ઐતિહાસિક ચુકાદો: મોરબીની કોર્ટે ચેક રિટર્ન કેસમાં આરોપીને બે વર્ષની સજા અને દંડ ફટકાર્યો વાંકાનેર તાલુકામાં ખનીજ માફિયા સામે પોલીસની કાર્યવાહી: 1.20 કરોડનો મુદામાલ કબ્જે મોરબી નજીકથી 288 બોટલ દારૂ-144 બીયરના ટીન ભરેલ અર્ટિકા પકડાઈ, 7.65 લાખનો મુદામાલ કબ્જે: આરોપી ફરાર મોરબી જીલ્લામાં ખેડૂતને આપવામાં આવેલ નોટીસો પાછી ખેંચવામાં નહિ આવે તો કલેક્ટર કચેરી બંધ કરવાની મહેશ રાજકોટીયાની ચીમકી કચ્છ લોકસભા પરિવાર સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટમાં જુદીજુદી 12 ટીમો વચ્ચે 6 મેચ રમાઈ મોરબી તાલુકા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે ફિલ્મી સ્ટોરીને ટક્કર મારે તેવી રિયલ સ્ટોરી: વાંકાનેર નજીક પરિણીતાએ પ્રેમી અને માતા સાથે મળીને પતિની હત્યા કરીને લાશ સળગાવી દીધી હળવદ તાલુકામાં બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરનારા આરોપીને કોર્ટે ફટકારી 20 વર્ષની સખ્ત કેદની સજા
Breaking news
Morbi Today

મોરબી પરશુરામ ધામના પાયાના પથ્થર ભુપતભાઈ સેવા નિવૃત: નવા પ્રમુખ હસુભાઈ પંડ્યાનો સન્માન સમારોહ યોજાયો


SHARE













મોરબી પરશુરામ ધામના પાયાના પથ્થર ભુપતભાઈ સેવા નિવૃત: નવા પ્રમુખ હસુભાઈ પંડ્યાનો સન્માન સમારોહ યોજાયો

મોરબીના નવલખી રોડે આવેલ પરશુરામ ધામ આજે બ્રાહ્મણો તથા અન્ય સમાજ માટે શ્રધ્ધાનું કેન્દ્ર છે આ સંસ્થાના પ્રમુખ તરીકે સતત ૧૫ વર્ષ સુધી ભુપતભાઈ પંડ્યાએ સેવા આપી હતી અને સમાજના આગેવાનો સાથે મળી પરશુરામ ધામનો ખૂબ જ વિકાસ કર્યો હતો તેમજ સતત સમાજને સંગઠીત બનાવવા તેઓ પ્રયત્ન શીલ રહ્યા હતા. આટલું જ નહીં તેમણે દર રવિવારે મહાપ્રસાદ, કોરોના સમયે કેર સેન્ટર, વિવિધ ધાર્મિક આયોજનો તથા વિશિષ્ટ વ્યક્તિઓના સન્માન જેવા અનેક સફળ કાર્યક્રમો કર્યા હતા હાલમાં તેઓની નાદુરસ્ત તબિયતને લીધે તેમણે રાજીનામું આપ્યું હતું અને પરશુરામ ધામા માટે યથાયોગ્ય સહકાર આપવાની તેમણે ખાતરી આપી હતી. જેથી તેઓ સેવા નિવૃત થયેલ છે અને તેમની પરશુરામ ધામ અને સમાજ માટેની સેવાની કદર કરીને સમાજના આગેવાનો દ્વારા તેમના સન્માનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું તેની સાથોસાથ પરશુરામ ધામના નવા પ્રમુખ તરીકે હસુભાઈ પંડ્યાને જવાબદારી સોંપવામાં આવેલ છે ત્યારે તેઓનો આવકારનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં ડો.અનિલભાઈ મહેતા, ડો. બી.કે.લહેરૂ, એડવોકેટ જગદીશભાઈ ઓઝા, મુકુંદભાઈ જોશી, સુરેશભાઈ જોશી, વિનુભાઈ ભટ્ટ, દિપભાઈ પંડ્યા, પત્રકાર જીજ્ઞેશભાઇ ભટ્ટ, પત્રકાર હિમાંશુભાઇ ભટ્ટ સહિતના અનેક આગેવાનો હાજર રહ્યા હતા અને ભૂપતભાઈ પંડયાની કામગીરીને સહુ કોઈએ બિરદાવી હતી. અને તેઓની તંદુરસ્તી માટે પરશુરામ દાદાને સહુ કોઈએ પ્રાર્થના કરી હતી.






Latest News