શ્રાવણ માસમાં મોરબી જીલ્લામાં આવેલ જડેશ્વર મહાદેવ મંદિરે દેશભરના ભક્તો લે છે શિવજીના દર્શન, પૂજન અને પ્રસાદનો લાભ ચોટીલાના ચિરોડાથી મોરબી આવતો 1.20 લાખનો દારૂ વાંકાનેર પાસે ઝડપાયો: 6.25 લાખના મુદામાલ સાથે 1 ની ધરપકડ, મહિલા સહિત 2 ની શોધખોળ હળવદમાં વાડીએ પાળો બનાવવા મુદે શેડા પાડોશી ખેડૂતના પરિવાર વચ્ચે મારામારી: હવે સામસામે ફરિયાદ મોરબી શહેર અને તાલુકા વિસ્તારમાં જુગારની બે રેડ 10 શખ્સ 1.24 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા: એકની શોધખોળ મોરબીના બંધુનગર ગામેથી કહ્યા વગર પરણીતા ગુમ વાંકાનેરના મેસરિયાથી ભલગામડા જતા રસ્તા ઉપર જુગાર રમતા 5 શખ્સ પકડાયા મોરબીનો 100 ટકા વિકાસ પૂર્ણ થઈ ગયો છે !, મેયરે ઓગસ્ટ માહિનામાં સામાન્ય સભાની બેઠક કેમ ન બોલાવી ?: કોર્પોરેટરોમાં ગણગણાટ મોરબીનાં બોની પાર્કમાં છાતીમાં દુ:ખાવો થયા બાદ મહિલાનું મોત
Breaking news
Morbi Today

માળીયા (મી) તાલુકાના 9 ગામના તળાવો 2.39 કરોડના ખર્ચે કરાશે લિન્ક: ખેતી-પશુપાલનને થશે મોટો ફાયદો


SHARE





માળીયા (મી) તાલુકાના 9 ગામના તળાવો 2.39 કરોડના ખર્ચે કરાશે લિન્ક: ખેતી-પશુપાલનને થશે મોટો ફાયદો

માળીયા તાલુકામાં 2.39 કરોડના ખર્ચે વિવિધ 9 ગામોના તળાવો લિન્ક કરવાના કામો મંજુર થયેલ છે જેથી કરીને આ ગામમાં સિંચાઈથી ખેતીને તથા પશુપાલન વ્યવસાયને ફાયદો થશે અને

મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાસિંચાઈ વિહોણા માળિયા તાલુકાના ગામોને પાણી પુરુ પાડવાની સરકારમાં રજૂઆતો કરી હતી તેને ધ્યાને લઈને સરકારે કામ મંજૂર કરેલ છે જેથી કરીને કાંતિભાઈ અમૃતિયાની મહેનત રંગ લાવી છે અને તેમની પાસેથી મળેલ માહિતી મુજબ માળિયા તાલુકામાં કુલ 2.30 કરોડના ખર્ચે જુદાજુદા વિકાસ કામો કરવામાં આવશે જેમાં જસાપર, નાની બરાર, જાજાસર અને દેવગઢના તળાવો લિંક કરવા 40.66 લાખ, ધરમનગર થી રાસંગપર તળાવને લીંક કરવા રૂપિયા 99.92 લાખ, નવાગામ થી ધરમનગર તળાવને લીંક કરવાનું કામ 70.51 લાખ તથા મહેન્દ્રગઢ અને સરવડ ગામના તળાવો લિંક કરવાના 18.95 લાખ મંજૂર કરવામાં આવેલ છે અને આ કામોને સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવેલ છે. આ તળાવો લિંક થવાથી સિંચાઈનું પાણી મળવાથી ખેતીને તેમજ પશુપાલન વ્યવસાયને ફાયદો થશે જેથી કરીને ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ આ નિર્ણય માટે સરકારનો આભર વ્યક્ત કરેલ છે અને તેઓની રજૂઆતનું હકારાત્મક પરિણામ આવવાથી 9 ગામના ખેડૂતો-પશુપાલકો સહિતના લોકોમાં આનંદ વ્યાપી ગયો છે.




Latest News