મોરબી મહાપાલિકામાં રોજમદાર કર્મચારીની હાજરીમાં ગોલમાલ કરીને 20 લાખથી વધુનું કૌભાંડ કર્યું હોવાના સંકેત હળવદ નજીકથી કતલખાને લઈ જવાતા 35 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા, ફરિયાદ નોધાવવા તજવીજ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જો ગેનીબેનની માફી નહીં માંગે તો ઉગ્ર આંદોલન થશે: ઠાકોર સમાજ-કોંગ્રેસ ​​​​​​​મોરબી પરશુરામ યુવા ગ્રૂપના પ્રમુખ સહિતની નવી ટીમ જાહેર કરાઇ મોરબીમાં રાગદ્વેષ-કિન્નાખોરી વાળું ભાજપનું રાજકારણ હોવાનો જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખનો પુરાવા સાથે આક્ષેપ એક શામ આયુર્વેદ કથા કે નામ: મોરબીમાં સોમવારે વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આરોગ્ય કથાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જુદીજુદી જગ્યાએ બાકડા-વૃક્ષોમાં પાંજરા મુકાયા મોરબી: પત્ની બે સંતાનો સાથે રિસામણે બેઠેલ હોય મનોમન લાગી આવતા યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ
Breaking news
Morbi Today

મોરબીના શનાળાથી ઘુનડા તરફ જવાના રોડે દબાણોને તોડી પડતું તંત્ર


SHARE













મોરબીના શનાળાથી ઘુનડા તરફ જવાના રોડે દબાણોને તોડી પડતું તંત્ર

મોરબી સહિત સમગ્ર ગુજરાતમાં ગેરકાયદે કરવામાં આવેલા બાંધકામો ઉપર હાલમાં સરકારી બુલડોઝર જોરશોર ચાલી રહ્યું છે તેવામાં મોરબીના શનાળાથી ઘુનડા ગામ તરફ જવાના રસ્તા ઉપર રોડની સાઇડમાં કરવામાં આવેલા દબાણ હટાવ માટેનું કામ હાથ ઉપર લેવામાં આવ્યું હતું અને સરકારી બુલડોઝર ફેરવીને તે દબાનોને તોડી નાખવામાં આવેલ છે. આ અંગે વધુમાં માર્ગ અને મકાન વિભાગ (પંચાયત) ના નાયબ કાર્યપાલક ઈજનેર દિવ્યેશ બાવરવાએ માહિતી આપતા જણાવ્યુ હતું કે, મોરબીના શનાળા ગામથી રવાપર અને ઘુનડા જવાનો જે ત્રણ કિલો મીટરનો રોડ આવેલ છે તે રોડની બંને બાજુએ જુદીજુદી જગ્યાએ દબાણો કરવામાં આવેલ હતા જેને દૂર કરવા માટેની કાર્યવાહી કરવામાં આવી હતી અને દુકાનોના ઓટલા, એપાર્ટમેન્ટની કમ્પાઉન્ડ વોલ સહિત કુલ મળીને 15 જેટલા દબાણો તોડી પાડવામાં આવ્યા છે. અને 45 જેટલા બેનરોને પણ હટાવવામાં આવ્યા હતા.






Latest News