હળવદ તાલુકામાં સગીરા સાથે દુષ્કર્મના કેસમાં આરોપીને 20 વર્ષની સખ્ત કેદની સજા, 25000 નો દંડ મોરબીની એલ.ઈ.કોલેજ (ડિપ્લોમા) ખાતે ૧૪ અને ૨૧ મે ના રોજ  કારકીર્દી માર્ગદર્શન સેમિનાર યોજાશે મોરબી : બિયારણ, ખાતર તથા જંતુનાશક દવાઓની ખરીદી કરવા માર્ગદર્શિકા જાહેર કરાઈ આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી દ્વારા ઉનાળા વેકેશન સ્પેશ્યલ રજામાં મજા સમર વેકેશન સ્પેશ્યલ વર્કશોપ મોરબી મહાપાલિકામાં ઓફ લાઇન મિકલત વેરો ભરે તો 10 અને ઓનલાઈન વેરો ભરે તો 12 ટકા રિબેટ મોરબીને સારા મેયર આપવા માટે જાગૃત નાગરિકે પ્રદેશ ભાજપ પ્રમુખને કરી રજૂઆત મોરબીમાં જુદીજુદી બે સંસ્થા દ્વારા લોકોને ગરમીની રાહત આપવા માટે શરબતનું વિતરણ કરાયું માળીયા (મી)ના સરવડ ગામે ગાળો બોલવાની ના કહેતા યુવાનની કારમાં ધોકા અને પથ્થર મારીને કરી તોડફોડ
Breaking news
Morbi Today

સમરસ પંચાયત: ટંકારા તાલુકાનાં મોટા ખીજડીયા ગામના સરપંચ પદે નયનાબા ઝાલા


SHARE













સમરસ પંચાયત: ટંકારા તાલુકાનાં મોટા ખીજડીયા ગામના સરપંચ પદે નયનાબા ઝાલા

મોરબી જિલ્લાના ટંકારા તાલુકામાં આવતા મોટા ખીજડીયા ગામમાં ચૂંટણી ન યોજાઇ અને ગ્રામ પંચાયત સમરસ બને તે માટે ગામના આગેવાનો અને વડીલોએ પ્રયત્ન કરતાં હતા અને તેના ફળ સ્વરૂપે આ ગ્રામ પંચાયત સમરસ જાહેર કરવામાં આવી છે અને મોટા ખીજડીયા ગામમાં આ વખતે સરપંચ તરીકે નયનાબા ઝાલાના નામની જાહેરાત કરવામાં આવી છે જેથી કરીને રાજપૂત સમાજ તેમજ રાજપૂત કરણી સેનાના મોરબી જીલ્લાના હોદેદારો તેમજ અગ્રણીઓએ તેઓને શુભેચ્છા પાઠવી છે

હાલમાં ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈને દરેક ગામમાં સત્તાના સોગઠાં ગોઠવવામાં આવી રહ્યા છે ત્યારે ટંકારા તાલુકાના મોટા ખીજડીયા ગામના વડીલો સહિતનાઓએ મળીને ગામમાં એકતા જળવાઈ રહે તે માટે ગ્રામ પંચાયત સમરસ જાહેર કરી છે અને સરપંચ તરીકે મોરબી રાજપૂત સમાજના પ્રમુખ રઘુવીરસિંહ ઝાલાના ભાભી અને રાજપૂત સમાજના આગેવાન જુવાનસિંહ ઝાલાના પત્નિ નયનાબાને જવાબદારી સોપવામાં આવી છે જુવાનસિંહ ઝાલાની ગામના વિકાસ માટેની જાગૃતતા જોઈને તેઓના પત્નીને સરપંચ તરીકે લેવા આવ્યા છે અને આગામી સમયમાં ગામમાં લોકોને સાથે રાખીને લોકોની સુખકારીમાં વધારો થાય તેવા કામ કરવાનો તેઓએ કોલ આપેલ છે






Latest News