ટંકારા તાલુકામાં વાછકપર, જોધપર (ઝાલા) અને લખધીરગઢની ગ્રામ પંચાયત સમરસ
મોરબીમાં એ.બી.વી.પી. દ્વારા ડો.બાબાસાહેબ આંબેડકરના નિર્વાણ દિને સંવાદ યોજાયો
SHARE
મોરબીમાં એ.બી.વી.પી. દ્વારા ડો.બાબાસાહેબ આંબેડકરના નિર્વાણ દિને સંવાદ યોજાયો
૬ ડિસેમ્બર એટલે કે બાબા સાહેબ આંબેડકરના નિર્વાણ દિવસને એ.બી.વી.પી. સામાજિક સમરસતા દિવસ તરીકે મનાવે છે ત્યારે મોરબીમાં એ.બી.વી.પી. શાખા દ્વારા ડો.બાબાસાહેબ આંબેડકરના નિર્વાણ દિવસ નિમિતે સામાકાંઠે આવેલ સાર્થક વિદ્યામંદિર ખાતે સમરસતા સંવાદ યોજવામાં આવ્યો હતો
મોરબી એ.બી.વી.પી. દ્રારા ૬ ડિસેમ્બરે ડો.બાબા સાહેબ આંબેડકરના નિર્વાણ દિવસને સામાજિક સમરસતા દિન તરીકે મનાવે છે ત્યારે તે નિમિતે સમરસતા સંવાદનુ આયોજન મોરબીની સાર્થક વિધા મંદિર ખાતે કરવામાં આવ્યું હતું જેમાં ૨૦૦ થી વધુ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતા તેમા મુખ્ય વક્તા તરીકે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના જિલ્લા બૌદ્ધિક પ્રમુખ મિલનભાઈ પૈડા ઉપસ્થિત રહ્યા હતા અને આ ઉપરાંત મોરબી નગરપાલિકા ગાંધી ચોક ખાતે બાબાસાહેબની પ્રતિમાને પુષ્પઅર્પણ કરવાનો કાર્યક્રમ પણ કરવામાં આવ્યો હતો