વાંકાનેર બાઉન્ટ્રી ટોલનાકા પાસે અજાણ્યા પુરુષની લાશ મળી,વાલી-વારસની શોધખોળ શરૂ મોરબીમાં થોડા સમય પહેલા દવા પી ગયેલ યુવાનનું સારવાર દરમિયાન મોત મોરબીમાં લેન્સકાર્ટના શોરૂમમાંથી ચશ્મા કે લેસનની ખરીદી ન કરવા વિહિપ-બજરંગ દળની અપીલ મોરબીમાંથી ચોરી કરેલા બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબીમાં બોલાચાલીનો ખાર રાખીને ક્રેટા ગાડી ઉપર સ્કોર્પિયો ચડાવી દેવાનો પ્રયાસ મોરબીના ઘૂટું ગામે યુવાનને બે શખ્સોએ પાઇપ અને ધોકા વડે માર મારતા માથામાં હેમરેજ વાંકાનેરના મેસરીયા પાસે ગોલો ખાઈને પરત જતાં લોકોની કારનું ટાયર ફાટતા સર્જાયેલ અકસ્માતમાં એક સગીરાનો પગ કપાઈ ગયો ​​​​​​​અખંડ દિવામાં ઘી હરામના પૈસાનું છે, ઘરના પૈસાનું નથી, તમે દીવો રાખવા કરતાં તાકાત હોય તો બંદૂક લઈને સામે આવોને આ વેપારીનું ગામ છે: કાંતિભાઈ અમૃતિયા
Breaking news
Morbi Today

મોરબીમાં ભારતમાતા ક્રાંતિ મંદિરના લાભાર્થે જાણતા રાજા નાટકનું માતૃભૂમિ વંદના ટ્રસ્ટ દ્વારા આયોજન


SHARE













મોરબીમાં ભારતમાતા ક્રાંતિ મંદિરના લાભાર્થે જાણતા રાજા નાટકનું માતૃભૂમિ વંદના ટ્રસ્ટ દ્વારા આયોજન

મોરબીના આંગણે છત્રપતિ શિવાજી મહારાજનનું વિશ્વ પ્રસિદ્ધ મહાનાટક જાણતા રાજા આગામી દિવસોમાં આવી રહ્યું છે ત્યારે ભારતમાતા ક્રાંતિ મંદિરના લાભાર્થે આ નાટકનું આયોજન કરનાર માતૃભૂમિ વંદના ટ્રસ્ટ દ્વારા ટિકિટ વેચાણ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે, જેમાં મોરબીના નગરજનો તરફથી સહકાર આપવામાં આવે તેવો અનુરોધ કરવામાં આવેલ છે.

મોરબીમાં ૧૩ વર્ષ પહેલા માતૃભૂમિ વંદના ટ્રસ્ટ બનાવવાનો સંકલ્પ કર્યો હતો અને આજે ૧૪ માં વર્ષમાં માતૃભૂમિ વંદના પ્રવેશ કરી રહ્યું છે ત્યારે માતૃભૂમિ વંદના ટ્રસ્ટ દ્વારા ભારતમાતા ક્રાંતિ મંદિરના લાભાર્થે છત્રપતિ શિવાજી મહારાજનનું વિશ્વ પ્રસિદ્ધ મહાનાટક પ્રથમ વખતની ભવ્ય સફળ બાદ બીજીવાર મોરબીના આંગણે લાવવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે તેની ટિકિટના વેચાણ માટેના જાણતારાજા કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતુ અને અમારા પરિવારની એક ઈંટ પરમ વંદનીય ભારત માતા ક્રાંતિ મંદિર માટે” ના સંકલ્પ સાથે જાણતારાજા મહાનાટકની ટિકિટનું વેચાણ શરૂ કરવામાં આવ્યું છે અને ત્યારે મોરબીના દાતાઓ સહિતના તમામ લોકો તરફથી સનાતન ધર્મના ઉત્થાન માટે સહભાગી થવાની ભાવના સાથે ટિકિટ લેવામાં આવે તેવો અનુરોધ માતૃભૂમિ વંદના ટ્રસ્ટના મહેશભાઇ ભોરણિયા સહિતનાઓ દ્વારા કરવામાં આવેલ છે.






Latest News