મોરબીના માળિયા ફાટક પાસે અજાણ્યા વાહન ચાલકે માથુ છુંદી નાખતા યુવાનનું કમકમાટાભર્યુ મોત
માળીયા (મી) તાલુકાના 9 ગામના તળાવો 2.39 કરોડના ખર્ચે કરાશે લિન્ક: ખેતી-પશુપાલનને થશે મોટો ફાયદો
SHARE
માળીયા (મી) તાલુકાના 9 ગામના તળાવો 2.39 કરોડના ખર્ચે કરાશે લિન્ક: ખેતી-પશુપાલનને થશે મોટો ફાયદો
માળીયા તાલુકામાં 2.39 કરોડના ખર્ચે વિવિધ 9 ગામોના તળાવો લિન્ક કરવાના કામો મંજુર થયેલ છે જેથી કરીને આ ગામમાં સિંચાઈથી ખેતીને તથા પશુપાલન વ્યવસાયને ફાયદો થશે અને
મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ સિંચાઈ વિહોણા માળિયા તાલુકાના ગામોને પાણી પુરુ પાડવાની સરકારમાં રજૂઆતો કરી હતી તેને ધ્યાને લઈને સરકારે કામ મંજૂર કરેલ છે જેથી કરીને કાંતિભાઈ અમૃતિયાની મહેનત રંગ લાવી છે અને તેમની પાસેથી મળેલ માહિતી મુજબ માળિયા તાલુકામાં કુલ 2.30 કરોડના ખર્ચે જુદાજુદા વિકાસ કામો કરવામાં આવશે જેમાં જસાપર, નાની બરાર, જાજાસર અને દેવગઢના તળાવો લિંક કરવા 40.66 લાખ, ધરમનગર થી રાસંગપર તળાવને લીંક કરવા રૂપિયા 99.92 લાખ, નવાગામ થી ધરમનગર તળાવને લીંક કરવાનું કામ 70.51 લાખ તથા મહેન્દ્રગઢ અને સરવડ ગામના તળાવો લિંક કરવાના 18.95 લાખ મંજૂર કરવામાં આવેલ છે અને આ કામોને સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવેલ છે. આ તળાવો લિંક થવાથી સિંચાઈનું પાણી મળવાથી ખેતીને તેમજ પશુપાલન વ્યવસાયને ફાયદો થશે જેથી કરીને ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ આ નિર્ણય માટે સરકારનો આભર વ્યક્ત કરેલ છે અને તેઓની રજૂઆતનું હકારાત્મક પરિણામ આવવાથી 9 ગામના ખેડૂતો-પશુપાલકો સહિતના લોકોમાં આનંદ વ્યાપી ગયો છે.