મોરબી મહાપાલિકામાં રોજમદાર કર્મચારીની હાજરીમાં ગોલમાલ કરીને 20 લાખથી વધુનું કૌભાંડ કર્યું હોવાના સંકેત હળવદ નજીકથી કતલખાને લઈ જવાતા 35 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા, ફરિયાદ નોધાવવા તજવીજ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જો ગેનીબેનની માફી નહીં માંગે તો ઉગ્ર આંદોલન થશે: ઠાકોર સમાજ-કોંગ્રેસ ​​​​​​​મોરબી પરશુરામ યુવા ગ્રૂપના પ્રમુખ સહિતની નવી ટીમ જાહેર કરાઇ મોરબીમાં રાગદ્વેષ-કિન્નાખોરી વાળું ભાજપનું રાજકારણ હોવાનો જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખનો પુરાવા સાથે આક્ષેપ એક શામ આયુર્વેદ કથા કે નામ: મોરબીમાં સોમવારે વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આરોગ્ય કથાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જુદીજુદી જગ્યાએ બાકડા-વૃક્ષોમાં પાંજરા મુકાયા મોરબી: પત્ની બે સંતાનો સાથે રિસામણે બેઠેલ હોય મનોમન લાગી આવતા યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ
Breaking news
Morbi Today

મોરબીના બહાદુરગઢ નજીક ટ્રક ચાલકે હડફેટે લેતા બાઇક લઈને જતાં આધેડનું મોત


SHARE













મોરબીના બહાદુરગઢ નજીક ટ્રક ચાલકે હડફેટે લેતા બાઇક લઈને જતાં આધેડનું મોત

મોરબીના માળિયા હાઇવે ઉપર આવેલ બહાદુરગઢ નજીક ગઈકાલે સાંજે વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં બાઇક લઈને જઈ રહેલા આધેડના બાઈકને ટ્રક ચાલકે હડફેટે લેતા બનાવને પગલે ગંભીર જાઓ થવાથી આધેડનું મોત નીપજયું હતું આ બનાવની જાણ થતા હાલ તાલુકા પોલીસે બનાવની નોંધ કરી આગળની તપાસ શરૂ કરી છે.

મોરબી તાલુકા પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે મોરબીના માળિયા હાઇવે ઉપર આવેલા વાધરવા ગામ પાસેના ભારતનગર વિસ્તારમાં રહેતા અને ડ્રાઇવિંગ નું કામકાજ કરતા અમુભાઈ જેસંગભાઈ ધ્રાંગા (49) નામના આધેડ ગઈકાલે સાંજે 6:00 વાગ્યાના અરસામાં તેમનું બાઈક લઈને જતા હતા ત્યારે માળિયા હાઇવે ઉપર આવેલા બહાદુરગઢ ગામના પાટીયા નજીક તેમના બાઇકને કોઈ અજાણ્યા ટ્રક ચાલકે હડફેટે લીધું હતું જે બનાવમાં તેઓને ઇજા થયેલ હતી જેથી અમુભાઈ ધ્રાંગાનું મોત નીપજયું હતું જેથી તેઓના મૃતદેહને મોરબીની સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને હોસ્પિટલ તરફથી આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી જેથી તાલુકા પોલીસ મથકના નેહલબેન ખડિયા તથા રાઇટર મનીષભાઈ મિયાત્રા દ્વારા આગળની તપાસ શરૂ કરવામાં આવી છે.

મહિલા સારવારમાં

મોરબીના બેલા ગામ પાસે બાઈક સ્લીપ થઈ જવાના બનેલ અકસ્માત બનાવમાં સવિતાબેન શંભુભાઈ ભારતી (40) રહે. ટિંગરા છીતોની જંગલ છીતોની કૂશીનગર ઉત્તરપ્રદેશ નામના અને હાલ મોરબી રહી મજૂરી કામ કરતા પરિવારના મહિલાને ઇજાઓ પહોંચી હોય તેઓને અત્રે આયુષ હોસ્પિટલે સારવારમાં ખસેડાયા હતા બનાવને પગલે તાલુકા પોલીસના ફિરોજભાઈ સુમરા દ્વારા તપાસ કરવામાં આવી હતી જ્યારે મોરબીના જેતપર રોડ ઉપર પાવળીયારી નજીક કારખાના પાસે સિક્યુરિટી મેન દ્વારા ઝઘડો કરી માર મારવામાં આવતા ભરતભાઈ લાભુભાઈ (29) રહે. ચૂલી ધાંગધ્રા વાળાને ઇજા થતા તેને પણ અત્રે સિવિલે સારવાર માટે ખસેડાયો હતો જેને પગલે તાલુકા પોલીસ મેથકના એન.જે.ખડીયા દ્વારા નોંધ કરી આગળની તપાસ શરૂ કરાય છે.

મારામારીમાં ઇજા

મોરબીમાં પુલ નીચે રહેતા દુર્ગેશભાઈ મુકાભાઈ ઝીંઝવાડીયા (30) નામના યુવાનને મારામારીમાં ઈજા થતાં સારવારમાં ખસેડાયો હતો જયારે શોભેશ્વર રોડે મારામારીનો બનાવ બનેલ હતો જેમાં જૈન સોસાયટી વિસ્તારમાં રહેતા પારુલબેન માવજીભાઈ વાઘેલા અને નિશાબેન વિપુલભાઈ વિકાણીને ઇજાઓ થતા બંનેને સારવાર માટે સિવિલ ખસેડાયા હતા અને બનાવની હોસ્પિટલમાંથી પોલીસમાં જાણ કરવામાં આવતા બી ડિવિઝન પોલીસ મથકના હિતેશભાઈ મકવાણા દ્વારા આ બનાવની નોંધ કરી આગળની તપાસ શરૂ કરાઈ હતી.






Latest News