ઐતિહાસિક ચુકાદો: મોરબીની કોર્ટે ચેક રિટર્ન કેસમાં આરોપીને બે વર્ષની સજા અને દંડ ફટકાર્યો વાંકાનેર તાલુકામાં ખનીજ માફિયા સામે પોલીસની કાર્યવાહી: 1.20 કરોડનો મુદામાલ કબ્જે મોરબી નજીકથી 288 બોટલ દારૂ-144 બીયરના ટીન ભરેલ અર્ટિકા પકડાઈ, 7.65 લાખનો મુદામાલ કબ્જે: આરોપી ફરાર મોરબી જીલ્લામાં ખેડૂતને આપવામાં આવેલ નોટીસો પાછી ખેંચવામાં નહિ આવે તો કલેક્ટર કચેરી બંધ કરવાની મહેશ રાજકોટીયાની ચીમકી કચ્છ લોકસભા પરિવાર સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટમાં જુદીજુદી 12 ટીમો વચ્ચે 6 મેચ રમાઈ મોરબી તાલુકા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે ફિલ્મી સ્ટોરીને ટક્કર મારે તેવી રિયલ સ્ટોરી: વાંકાનેર નજીક પરિણીતાએ પ્રેમી અને માતા સાથે મળીને પતિની હત્યા કરીને લાશ સળગાવી દીધી હળવદ તાલુકામાં બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરનારા આરોપીને કોર્ટે ફટકારી 20 વર્ષની સખ્ત કેદની સજા
Breaking news
Morbi Today

મોરબીના બરવાળા ગામે આવેલ સરસ્વતી ભગવતી વિદ્યાલયનો સુવર્ણ જયંતી મહોત્સવ યોજાયો


SHARE













મોરબીના બરવાળા ગામે આવેલ સરસ્વતી ભગવતી વિદ્યાલયનો સુવર્ણ જયંતી મહોત્સવ યોજાયો

મોરબી તાલુકાનાં બરવાળા ગામે આવેલ સરસ્વતી ભગવતી વિદ્યાલયના 50 વર્ષ પૂરા થયેલ છે જેથી કરીને સુવર્ણ જયંતી મહોત્સવ, સ્નેહમિલન તથા ગુરુ વંદનાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું તથા સ્વ.જેરાજભાઈ કરમશીભાઈ પટેલની પુણ્યતિથિ નિમિતે સંસ્કાર બ્લડ સેન્ટર મોરબીના સહકારથી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બ્લડ ડોનેશન કેમ્પમાં 95 રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું. અને આ રક્તદાન કેમ્પને સફળ બનાવવા માટે સંસ્થાના પ્રમુખ જયંતીભાઈ જેરાજભાઈ પટેલ, શાળાના આચાર્ય, શાળા પરિવાર, ભૂતપૂર્વ વિદ્યાર્થી ભાઈ-બહેનો, સરપંચ, બરવાળા ગામના યુવાનો, અને કમલેશભાઈ બાવરવા સહિતનાઓએ જહેમત ઉઠાવી હતી. આ તકે સંસ્કાર બ્લડ સેન્ટરના પ્રેમસ્વામીએ બ્લડ ડોનેશન કેમ્પના આયોજકો, રક્તદાતાઓ, ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અને બરવાળા ગામના સરપંચ તેમજ ગામના લોકોનો આભાર વ્યક્ત કર્યો હતો.






Latest News