મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

મોરબીના જેતપર ગામે આવેલ તપોવન વિદ્યાસંકુલમાં ભારતીય સંસ્કૃતિ પ્રદર્શની-બિઝનેસ ટાયકુન શરૂ


SHARE











મોરબીના જેતપર ગામે આવેલ તપોવન વિદ્યાસંકુલમાં ભારતીય સંસ્કૃતિ પ્રદર્શની-બિઝનેસ ટાયકુન શરૂ

મોરબીના જેતપર ગામે આવેલ તપોવન વિદ્યાસંકુલમાં તા.૨૫ અને ૨૬ ના રોજ બે દિવસ માટે ભારતીય સંસ્કૃતિ પ્રદર્શની તથા બિઝનેસ ટાયકુન એવોર્ડ -૨૦૨૧ નું આયોજન કરવામાં આવ્યું છે વિદ્યાર્થીઓની સુષુપ્ત શક્તિને ખીલવવા માટે, વિદ્યાર્થીઓનું વૈશ્વિક જરુરીયાત મુજબ ઘડતર કરવા, વર્તમાન જરૂરિયાત મુજબની સ્કિલ વિકસાવવા, વેપારની કોઠાસૂઝ વિકસાવવા તેમજ ભારત દેશના વૈવિધ્ય પૂર્ણ ઐતિહાસિક સાંસ્કૃતિક વારસાના પુનરુથાન માટે તપોવન વિદ્યાસંકુલના વિદ્યાર્થીઓ દ્વારા ભારતીય સંસ્કૃતિ પ્રદર્શની તથા બિઝનેસ ટાઇકૂન એવોર્ડ-૨૦૨૧ નું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે તપોવન વિદ્યાસંકુલના પ્રમુખ જીતુભાઈ વડસોલા તેમજ સંસ્થાના ટ્રસ્ટીઓ અને પ્રિન્સિપાલ સહિતના હાજર રહ્યા હતા તેમજ યુવા આર્મી ગ્રુપના પિયુષભાઈ બોપાલિયા તેમજ તેમની ટીમ હાજર રહી હતી આ ઉપરાંત પારુલ યુનિવર્સિટી વડોદરાની ટીમ દ્વારા વિદ્યાર્થીઓને શૈક્ષણિક તેમજ કારકિર્દીનું માર્ગદર્શન બે દિવસ દરમિયાન આપવામાં આવશે. આ તકે ધો.૧૧ અને ૧૨ ના વિદ્યાર્થીઓએ ૧૮ સ્ટોલ ઉભા કર્યા છે અને પ્રથમ દિવસે જ ૧૭૦૦૦ જેટલા લોકોએ તપોવન વિદ્યા સંકુલની મુલાકાત લીધી હતી અને પ્રદર્શનના માધ્યમ થકી ભારતીય સંસ્કૃતિને વધુ સારી રીતે ઉજાગર કરી હતી તા.૨૬ ના રોજ મંત્રી બ્રિજેશભાઈ મેરજા, જીગ્નેશભાઈ કૈલા, અજયભાઈ લોરિયા, વિશાલભાઇ ઘોડાસરા વગેરે ત્યાં હાજર રહીને વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધારશે અને કાર્યક્રમ નિહાળશે.






Latest News