મોરબીમાં ધારાસભ્ય-કમિશ્નરની હાજરીમાં આઇકોનિક રોડ ડેવલોપમેન્ટના કામનું ખાતમુહુર્ત કરાયું
મોરબીના ગોર ખીજડીયા ગામે રામદેવ કથામાં શનિવારે રાતે સંતવાણીનું આયોજન
SHARE
મોરબીના ગોર ખીજડીયા ગામે રામદેવ કથામાં શનિવારે રાતે સંતવાણીનું આયોજન
મોરબીના ગોરખીજડીયાની અલખધણી ગૌશાળામાં રામદેવ રામાયણ કથાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં શનિવારે સંતવાણીનું આયોજન કરવામાં આવ્યું છે.
મોરબી તાલુકાનાં ગોર ખીજડીયા ગામે આવેલી અલખધણી ગૌશાળામાં રામદેવ રામાયણ કથાનું આયોજન કરવામાં આવ્યું છે અને અલખધણી ગૌશાળા ચેરિટેબલ ટ્રસ્ટ 15 માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યું છે ત્યારે આ કથાનું આયોજન કર્યું છે અને કથા દરરોજ સવારે 9:00 થી 11:30 અને બપોરે 2:30 થી 5:00 વાગ્યા સુધી ચાલી રહી છે અને વ્યાસપીઠ ઉપરથી વક્તા સંત રત્નેશ્વરી દેવી (રામધન આશ્રમ) શ્રોતાઓને કથાનું રસપાન કરાવી રહ્યા છે ત્યારે તા.11 જાન્યુઆરીને શનિવારે રાતે સંતવાણીનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ભજન આરાધક મિલન પટેલ અને રીંકલ પરમાર ધૂન-ભજનની રમઝટ બોલાવશે. આ કાર્યક્રમમાં આવવા માટે આયોજકોએ આમંત્રણ આપેલ છે.