મોરબી મહાપાલિકામાં રોજમદાર કર્મચારીની હાજરીમાં ગોલમાલ કરીને 20 લાખથી વધુનું કૌભાંડ કર્યું હોવાના સંકેત હળવદ નજીકથી કતલખાને લઈ જવાતા 35 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા, ફરિયાદ નોધાવવા તજવીજ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જો ગેનીબેનની માફી નહીં માંગે તો ઉગ્ર આંદોલન થશે: ઠાકોર સમાજ-કોંગ્રેસ ​​​​​​​મોરબી પરશુરામ યુવા ગ્રૂપના પ્રમુખ સહિતની નવી ટીમ જાહેર કરાઇ મોરબીમાં રાગદ્વેષ-કિન્નાખોરી વાળું ભાજપનું રાજકારણ હોવાનો જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખનો પુરાવા સાથે આક્ષેપ એક શામ આયુર્વેદ કથા કે નામ: મોરબીમાં સોમવારે વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આરોગ્ય કથાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જુદીજુદી જગ્યાએ બાકડા-વૃક્ષોમાં પાંજરા મુકાયા મોરબી: પત્ની બે સંતાનો સાથે રિસામણે બેઠેલ હોય મનોમન લાગી આવતા યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ
Breaking news
Morbi Today

મોરબીમાં સાસુ-સાળાએ ફોન ઉપર ડરાવી-ધમકાવીને ટોર્ચર કરતાં યુવાને કર્યો આપઘાત: માતાએ નોંધાવી ફરિયાદ


SHARE













મોરબીમાં સાસુ-સાળાએ ફોન ઉપર ડરાવી-ધમકાવીને ટોર્ચર કરતાં યુવાને કર્યો આપઘાત: માતાએ નોંધાવી ફરિયાદ

મોરબીના વીસીપરામાં આવેલ સૌરાષ્ટ્ર ટાઇલ્સ નામના નળિયાના કારખાનાની ઓરણીમાં યુવાને ગળાફાંસો ખાઈને આપઘાત કર્યો હતો જે બનાવમાં મૃતક યુવાનની માતાએ તેના દીકરાના સાસુ અને સાળાની સામે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે તેના દીકરાને ધમકાવી ડરાવીને મરવા માટે મજબૂર કરવાની ફરિયાદ નોંધાવેલ છે જેથી પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના વીસીપરા વિસ્તારની અંદર આવેલ સૌરાષ્ટ્ર ટાઇલ્સ નામના નળિયાના કારખાનાની મજૂરની ઓરડીમાં રહેતા રાજેશભાઈ કાંતિભાઈ સોલંકી (22)પોતાની ઓરડીમાં ગળાફાંસો ખાઈને આપઘાત કર્યો હતો જે બનાવ સંદર્ભે હાલમાં મૃતક યુવાનના માતા ગીતાબેન કાંતિભાઈ સોલંકી (45)એ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે તેના દીકરાના સાસુ હંસાબેન જગદીશભાઈ ડાભી અને સાળા દેવાભાઈ જગદીશભાઈ ડાભી રહે. બંને શક્તિનગર હસનપર તાલુકો વાંકાનેર વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે તેના દીકરા રાજેશભાઈના લગ્ન હંસાબેનની દીકરી પૂજાબેન સાથે દોઢેક વર્ષ પહેલા થયા હતા અને પૂજાબેન હાલમાં પિયર માતા-પિતાના ઘરે રિસામણે છે અને અવારનવાર તેડવા જવા છતાં પૂજાબેનને સાસરીમાં મોકલતા ન હતા અને ખોટી ચડામણી કરી બીજુ મકાન લેવા માટે દબાણ કરી ફરિયાદીના દીકરાને ખોટી રીતે ટોર્ચર કરતા હતા તેમજ મોબાઇલ ફોન દ્વારા ફરિયાદીના દીકરાને તેના સાળા દેવાભાઈ તથા તેના સાસુ હંસાબેને ગાળો આપી હતી અને ધમકાવી ડરાવીને મરવા માટે મજબૂર કર્યો હતો જેથી ફરિયાદીના દીકરાએ ઘરની અંદર ગળાફાંસો ખાઈ લીધો હતો જે બનાવ સંદર્ભે હાલમાં મૃતક યુવાનની માતાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

વાહન અકસ્માત

ટંકારા તાલુકાના ધ્રુવનગર ગામ પાસે ડેમી ડેમના નાલા પાસેથી ગાડી નંબર જીજે 36 એલ 3047 લઈને જાવેદ ઈસ્માઈલભાઈ સૈચા (32) રહે. રણછોડનગર સાઈબાબા મંદિર પાસે મોરબી વાળો પસાર થઈ રહ્યો હતો ત્યારે કેફી પીણું પીધેલી હાલતમાં પોતાની ગાડી ચલાવીને પોતાની તથા અન્ય લોકોની જિંદગી જોખમાઈ તે રીતે લાયસન્સ વગર વાહન ચલાવ્યું હતું અને વાહન અકસ્માત કરીને વાહનમાં નુકસાન કર્યું હતું જે બનાવ સંદર્ભે હાલમાં ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે કાર ચાલક સામે ગુનો નોંધીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News