મોરબીના નીચી માંડલ-વાંકડા ગામ વચ્ચે અકસ્માત કરીને પિતા-પુત્ર મારી નાખવાની ઘટનાનો પર્દાફાશ: 3 આરોપીની ધરપકડ હળવદ આઈ.ટી.આઈ. ખાતે ૧૦ જુલાઈએ ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન મોરબી જિલ્લામાં યુવા આપદામિત્ર સ્કીમ હેઠળ ૫૫ યુવાનોને તાલીમ અપાઈ મોરબીના ગોડાઉનમાં લાગેલી આગ ચાર દિવસે પણ ચાલુ !: હિટાચી મશીનથી બળેલ મગફળી હટાવવાનું કામ શરૂ ખેડૂત આંદોલન પાર્ટ 3 થી મોરબીના મનોજ પનારાને દૂર રાખવા ટ્રસ્ટની ગૌશાળાને ફટકારી દબાણ હટાવવાની નોટીસ મોરબી ટીંબડીના બાલાજી પાર્ક સહિતની સોસાયટીઓમાં ગેસ કંપની સામે રોષ, પૈસાના લીધા બાદ પણ ગેસ કનેશન ન અપાયા મોરબીમાં જુદાજુદા બે બનાવમાં પરણીતા અને યુવતી પ્રેમ સંબંધમાં ગુમ થઇ હોવાનું ખુલ્યુ મોરબીમાં કારચાલકોની ખરાબ આદત કોઇ માટે જીવલેણ સાબિત થશે, કાર ચાલકે દરવાજો ખોલતાં બાઈક સવાર સારવારમાં
Breaking news
Morbi Today

ટંકારામાં સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિએ સરદારબાગ-સ્ટેચ્યુ નિર્માણની જાહેરાત


SHARE







ટંકારામાં સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિસરદારબાગ-સ્ટેચ્યુ નિર્માણની જાહેરાત

ભારતના  લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે ટંકારામાં એક મહત્વપૂર્ણ ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે. ટંકારા પટેલ સમાજ એસો. દ્વારા ટંકારા લક્ષ્મીનારાયણ સોસાયટી ખાતે આવેલ સાર્વજનિક પ્લોટમાં સરદાર વલ્લભભાઈ પટેલનું ભવ્ય સ્ટેચ્યુ તથા સુંદર સરદારબાગબનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે.

ટંકારા પટેલ સમાજ એસો.ના આગેવાને માહિતી આપતા જણાવ્યુ હતું કે, આગામી ટૂંક સમયમાં ભૂમિપૂજન સાથે ખાત મુહૂર્તનું આયોજન કરવામાં આવશે. અને આશરે 20 લાખના ખર્ચે આ પ્રોજેક્ટ પૂર્ણ કરવાનું આયોજન કર્યું છે અને ટંકારા શહેરને એક મહત્વનો જાહેર બગીચો તથા પ્રેરણાત્મક સ્મારક મળશે. છેલ્લા ઘણા વર્ષોથી ટંકારા પટેલ સમાજ એસો. સમાજ સેવા માટે અવિરત કાર્યરત છે. અને ખાસ કરીને ફ્રી સબવાહિની સેવા દ્વારા મોરબી જિલ્લામાં અનેક પરિવારોને લાભ મળ્યો છે, જે સમાજની કલ્યાણશીલ ભાવનાનું પ્રતિક છે. ટંકારા શહેરમાં જાહેર બગીચાનો અભાવ હોવાથી આ આયોજનનો સ્થાનિક લોકો દ્વારા આવકાર કરવામાં આવેલ છે અને આ કાર્ય સરદાર સાહેબના આદર્શોને અનુસરતી યુવા પેઢી માટે પ્રેરણાસ્ત્રોત બની રહેશે.






Latest News