મોરબી મહાપાલિકામાં રોજમદાર કર્મચારીની હાજરીમાં ગોલમાલ કરીને 20 લાખથી વધુનું કૌભાંડ કર્યું હોવાના સંકેત હળવદ નજીકથી કતલખાને લઈ જવાતા 35 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા, ફરિયાદ નોધાવવા તજવીજ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જો ગેનીબેનની માફી નહીં માંગે તો ઉગ્ર આંદોલન થશે: ઠાકોર સમાજ-કોંગ્રેસ ​​​​​​​મોરબી પરશુરામ યુવા ગ્રૂપના પ્રમુખ સહિતની નવી ટીમ જાહેર કરાઇ મોરબીમાં રાગદ્વેષ-કિન્નાખોરી વાળું ભાજપનું રાજકારણ હોવાનો જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખનો પુરાવા સાથે આક્ષેપ એક શામ આયુર્વેદ કથા કે નામ: મોરબીમાં સોમવારે વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આરોગ્ય કથાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જુદીજુદી જગ્યાએ બાકડા-વૃક્ષોમાં પાંજરા મુકાયા મોરબી: પત્ની બે સંતાનો સાથે રિસામણે બેઠેલ હોય મનોમન લાગી આવતા યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ
Breaking news
Morbi Today

મોરબીના ઉંચી માંડલ ગામ પાસે ખાનગી ટ્રાવેલ્સમાં મુસાફરી કરતાં યુવાનનું ચાલુ બસે જ મોત


SHARE













મોરબીના ઉંચી માંડલ ગામ પાસે ખાનગી ટ્રાવેલ્સમાં મુસાફરી કરતાં યુવાનનું ચાલુ બસે જ મોત

ઓડીસાથી મોરબી આવી રહેલ યુવાન મોરબી તાલુકાના ઉંચી માંડલ ગામ પાસેથી ખાનગી ટ્રાવેલ્સ બસમાં બેસીને મુસાફરી કરી રહ્યો હતો ત્યારે કોઈપણ કારણોસર તે યુવાનનું બસમાં જ મૃત્યુ નીપજયું હતું જેથી આ અંગેની ટ્રાવેલ્સ બસના કંડકટર દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી માહિતી મુજબ મૂળ ઓડિશાના સોનપુર પાઉચકુલી બાલેશ્વરના રહેવાસી રતિકાંત મધુસુદન ભદ્રા (38) નામનો યુવાન બાલેશ્વર ઓડીસાથી મોરબી ખાતે રાજલક્ષ્મી ટ્રાવેલ્સની બસમાં બેસીને આવી રહ્યો હતો દરમ્યાન મોરબી તાલુકાના ઉંચી માંડલ ગામ પાસે બસ પહોંચી હતી ત્યારે કોઈપણ કારણોસર ચાલુ બસમાં જ તે યુવાનનું મોત નીપજ્યું હતું જેથી તેના મૃતદેને પીએમ માટે હોસ્પિટલે લઇ ગયા હતા અને આ બનાવ અંગેની ટ્રાવેલ્સ બસના કંડકટર રાધાલ્લભ ભરતચંદ્ર રાઉલ (28) રહે. ઓડીસા વાળાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે






Latest News