી ઘુનડા રોડ બનાવવાનું કામ તાત્કાલિક શરૂ કરવામાં ન આવે તો ઉપવાસ આંદોલન: લલિતભાઈ કાસુન્દ્રા મોરબીના કોમનમેન ફાઉન્ડેશન દ્વારા સારસ્વત સન્માન સમારોહ યોજાયો મોરબીમાં ગૌમાતાને કતલખાને જતી અટકાવવા મહા સહી ઝુંબેશનું આયોજન: નીલકંઠ વિદ્યાલય ખાતે સંતોની હાજરીમાં બેઠક યોજાઈ મોરબી જિલ્લો સાયન્સમાં 94.85 ટકા સાથે રાજ્યમાં પ્રથમ, સામન્ય પ્રવાહમાં 96.23 ટકા પરિણામ: વિદ્યાર્થીઓમાં હર્ષની લાગણી મોરબી જીલ્લામાં લગ્ન જીવનના ૫૦ વર્ષ કે પછી ઉમર ૭૫ વર્ષ થઈ હોય તેવા બ્રહ્મ સમાજના વડીલોનું કરાશે સન્માન મોરબીના મધુપુર ગામે મેલડીધામ ખાતે ખાતે રાજપૂત કરણી સેનાના દ્વારા ક્ષત્રિયા સમાજના ચૂંટાયેલા પ્રતિનિધિઓનું કરાયું સન્માન મોરબીની કોર્ટમાંથી અપહરણ, દુષ્કર્મ અને પોકસોના ગુનામાં આરોપીનો નિર્દોષ છુટકારો
Breaking news
Morbi Today

મોરબીમાં બગથળા સોશિયલ ગ્રુપ દ્વારા સરસ્વતી સન્માન-સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન


SHARE













મોરબીમાં બગથળા સોશિયલ ગ્રુપ દ્વારા સરસ્વતી સન્માન-સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન

મોરબીમાં બગથળા સોશિયલ ગ્રુપ દ્વારા દર વર્ષે સરસ્વતી સન્માન અને સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરે છે તેવી જ રીતે આગામી તા. 29 ડિસેમ્બરને રવિવારના રોજ બપોરે 3:30 કલાકે સ્નેહમિલન, સન્માન સમારોહ અને સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

મોરબીમાં બગથળા સોશિયલ ગ્રુપના પ્રમુખ કિશોરભાઈ મેરજાએ જણાવ્યુ હતું કે, મોરબીના એસપી રોડ પર આવેલા પ્રભુ રત્ન પાર્ટી પ્લોટ ખાતે બગથળા સોશિયલ ગ્રુપ દ્વારા 27 મો સરસ્વતી સન્માન સમારોહ તેમજ સ્નેહ મિલન અને સાંસ્કૃતિક કાર્યક્રમ રાખવામા આવેલ છે આ કાર્યક્રમનું ઉદઘાટન નકલંક મંદિર બગથળાના મહંત દામજી ભગતના હસ્તે કરવામાં આવશે. અને 2:30 થી 3:30 ની વચ્ચે જે દંપતીઓ આવશે તેઓને સરપ્રાઈઝ ગિફ્ટ આપવામાં આવશે તેવું પણ આયોજન કરવામાં આવ્યું છે અને આ કાર્યક્રમમાં જુદાજુદા સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેથી કરીને મોરબીમાં રહેતા બગથળાના તમામ જ્ઞાતિના સભ્યોએ આવવા માટે પ્રમુખ સહિતની ટીમે આમંત્રણ આપેલ છે. 






Latest News