મોરબી મહાપાલિકામાં રોજમદાર કર્મચારીની હાજરીમાં ગોલમાલ કરીને 20 લાખથી વધુનું કૌભાંડ કર્યું હોવાના સંકેત હળવદ નજીકથી કતલખાને લઈ જવાતા 35 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા, ફરિયાદ નોધાવવા તજવીજ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જો ગેનીબેનની માફી નહીં માંગે તો ઉગ્ર આંદોલન થશે: ઠાકોર સમાજ-કોંગ્રેસ ​​​​​​​મોરબી પરશુરામ યુવા ગ્રૂપના પ્રમુખ સહિતની નવી ટીમ જાહેર કરાઇ મોરબીમાં રાગદ્વેષ-કિન્નાખોરી વાળું ભાજપનું રાજકારણ હોવાનો જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખનો પુરાવા સાથે આક્ષેપ એક શામ આયુર્વેદ કથા કે નામ: મોરબીમાં સોમવારે વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આરોગ્ય કથાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જુદીજુદી જગ્યાએ બાકડા-વૃક્ષોમાં પાંજરા મુકાયા મોરબી: પત્ની બે સંતાનો સાથે રિસામણે બેઠેલ હોય મનોમન લાગી આવતા યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ
Breaking news
Morbi Today

માળિયા (મી)માં લોકોને સારી સુવિધા માટે છેલ્લા ઘણા દિવસોથી ઉપવાસ કરતાં ઉપવાસીની તબિયત લથડતા સારવારમાં


SHARE













માળિયા (મી)માં લોકોને સારી સુવિધા માટે છેલ્લા ઘણા દિવસોથી ઉપવાસ કરતાં ઉપવાસીની તબિયત લથડતા સારવારમાં

માળિયા મિયાણામાં સુવિધા માટે છેલ્લા ઘણા દિવસોથી ઝુલ્ફીકાર સાધવાણી ઉપવાસ કરી રહ્યા હતા તેની ગઇકાલે મોડી સાંજે તબિયત ખરાબ થઈ હતી જેથી તેને બેભાન અવસ્થામાં મોરબી સિવિલમાં લઈને આવ્યા હતા અને તંત્ર તરફથી તેની કોઈ નોંધ લેવામાં નથી જેથી કરીને માળીયાના લોકોમાં રોષની લાગણી છે અને લોકશાહીમાં લોકોને સુવિધા માટે પરેશાન થવું પડે છે યોગ્ય નથી તેવી મોરબીમાં રહેતા કાન્તિલાલ બાવરવાએ જણાવ્યુ છે.

મોરબી જીલ્લાનાં માળીયા (મીં) શહેરનાં મુખ્ય પાયાનાં પ્રશ્નો માટે ઊપવાસ આંદોલન કરી રહેલ આંદોલનકારી યુવાન ઝુલ્ફીકાર સાધવાણીની તબિયત લથળતા તેમને મોરબી સીવીલ હોસ્પિટલ ખાતે ICU વોર્ડમાં દાખલ કરવામાં આવેલ છે જેથી કરીને મોરબી જીલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચીખલીયા, માળીયા તાલુકા કોંગ્રેસ પ્રમુખ સંદિપભાઈ કાલરીયા, મોરબી શહેર કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજા સહિતનાં આગેવાનો હોસ્પિટલે દોડી આવ્યા હતા અને તેમની માંગણીને લઈને હવે મોરબી જીલ્લા કલેક્ટર સાથે કોંગ્રેસનાં આગેવાનો ચર્ચા કરશે તેવું કોંગ્રેસનાં આગેવાનોએ જણાવ્યુ છે.






Latest News