મોરબીમાં સુભાષ રોડે દુકાનની પાછળ ટીખળખોરે કચરો સળગાવતા વિકરાળ આગ: ફાયરની ટિમ દોડતી મોરબીના મહેન્દ્રનગર  પાસે ભક્તિનગર-2 સોસાયટીમાં ચાલુ વીજવાયર તૂટીને પડતાં બે વાહન બળીને ખાખ મોરબીમાં ઉમિયાથી દલવાડી સર્કલ જવાના કેનાલની બીજી બાજુના રોડને સીસી રોડ બનાવવા માટે સીએમને કરી રજૂઆત મોરબીમાં મહાશિવરાત્રીના દિવસે સિદ્ધનાથ મહાદેવની ભવ્ય શોભાયાત્રાનું આયોજન વલ્લભીપુરના પચ્છેગામ ગામે આયોજિત ત્રિવેણી કાર્યક્રમમાં મોરબી સહિત 20 જિલ્લાના ધર્મપ્રેમી લોકોને જોડાવા ગાયત્રી આશ્રમના સંત લાલબાપુનું જાહેર આમંત્રણ હળવદના વેગડવાવ ફાટક પાસે ટ્રાફિક સહિતની સમસ્યા ઉકેલવાની દિશામાં આગળ વધતું તંત્ર બાટલો ફાટયો: મોરબીમાં ફરીયાદ નિવારણના કાર્યક્રમ 30 અરજી કરી તો પણ કામ ન થતાં હવે કચેરીને તાળાબંધીની ચીમકી ઉચ્ચારી મોરબીના સોખડા ગામના પાટીયા પાસે ટેન્કર ચાલકે બેદરકારીપૂર્વક લેતા ટ્રક સાથે અકસ્માત થતા વાહનમાં નુકસાન, કોઈ જાનહાનિ નહીં
Breaking news
Morbi Today

મોરબીમાં ભારતમાતા ક્રાંતિ મંદિરના લાભાર્થે જાણતા રાજા નાટકનું માતૃભૂમિ વંદના ટ્રસ્ટ દ્વારા આયોજન


SHARE















મોરબીમાં ભારતમાતા ક્રાંતિ મંદિરના લાભાર્થે જાણતા રાજા નાટકનું માતૃભૂમિ વંદના ટ્રસ્ટ દ્વારા આયોજન

મોરબીના આંગણે છત્રપતિ શિવાજી મહારાજનનું વિશ્વ પ્રસિદ્ધ મહાનાટક જાણતા રાજા આગામી દિવસોમાં આવી રહ્યું છે ત્યારે ભારતમાતા ક્રાંતિ મંદિરના લાભાર્થે આ નાટકનું આયોજન કરનાર માતૃભૂમિ વંદના ટ્રસ્ટ દ્વારા ટિકિટ વેચાણ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે, જેમાં મોરબીના નગરજનો તરફથી સહકાર આપવામાં આવે તેવો અનુરોધ કરવામાં આવેલ છે.

મોરબીમાં ૧૩ વર્ષ પહેલા માતૃભૂમિ વંદના ટ્રસ્ટ બનાવવાનો સંકલ્પ કર્યો હતો અને આજે ૧૪ માં વર્ષમાં માતૃભૂમિ વંદના પ્રવેશ કરી રહ્યું છે ત્યારે માતૃભૂમિ વંદના ટ્રસ્ટ દ્વારા ભારતમાતા ક્રાંતિ મંદિરના લાભાર્થે છત્રપતિ શિવાજી મહારાજનનું વિશ્વ પ્રસિદ્ધ મહાનાટક પ્રથમ વખતની ભવ્ય સફળ બાદ બીજીવાર મોરબીના આંગણે લાવવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે તેની ટિકિટના વેચાણ માટેના જાણતારાજા કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતુ અને અમારા પરિવારની એક ઈંટ પરમ વંદનીય ભારત માતા ક્રાંતિ મંદિર માટે” ના સંકલ્પ સાથે જાણતારાજા મહાનાટકની ટિકિટનું વેચાણ શરૂ કરવામાં આવ્યું છે અને ત્યારે મોરબીના દાતાઓ સહિતના તમામ લોકો તરફથી સનાતન ધર્મના ઉત્થાન માટે સહભાગી થવાની ભાવના સાથે ટિકિટ લેવામાં આવે તેવો અનુરોધ માતૃભૂમિ વંદના ટ્રસ્ટના મહેશભાઇ ભોરણિયા સહિતનાઓ દ્વારા કરવામાં આવેલ છે.






Latest News