મોરબી મહાપાલિકામાં રોજમદાર કર્મચારીની હાજરીમાં ગોલમાલ કરીને 20 લાખથી વધુનું કૌભાંડ કર્યું હોવાના સંકેત હળવદ નજીકથી કતલખાને લઈ જવાતા 35 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા, ફરિયાદ નોધાવવા તજવીજ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જો ગેનીબેનની માફી નહીં માંગે તો ઉગ્ર આંદોલન થશે: ઠાકોર સમાજ-કોંગ્રેસ ​​​​​​​મોરબી પરશુરામ યુવા ગ્રૂપના પ્રમુખ સહિતની નવી ટીમ જાહેર કરાઇ મોરબીમાં રાગદ્વેષ-કિન્નાખોરી વાળું ભાજપનું રાજકારણ હોવાનો જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખનો પુરાવા સાથે આક્ષેપ એક શામ આયુર્વેદ કથા કે નામ: મોરબીમાં સોમવારે વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આરોગ્ય કથાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જુદીજુદી જગ્યાએ બાકડા-વૃક્ષોમાં પાંજરા મુકાયા મોરબી: પત્ની બે સંતાનો સાથે રિસામણે બેઠેલ હોય મનોમન લાગી આવતા યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ
Breaking news
Morbi Today

કચ્છથી જોધપુરની દૈનિક ટ્રેન શરૂ થતાં લોકોમાં આનંદની લાગણી: સાંસદ વિનોદભાઇ ચાવડા


SHARE













કચ્છથી જોધપુરની દૈનિક ટ્રેન શરૂ થતાં લોકોમાં આનંદની લાગણી: સાંસદ વિનોદભાઇ ચાવડા

કચ્છથી જોધપુર ટ્રેન શરૂ થવા માટેની લાંબા સમયથી પ્રવાસી જનતાની માંગણી હતી જેથી સાંસદ વિનોદભાઇ ચાવડાએ કેન્દ્ર્ન રેલ્વે મંત્રીને લોકોની રજુઆત પહોચાડી હતી અને રેલ્વે વિભાગે ગાંધીધામથી જોધપુર ટ્રેનને હવે દૈનિક ચાલુ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે જેથી કરીને પ્રવાસી જનતામાં આનંદની લાગણી જોવા મળી રહી છે.  

કચ્છ અને રાજસ્થાનની સંસ્કૃતિ-રીતરિવાજોમાં ઘણી બધી સમાનતા છે. અને વ્યાવહારિક સબંધો એકમેકને મળતા છે. પ્રસંગોપાત અને વેપાર વણજ ને કારણે આવન જાવન રહે છે. સપ્તાહમાં ત્રણ વખત ચાલતી ગાંધીધામ-જોધપુર ટ્રેનને હવે દૈનિક ચાલુ કરવાની રેલ્વે મંત્રાલયની પહેલને કચ્છની જનતા સંસ્થાનો ચેમ્બર અને સાંસદ તથા જન પ્રતિનિધિઓની માંગણીઓને લક્ષમાં લઇ ગાંધીધામ જોધપુર ટ્રેન દૈનિક કરવા માટે આનંદની લાગણીઓ વ્યક્ત કરવામાં આવી છે. ત્યારે સાંસદ વિનોદભાઇ ચાવડાએ જણાવ્યુ હતું કે, આ ટ્રેન શરૂ થતાં કચ્છ-ગુજરાત રાજસ્થાનની જનતામાં આનંદની લાગણી થઇ છે. આ ટ્રેન ગાંધીધામથી રાત્રે ૧૧:૫૫ વાગ્યે રવાના થઇ સવારે ૯:૩૦ વાગ્યે જોધપુર પહોંચશે અને જોધપુર થી રાત્રે ૮:૫૦ વાગ્યે રવાના થઇ સવારે ૬:૫૦ વાગ્યે ગાંધીધામ પહોંચશે. કચ્છ અને રાજસ્થાન જોધપુરને જોડતી આ ટ્રેન માટે ખુબજ લાંબા સમયની માંગણી, મૌખીક અને લેખીત રેલ્વે મંત્રાલયમાં રજુઆતની ફલશ્રુતિ દૈનિક ટ્રેન શરૂ કરવામાં આવેલ છે. તેમ સાંસદએ જણાવ્યુ હતું.






Latest News