મોરબી મહાપાલિકામાં રોજમદાર કર્મચારીની હાજરીમાં ગોલમાલ કરીને 20 લાખથી વધુનું કૌભાંડ કર્યું હોવાના સંકેત હળવદ નજીકથી કતલખાને લઈ જવાતા 35 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા, ફરિયાદ નોધાવવા તજવીજ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જો ગેનીબેનની માફી નહીં માંગે તો ઉગ્ર આંદોલન થશે: ઠાકોર સમાજ-કોંગ્રેસ ​​​​​​​મોરબી પરશુરામ યુવા ગ્રૂપના પ્રમુખ સહિતની નવી ટીમ જાહેર કરાઇ મોરબીમાં રાગદ્વેષ-કિન્નાખોરી વાળું ભાજપનું રાજકારણ હોવાનો જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખનો પુરાવા સાથે આક્ષેપ એક શામ આયુર્વેદ કથા કે નામ: મોરબીમાં સોમવારે વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આરોગ્ય કથાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જુદીજુદી જગ્યાએ બાકડા-વૃક્ષોમાં પાંજરા મુકાયા મોરબી: પત્ની બે સંતાનો સાથે રિસામણે બેઠેલ હોય મનોમન લાગી આવતા યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ
Breaking news
Morbi Today

મોરબી એ-બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં સ્ટાફની ભરતી કરવા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખની ગૃહમંત્રીને રજૂઆત


SHARE













મોરબી એ-બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં સ્ટાફની ભરતી કરવા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખની ગૃહમંત્રીને રજૂઆત

મોરબી સીટીમાં વસ્તી દિવસેને દિવસે વધી રહી છે જો કે, તેની સામે પોલીસ સ્ટાફમાં કોઈપણ વધારો કરવામાં આવી રહ્યો નથી જેથી પોલીસ કામના ભારણ હેઠળ કામ કરેલ છે જેથી વહેલી તકે મોરબી એ અને બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં સ્ટાફની ભરતી કરવામાં આવે તે માટે મોરબી સીટી/જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ દ્વારા ગૃહમંત્રીને લેખિતમાં રજૂઆત કરવામાં આવેલ છે.

મોરબી સીટી/જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઇ મહેતાએ હાલમાં ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીને લેખિતમાં રજૂઆત કરેલ છે જેમાં જણાવ્યુ છે કે, મોરબી ઔદ્યોગિક શહેર છે અને દિન પ્રતિદિન વસ્તી વધી રહી છે અને ખાસ કરીને અન્ય રાજયોમાંથી મજુરો પોતાની રોજીરોટી માટે મોટા પ્રમાણમા મોરબી આવી રહ્યા છે જેથી કરીને સીટીની વસ્તી વધતી જાય છે. જો કે, પોલીસ પાસેથી જાણવામાં આવ્યા પ્રમાણે મોરબી સીટી એ અને બી ડીવીઝનમાં સ્ટાફની ઘટ છે જેને કારણે કાયદો અને વ્યવસ્થાની જાળવણીમાં મુશ્કેલી ઉભી થાય તે સ્વાભાવિક છે. અને મોરબીના રવાપર તેમજ શનાળા સહિતના વિસ્તારોમાં વસ્તી દિવસેને દિવસે વધી રહી છે. ત્યારે કોઈપણ જાતની અવ્યસ્થા ન ઉભી થાય તે માટે પોલીસ સ્ટાફમાં વધારો કરવાની તાતી જરૂરીયાત છે. વધુમાં તેઓએ જણાવ્યુ છે કે, પોલીસ અવાર નવાર સભા, સરઘસ સામાજિક કાર્યક્રમો વીગેરેમાં રોકાય છે જેથી કરીને કાયદો અને વ્યવસ્થા સામે અનેક પડકારો ઉભા થાય છે. અને કામના બોજાને કારણે જો પોલીસ સ્ટાફનો મેડીકલ ચેક અપ કરાવવામાં આવે તો ઘણા બધા બી.પી. કે ડાયાબીટીસના દર્દી પણ નીકળે તેમ છે. જેથી કરીને પોલીસ સ્ટાફની સુખાકારી માટે વહેલી તકે સ્ટાફની ભરતી કરવામાં આવે તે જરૂરી છે.






Latest News