ભારત વિકાસ પરિષદ-મોરબી દ્વારા રાહતદરે ફૂલસ્કેપ નોટબુક વિતરણ કાર્યક્રમને ઉત્સાહભેર પ્રતિસાદ શ્રી ક્રિષ્ના ચેરિટેબલ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ મોરબી દ્વારા જીલ્લાની સરકારી શાળાના બાળકોને રાહત દરે ફૂલસ્કેપ ચોપડા વિતરણ ટંકારાના લજાઈ-હડમતીયા રોડ ઉપર ડબલ સવારી બાઈક ટ્રક સાથે અથડાતા બે યુવાનોના મોત વાંકાનેર નજીક કાર ચાલકે બાઇકને હડફેટે લેતા કાકા-3 વર્ષના ભત્રીજાનું મોત: એકને ઇજા મોરબીના થોરાળા અને પંચાસર વચ્ચે ટ્રેકટર અને ઇકો વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં એક યુવાનનું મોત આદિપુરથી દ્વારકા દર્શને જતાં પરિવારની કારનો માળીયા (મી)ના બરાર ગામના પાટિયા નજીક ટ્રક સાથે અકસ્માત: એક યુવતીનું મોત, 4 ને ઇજા મોરબી: રાજયની દરેક એસ.ટી.વિભાગીય કચેરીએથી ડ્રાઇવર-કંડકટરોની ભરતી પ્રક્રિયા કરવા માંગ માળીયા (મી)ના વીર વિદરકા ગામ પાસેથી દેશી બનાવટની બંદૂક સાથે એક શખ્સ ઝડપાયો
Breaking news
Morbi Today

મોરબીની બોરીયાપાટી વિસ્તારમાં પાણી-ભૂગર્ભની લાઈનના પગલે રસ્તા ચાલવા લાયક ન હોય સમારકામ કરવા રજૂઆત


SHARE











મોરબીની બોરીયાપાટી વિસ્તારમાં પાણી-ભૂગર્ભની લાઈનના પગલે રસ્તા ચાલવા લાયક ન હોય સમારકામ કરવા રજૂઆત

મોરબી મહાનગર પાલિકાનાં વોર્ડ નંબર ૧૨ માં આવેલ તેજાણીની વાડી વિસ્તારમાં પાણીની પાઈપ લાઇન તેમજ ભુગર્ભ ગટર લાઇન નાખવાની કામગીરીના કારણે ખરાબ થયેલ રસ્તામાં ભરતી-મોરમ ભરવા તેમજ જંતુનાશક દવાનો છંટકાવ કરવા સ્થાનીક દ્રારા મહા પાલીકામાં લેખીત રજૂઆત કરવામાં આવેલ છે.

મોરબીની તેજાણીની વાડી, બોરીયા પાટી, લીલાપર-કેનાલ રોડ ખાતે રહેતા ગિરધરભાઈ ભગવાનજીભાઈ પરમારએ મોરબી મહાનગર પાલિકાના કમીશ્નરને પત્ર લખીને રજૂઆત કરેલ છેકે, મોરબી મહાનગર પાલિકાના વોર્ડ નં.૧૨ માં આવેલ તેજાણીની વાડી વિસ્તારનાં રહીશોની રજૂઆત છેકે આ વિસ્તારમાં હાલે પાણીની પાઈપ લાઇન તેમજ ભુગર્ભ ગટરની લાઇન નાખવાની કામગીરી થયેલ છે.જેના લીધે રસ્તાઓ તોડી નાખેલ છે.જેથી હાલ પડેલા વરસાદના કારણે આ વિસ્તારમાં ગારા કીચડનું સામ્રજ્ય સર્જાયું છે.જેના કારણે રસ્તામાથી ચાલીને નીકળી શકાય તેમ શક્ય નથી.તેમજ વાહન ચલાવવામાં પણ મુશ્કેલી પડે છે અને વરસાદી પાણીને કારણે બીમારી-માંદગીનું જોખમ પણ ઊભું થાય તેવા સંજોગો છે.તેથી તંત્રને અપીલ છેકે તાત્કાલિક ધોરણે જો ભરતી-મોરમની આ રસ્તામાં નાંખવામાં આવે તો ચાલીને કે વાહન લઈ નિકળી શકાય અને પડતી મુશ્કેલીનું નિરાકરણ થાય અને જંતુનાશક દવાનો છંટકાવ કરવામાં આવે તો મચ્છરનો ઉપદ્રવ અટકાવી શકાય તેવી રજૂઆત ત્યાંના રહેવાસી ગિરધરભાઈ પરમારએ કરેલ છે.






Latest News