ટંકારામાં આર્યસમાજ દ્વારા આજથી શતાબ્દી મહોત્સવનો પ્રારંભ: યજ્ઞ-શોભાયાત્રા સહિતના કાર્યક્રમો યોજાયા
મોરબીમાં નાણાકીય સાક્ષરતા સપ્તાહ અંતર્ગત જાગૃતિ રેલી યોજાઈ; સાયબર ફ્રોડ અંગે લોકોને જાગૃત કરાયા
SHARE
મોરબીમાં નાણાકીય સાક્ષરતા સપ્તાહ અંતર્ગત જાગૃતિ રેલી યોજાઈ; સાયબર ફ્રોડ અંગે લોકોને જાગૃત કરાયા
ભારતીય રિઝર્વ બેંક (RBI) દ્વારા તા. ૦૯ ફેબ્રુઆરી થી ૧૩ ફેબ્રુઆરી દરમિયાન સમગ્ર દેશમાં 'નાણાકીય સાક્ષરતા સપ્તાહ' (Financial Literacy Week) ની ઉજવણી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત મોરબીના નાગરિકોમાં નાણાકીય વ્યવહારો અને સાયબર સુરક્ષા અંગે જાગૃતિ લાવવાના ઉમદા હેતુથી સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)ની રીજનલ ટીમ તથા મોરબી લીડ બેંકના સંયુક્ત સહયોગથી ગ્રીન ચોકથી પરા બજાર સુધી જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ રેલીના આયોજન થકી વર્તમાન સમયમાં વધતા જતા ડિજિટલ વ્યવહારો વચ્ચે ગ્રાહકોને સુરક્ષિત બેંકિંગનો અનુભવ કરાવવાનો હતો. રેલી દરમિયાન બેંક અધિકારીઓએ નાગરિકોને KYC અને CKYC પ્રક્રિયાની અનિવાર્યતા, બેંક ખાતાની સુરક્ષાના વિવિધ પાસાઓ અને સાયબર ફ્રોડથી બચવાના અસરકારક ઉપાયો વિશે માહિતગાર કર્યા હતા. ખાસ કરીને 'મ્યુલ એકાઉન્ટ' (Mule Account) એટલે કે બીજાના નાણાકીય વ્યવહારો માટે પોતાના ખાતાનો ઉપયોગ કરવા દેવાની જોખમી પ્રવૃત્તિ અને તેની ગંભીર કાનૂની અસરો અંગે લોકોને વિશેષ રૂપે જાગૃત કરવામાં આવ્યા હતા.
આ રેલી દરમિયાન બેંકના સ્ટાફ દ્વારા સૂત્રોચ્ચાર અને પત્રિકાઓ દ્વારા નાગરિકોને કોઈ પણ અજાણી વ્યક્તિ સાથે બેંકિંગ વિગતો શેર ન કરવી અને સાયબર ઠગાઈનો ભોગ બનતા તુરંત સત્તાવાર હેલ્પલાઈનનો સંપર્ક કરવા અંગેનો સંદેશ આપવામાં આવ્યો હતો. મોરબીના જનતા તરફથી આ અભિયાનને બહોળો પ્રતિસાદ સાંપડ્યો હતો. આ રેલીમાં સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) ના રીજનલ હેડશ્રી મોહન કૃષ્ણ અને તેમની ટીમ તથા લીડ ડિસ્ટ્રિક્ટ મેનેજર (LDM-મોરબી) શ્રી સાકીર છીપા તથા મોરબીના નાગરિકો જોડાયા હતા