ઐતિહાસિક ચુકાદો: મોરબીની કોર્ટે ચેક રિટર્ન કેસમાં આરોપીને બે વર્ષની સજા અને દંડ ફટકાર્યો વાંકાનેર તાલુકામાં ખનીજ માફિયા સામે પોલીસની કાર્યવાહી: 1.20 કરોડનો મુદામાલ કબ્જે મોરબી નજીકથી 288 બોટલ દારૂ-144 બીયરના ટીન ભરેલ અર્ટિકા પકડાઈ, 7.65 લાખનો મુદામાલ કબ્જે: આરોપી ફરાર મોરબી જીલ્લામાં ખેડૂતને આપવામાં આવેલ નોટીસો પાછી ખેંચવામાં નહિ આવે તો કલેક્ટર કચેરી બંધ કરવાની મહેશ રાજકોટીયાની ચીમકી કચ્છ લોકસભા પરિવાર સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટમાં જુદીજુદી 12 ટીમો વચ્ચે 6 મેચ રમાઈ મોરબી તાલુકા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે ફિલ્મી સ્ટોરીને ટક્કર મારે તેવી રિયલ સ્ટોરી: વાંકાનેર નજીક પરિણીતાએ પ્રેમી અને માતા સાથે મળીને પતિની હત્યા કરીને લાશ સળગાવી દીધી હળવદ તાલુકામાં બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરનારા આરોપીને કોર્ટે ફટકારી 20 વર્ષની સખ્ત કેદની સજા
Breaking news
Morbi Today

મોરબીના રાજપર નજીક બે બાઇક અથડાતાં ઇજા પામેલા ચાર યુવાન સારવારમાં


SHARE













મોરબીના રાજપર નજીક બે બાઇક અથડાતાં ઇજા પામેલા ચાર યુવાન સારવારમાં

મોરબી તાલુકાના રાજપર ગામ પાસે આવેલ રામદેવપીરના મંદિર પાસે બે બાઈક સામસામે અથડાયા હતા જેથી અકસ્માતનો બનાવ બન્યો હતો અને અકસ્માતના બનાવમાં કુલ મળીને ચાર યુવાનોને ઈજા થઈ હોવાથી ઇજા પામેલા ચારેય યુવાનોને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી

જાણવા મળતી માહિતિ પ્રમાણે મોરબી તાલુકાના રાજપર ગામ પાસે આવેલ રામદેવપીરના મંદિર પાસે બે બાઈક સામસામે અથડાતા અકસ્માતનો બનાવ બન્યો હતો અને અકસ્માતના બનાવમાં થોરાળા ગામે રહેતા મહેશભાઈ માવજીભાઈ પરમાર (23) અને રજનીકાંત માવજીભાઈ પરમાર (27) તથા ખાનપર ગામે રહેતા ચેતન લાલજીભાઈ પરમાર (22) અને ધીરજ લાલજીભાઈ પરમાર (20) નામના ચાર યુવાનોને ઈજા થઈ હતી જેથી તે તમામને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેઓને સારવાર આપવામાં આવ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ કરી હતી

અકસ્માતમાં ઇજા

મોરબી તાલુકાના ઘૂટું ગામે રહેતા સુભાષભાઈ આનંદભાઈ પંડ્યા (65) નામના વૃદ્ધ લાલપર ગામ પાસે હતા ત્યારે ત્યાં વાહન અકસ્માતનો બનાવ બનેલ હતો જેમાં તેને ઇજા થયેલ હોવાથી તેને   સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી

મારા મારીમાં ઇજા

મોરબીમાં આવેલ મધુવન સોસાયટીમાં રહેતા સત્યજીત ગોવિંદભાઈ મંડલ (36) નામના યુવાનને લાલબાગમાં આવેલ કોર્ટ નજીક મારામારીના બનાવમાં ઈજા થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને વધુમાં મળતી વિગત પ્રમાણે અમુક લોકો ત્યાં ઝઘડો કરતા હતા તેને યુવાન ટપારવા ગયો હતો અને ત્યારે તેને લાકડી વડે માથામાં અને હાથ ઉપર માર મરીને ઈજા કરવામાં આવી હતી જેથી કરીને યુવાનને સારવારમાં ખસેડાવ્યો હતો






Latest News