તેરા તુજ કો અર્પણ: માળીયા (મી)માં ખોવાયેલ 1.37 લાખના મોબાઈલ મૂળ માલિકોને પરત કરાયા મોરબીમાં રોગ છુપાવેલ હોય તેવું કહીને વીમો આપવાનો નનૈયો કરનાર વીમાને વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ વાંકાનેરના વિઠલપર ગામ પાસેથી 252 બોટલ દારૂ ભરેલ કાર સહિત 8.82 લાખનો મુદામાલ કબ્જે, એક આરોપી પકડાયો, એકની શોધખોળ દૂરદર્શનના માધ્યમથી મોરબીના ખેતીવાડી અધિકારીએ મધમાખીના મહત્વ વિષે રજૂ કર્યું વૈજ્ઞાનિક માર્ગદર્શન મોરબી જિલ્લામાં દિકરીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે ‘વહાલી દિકરી’ યોજના હેઠળ ૧.૧૦ લાખની સહાય મેળવવા ફોર્મ ભરવાની ઝુંબેશ મોરબી પાલિકાના માજી ઉપપ્રમુખ અને દીકરાની હત્યાના ગુનામાં ચાર આરોપીઓને આજીવન કેદની સજા મોરબીના જિલ્લા શિક્ષણ તાલીમ ભવન દ્વારા એજ્યુકેશનલ ઈનોવેશન ફેસ્ટિવલ યોજાયો મોરબી જિલ્લામાં પાથરવામાં આવી રહેલ ખાનગી કંપનીઓની વીજ લાઇનોના વળતરના વિરોધમાં સોમવારે ટંકારાથી મોરબી સુધી ખેડૂતોની ટ્રેક્ટર રેલીનું આયોજન
Breaking news
Morbi Today

સમરસ પંચાયત: ટંકારા તાલુકાનાં મોટા ખીજડીયા ગામના સરપંચ પદે નયનાબા ઝાલા


SHARE











સમરસ પંચાયત: ટંકારા તાલુકાનાં મોટા ખીજડીયા ગામના સરપંચ પદે નયનાબા ઝાલા

મોરબી જિલ્લાના ટંકારા તાલુકામાં આવતા મોટા ખીજડીયા ગામમાં ચૂંટણી ન યોજાઇ અને ગ્રામ પંચાયત સમરસ બને તે માટે ગામના આગેવાનો અને વડીલોએ પ્રયત્ન કરતાં હતા અને તેના ફળ સ્વરૂપે આ ગ્રામ પંચાયત સમરસ જાહેર કરવામાં આવી છે અને મોટા ખીજડીયા ગામમાં આ વખતે સરપંચ તરીકે નયનાબા ઝાલાના નામની જાહેરાત કરવામાં આવી છે જેથી કરીને રાજપૂત સમાજ તેમજ રાજપૂત કરણી સેનાના મોરબી જીલ્લાના હોદેદારો તેમજ અગ્રણીઓએ તેઓને શુભેચ્છા પાઠવી છે

હાલમાં ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈને દરેક ગામમાં સત્તાના સોગઠાં ગોઠવવામાં આવી રહ્યા છે ત્યારે ટંકારા તાલુકાના મોટા ખીજડીયા ગામના વડીલો સહિતનાઓએ મળીને ગામમાં એકતા જળવાઈ રહે તે માટે ગ્રામ પંચાયત સમરસ જાહેર કરી છે અને સરપંચ તરીકે મોરબી રાજપૂત સમાજના પ્રમુખ રઘુવીરસિંહ ઝાલાના ભાભી અને રાજપૂત સમાજના આગેવાન જુવાનસિંહ ઝાલાના પત્નિ નયનાબાને જવાબદારી સોપવામાં આવી છે જુવાનસિંહ ઝાલાની ગામના વિકાસ માટેની જાગૃતતા જોઈને તેઓના પત્નીને સરપંચ તરીકે લેવા આવ્યા છે અને આગામી સમયમાં ગામમાં લોકોને સાથે રાખીને લોકોની સુખકારીમાં વધારો થાય તેવા કામ કરવાનો તેઓએ કોલ આપેલ છે






Latest News