મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

મોરબીની બોરીયાપાટી વિસ્તારમાં પાણી-ભૂગર્ભની લાઈનના પગલે રસ્તા ચાલવા લાયક ન હોય સમારકામ કરવા રજૂઆત


SHARE











મોરબીની બોરીયાપાટી વિસ્તારમાં પાણી-ભૂગર્ભની લાઈનના પગલે રસ્તા ચાલવા લાયક ન હોય સમારકામ કરવા રજૂઆત

મોરબી મહાનગર પાલિકાનાં વોર્ડ નંબર ૧૨ માં આવેલ તેજાણીની વાડી વિસ્તારમાં પાણીની પાઈપ લાઇન તેમજ ભુગર્ભ ગટર લાઇન નાખવાની કામગીરીના કારણે ખરાબ થયેલ રસ્તામાં ભરતી-મોરમ ભરવા તેમજ જંતુનાશક દવાનો છંટકાવ કરવા સ્થાનીક દ્રારા મહા પાલીકામાં લેખીત રજૂઆત કરવામાં આવેલ છે.

મોરબીની તેજાણીની વાડી, બોરીયા પાટી, લીલાપર-કેનાલ રોડ ખાતે રહેતા ગિરધરભાઈ ભગવાનજીભાઈ પરમારએ મોરબી મહાનગર પાલિકાના કમીશ્નરને પત્ર લખીને રજૂઆત કરેલ છેકે, મોરબી મહાનગર પાલિકાના વોર્ડ નં.૧૨ માં આવેલ તેજાણીની વાડી વિસ્તારનાં રહીશોની રજૂઆત છેકે આ વિસ્તારમાં હાલે પાણીની પાઈપ લાઇન તેમજ ભુગર્ભ ગટરની લાઇન નાખવાની કામગીરી થયેલ છે.જેના લીધે રસ્તાઓ તોડી નાખેલ છે.જેથી હાલ પડેલા વરસાદના કારણે આ વિસ્તારમાં ગારા કીચડનું સામ્રજ્ય સર્જાયું છે.જેના કારણે રસ્તામાથી ચાલીને નીકળી શકાય તેમ શક્ય નથી.તેમજ વાહન ચલાવવામાં પણ મુશ્કેલી પડે છે અને વરસાદી પાણીને કારણે બીમારી-માંદગીનું જોખમ પણ ઊભું થાય તેવા સંજોગો છે.તેથી તંત્રને અપીલ છેકે તાત્કાલિક ધોરણે જો ભરતી-મોરમની આ રસ્તામાં નાંખવામાં આવે તો ચાલીને કે વાહન લઈ નિકળી શકાય અને પડતી મુશ્કેલીનું નિરાકરણ થાય અને જંતુનાશક દવાનો છંટકાવ કરવામાં આવે તો મચ્છરનો ઉપદ્રવ અટકાવી શકાય તેવી રજૂઆત ત્યાંના રહેવાસી ગિરધરભાઈ પરમારએ કરેલ છે.






Latest News