મોરબીમાં ગાયત્રીમંદિર ખાતે રામનવમીએ 24 કુંડી મહાયજ્ઞનું આયોજન
SHARE
મોરબીમાં ગાયત્રીમંદિર ખાતે રામનવમીએ 24 કુંડી મહાયજ્ઞનું આયોજન
મોરબીમાં આવેલ વાઘપરા શેરી નં 14 માં શ્રી ગાયત્રી પ્રેરણા મંદિર આવેલ છે ત્યાં ગાયત્રી પરિવાર ટ્રસ્ટ દ્વારા તા. 6 ને રવિવારે રામનવમીના દિવસે ૨૪ કુંડી ગાયત્રી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે તેની સાથે જ શ્રીરામ જન્મોત્સવની ઉજવણી પણ કરવામાં આવશે.
મોરબીમાં આવેલા ગાયત્રી પ્રેરણા મંદિર ખાતે દરવર્ષની જેમાં આ વર્ષે પણ રામનવમીના દિવસે તા 6 ના રોજ સવારે 8 થી 12 સુધી 24 કુંડી ગાયત્રી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે અને ત્યાર બાદ મંદિરે શ્રીરામ જન્મોત્સવ ઉજવવા માટેનું ભવ્ય આયોજન કર્યું છે જેથી શ્રી ગાયત્રી યજ્ઞમાં બેસવા ઈચ્છુક ભક્તજનોએ મંદિરે જઈને પુજારીનો સંપર્ક કરવા માટે ગાયત્રી પરિવાર ટ્રસ્ટના ટ્રસ્ટીઓ દ્વારા જણાવવામાં આવ્યું છે.









