વાંકાનેરમાં પ્રેમજાળમાંથી યુવતીને બહાર લાવી પરિવાર સાથે પુન: મિલન કરાવતી બીપીએસસી વાંકાનેરના ખખાણા ગામે જૂની બોલાચાલીની ખાર રાખીને બે મહિલા ઉપર 4 શખ્સોએ કર્યો ધોકા-પાઇપથી હુમલો મોરબી નજીક કારખાનાના કવાર્ટરમાં ઝેરી સાપ કરડી જતાં યુવાનનું મોત મોરબીના જુના સાદૂળકા ગામ નજીક કારખાના પાસેથી બાઈકની ચોરી મોરબીમાં ઘરેથી દુકાને વસ્તુ લેવા ગયેલ સગીરાનું અપહરણ વાંકાનેરમાં ઉંદર પકડવાની પ્રતિબંધિત ગ્લુ ટ્રેપનું વેચાણ કરતાં વેપારી ઝડપાયો રાજસ્થાનની જેમ ગુજરાત સરકાર ચાર ગણું વળતર નહીં ચૂકવે તો ખેતરમાં થાંભલા ઉભા કરવા નહીં દઈએ: જેતપર ગામેથી ખેડૂતોની ખુલ્લી ચેતવણી મોરબીના ઊંચી માંડલ નજીક કારખાનામાં લાદી ઉપાડતા સમયે ચક્કર આવતા પડી જવાથી યુવાનનું મોત
Breaking news
Morbi Today

માળીયા (મી) તાલુકાના 9 ગામના તળાવો 2.39 કરોડના ખર્ચે કરાશે લિન્ક: ખેતી-પશુપાલનને થશે મોટો ફાયદો


SHARE







માળીયા (મી) તાલુકાના 9 ગામના તળાવો 2.39 કરોડના ખર્ચે કરાશે લિન્ક: ખેતી-પશુપાલનને થશે મોટો ફાયદો

માળીયા તાલુકામાં 2.39 કરોડના ખર્ચે વિવિધ 9 ગામોના તળાવો લિન્ક કરવાના કામો મંજુર થયેલ છે જેથી કરીને આ ગામમાં સિંચાઈથી ખેતીને તથા પશુપાલન વ્યવસાયને ફાયદો થશે અને

મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાસિંચાઈ વિહોણા માળિયા તાલુકાના ગામોને પાણી પુરુ પાડવાની સરકારમાં રજૂઆતો કરી હતી તેને ધ્યાને લઈને સરકારે કામ મંજૂર કરેલ છે જેથી કરીને કાંતિભાઈ અમૃતિયાની મહેનત રંગ લાવી છે અને તેમની પાસેથી મળેલ માહિતી મુજબ માળિયા તાલુકામાં કુલ 2.30 કરોડના ખર્ચે જુદાજુદા વિકાસ કામો કરવામાં આવશે જેમાં જસાપર, નાની બરાર, જાજાસર અને દેવગઢના તળાવો લિંક કરવા 40.66 લાખ, ધરમનગર થી રાસંગપર તળાવને લીંક કરવા રૂપિયા 99.92 લાખ, નવાગામ થી ધરમનગર તળાવને લીંક કરવાનું કામ 70.51 લાખ તથા મહેન્દ્રગઢ અને સરવડ ગામના તળાવો લિંક કરવાના 18.95 લાખ મંજૂર કરવામાં આવેલ છે અને આ કામોને સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવેલ છે. આ તળાવો લિંક થવાથી સિંચાઈનું પાણી મળવાથી ખેતીને તેમજ પશુપાલન વ્યવસાયને ફાયદો થશે જેથી કરીને ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ આ નિર્ણય માટે સરકારનો આભર વ્યક્ત કરેલ છે અને તેઓની રજૂઆતનું હકારાત્મક પરિણામ આવવાથી 9 ગામના ખેડૂતો-પશુપાલકો સહિતના લોકોમાં આનંદ વ્યાપી ગયો છે.






Latest News