ઐતિહાસિક ચુકાદો: મોરબીની કોર્ટે ચેક રિટર્ન કેસમાં આરોપીને બે વર્ષની સજા અને દંડ ફટકાર્યો વાંકાનેર તાલુકામાં ખનીજ માફિયા સામે પોલીસની કાર્યવાહી: 1.20 કરોડનો મુદામાલ કબ્જે મોરબી નજીકથી 288 બોટલ દારૂ-144 બીયરના ટીન ભરેલ અર્ટિકા પકડાઈ, 7.65 લાખનો મુદામાલ કબ્જે: આરોપી ફરાર મોરબી જીલ્લામાં ખેડૂતને આપવામાં આવેલ નોટીસો પાછી ખેંચવામાં નહિ આવે તો કલેક્ટર કચેરી બંધ કરવાની મહેશ રાજકોટીયાની ચીમકી કચ્છ લોકસભા પરિવાર સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટમાં જુદીજુદી 12 ટીમો વચ્ચે 6 મેચ રમાઈ મોરબી તાલુકા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે ફિલ્મી સ્ટોરીને ટક્કર મારે તેવી રિયલ સ્ટોરી: વાંકાનેર નજીક પરિણીતાએ પ્રેમી અને માતા સાથે મળીને પતિની હત્યા કરીને લાશ સળગાવી દીધી હળવદ તાલુકામાં બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરનારા આરોપીને કોર્ટે ફટકારી 20 વર્ષની સખ્ત કેદની સજા
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ-ધારાસભ્યએ રફાળેશ્વર મંદિરે પૌરાણિક લોકમેળો ખુલ્લો મૂક્યો


SHARE













મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ-ધારાસભ્યએ રફાળેશ્વર મંદિરે પૌરાણિક લોકમેળો ખુલ્લો મૂક્યો

મોરબીના રફાળેશ્વર મહાદેવ મંદિરે વર્ષોની પરંપરા અનુસાર શ્રાવણી અમાસ નિમિતે મેળાનું આયોજન કરવામાં આવે છે તેવી જ રીતે આ વર્ષે યંગ ઇન્ડિયા ગ્રૂપ અને જાંબુડિયા ગ્રામ પંચાયત દ્વારા શિવ તરંગ લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે અને તેનું ઉદ્ઘાટન મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ તેમજ ધારાસભ્ય સહિતના આગેવાનોના હસ્તે કરવામાં આવ્યું છે અને આમસના દિવસે રફાળેશ્વર મહાદેવ મંદિરે લોકો પિતૃતર્પણ કરવા માટે આવશે અને તેની સાથે શિવા દર્શન અને મેળાની પણ મોજ માણશે.

મોરબીના યંગ ઇન્ડિયા ગ્રુપ અને જાંબુડિયા ગ્રામ પંચાયત દ્વારા રફાળેશ્વર મહાદેવ મંદિરે શ્રાવણી અમાસ નિમિતે બે દિવાસીય મેળાનું આયોજન કરવામાં આવ્યું છે અને તા.22 અને તા.23 ઓગસ્ટના રોજ લોકમેળો યોજાશે જે "શિવ તરંગ" લોકમેળાને ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા, મોરબી જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારધી, માજી કારોબારી ચેરમેન જેન્તીભાઈ પડસુંબિયા, મોરબી તાલુકાના પૂર્વ પ્રમુખ અરવિંદભાઈ વાસજાળીયા, મોરબી તાલુકા ભાજપના પ્રમુખ વિશાલભાઈ ઘોડાસરા, જાંબુડિયા ગામના સરપંચ હંસાબેન રમેશભાઈ કણસાગરા તથા સદસ્ય તેમજ વાંકાનેરના ચીફ ઓફિસર ગીરીશભાઈ સરૈયા સહિતના સમાજ શ્રેષ્ઠીઓ અને વિવિધ ક્ષેત્રેના અગ્રણીઓના હસ્તે ખુલ્લો મૂકવામાં આવેલ હતો. ખાસ કરીને તા.23 ને શ્રાવણ મહિનાની અમાસના દિવસે રફાળેશ્વર મંદિરે પ્રાચીન પીપળે પિતૃતર્પણનું મહત્વ હોવાથી હજારો લોકો ત્યા આવે છે અને પિતૃતર્પણ કરીને શિવજીના દર્શન, પૂજનનો લાભ લેતા હોય છે તેની સાથોસાથ મેળાની પણ મજા માણે છે. વધુમાં દેવેનભાઈ રબારીએ જણાવ્યું હતું કે, આ મેળો ભારતીય સંસ્કૃતિને ખરા અર્થમાં ઉજાગર કરતો લોકમેળો છે. કેમ કે, રફાળેશ્વરના મેળામાં ભજન, ભક્તિ અને મનોરંજનનો ત્રિવેણી સંગમ જોવા મળે છે.






Latest News