મોરબીમાં કારખાનાઓ બંધ હોય પૈસાના ટેન્શનમાં ગુમ થયેલ યુવાન મળી આવ્યો મોરબી: દવા પી ગયેલી સગીરાનું સારવાર દરમિયાન મોત મોરબીના મયુરપુલ ઉપર કારની પાછળ કાર અથડાતાં ત્રિપલ અકસ્માત: કોઈ જાનહાનિ નહીં મોરબી મનપાની ચૂંટણીના ભાજપના સંકલ્પ પત્રમાં અનેક યોજનાઓનો સમાવેશ, વડીલોની સમિતિ બનાવીને કરાશે શહેરની કાયાપલટ: પ્રમુખ મોરબી તેમજ હળવદમાં આંબેડકરજીની જન્મજયંતિ નિમિત્તે નિ:શુલ્ક કેમ્પ યોજતુ વિશ્વ હિન્દુ પરિષદ મોરબીની ઓમશાંતિ વિદ્યાલય ખાતે તાત્યા ટોપે, અનંત લક્ષ્મણ કન્હરે તથા ચાફેકર બંધુની પુણ્યતિથિ નિમિત્તે પુષ્પાંજલિ મોરબીમાં કોટેચા પરિવાર અને લાયન્સ ક્લબ દ્વારા છેલ્લા ૪ વર્ષથી અન્નદાનનો સેવા યજ્ઞ મોરબી વોર્ડ નં. 9 ના ભાજપના ચારેય ઉમેદવારો સાથે હતા, છે અને રહેશે: જિલ્લા ભાજપ પ્રમુખ જયંતિભાઈ રાજકોટ
Breaking news
Morbi Today

વાંકાનેર ગાયત્રી શક્તિપીઠમાં સેવાભાવનું ઉત્તમ ઉદાહરણ: પ્રજ્ઞા પુરાણ કથાથી સેવા પ્રવૃત્તિઓને મળશે નવી શક્તિ


SHARE













વાંકાનેર ગાયત્રી શક્તિપીઠમાં સેવાભાવનું ઉત્તમ ઉદાહરણ: પ્રજ્ઞા પુરાણ કથાથી સેવા પ્રવૃત્તિઓને મળશે નવી શક્તિ

મોરબ ચિત્રકૂટ સોસાયટીમાં રહેતા ગાયત્રી ઉપાસક મણીભાઈ ગડારા દ્વારા વાંકાનેર ગાયત્રી શક્તિપીઠની મુલાકાતે આવેલા બહેનોનું આત્મીય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નરેન્દ્ર મોદી વિચાર મંચના મોરબી જિલ્લા પ્રમુખ ચાંદનીબેન એમ. મણીયાર, જાગૃતિબેન ગઢીયા, કંચનબેન કાનાણી તેમજ આનંદ ગરબા અને સત્સંગ મંડળના બહેનો ઉપસ્થિત રહ્યા હતા. વાંકાનેર ગાયત્રી શક્તિપીઠમાં ઉપાસક અશ્વિનભાઈ રાવલ અને તેમની ટીમ દ્વારા અનેક પ્રકારની સેવાકીય અને સામાજિક પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે. અહીં અન્નપૂર્ણા ટિફિન સેવા, વાત્સલ્ય મંદિરમાં મંદબુદ્ધિ તથા વિકલાંગ બાળકોની સેવા,ધો. 1 થી 9 સુધીના બાળકોને મફત શિક્ષણ, આરોગ્યવર્ધક પ્રવૃત્તિઓ તેમજ ગૌશાળાની સેવા જેવી માનવતા આધારિત અનેકવિધ કામગીરી સતત ચાલે છે. આ સેવાકીય પ્રવૃત્તિઓ માટે સંસ્થાનો રોજનો ખર્ચ આવક કરતાં વધારે હોવાથી સંસ્થાને સહાયરૂપ થવા માટે પ્રજ્ઞા પુરાણ કથાનું આયોજન કરવામાં આવ્યું છે. આ પાંચ દિવસીય કથા તા. 29-03-2026 થી રાત્રિના સમયે યોજાશે. આ કથાનું વક્તવ્ય પાયલબેન પટેલ દ્વારા કરવામાં આવશે, જે પોતાની ભાવમય અને પ્રેરણાદાયી શૈલીમાં શ્રોતાઓને આધ્યાત્મિક રસપાન કરાવશે. આ કથા દરમિયાન મળનાર દરેક પ્રકારનો ફાળો વાંકાનેર ગાયત્રી શક્તિપીઠની સેવાકીય પ્રવૃત્તિઓને સમર્પિત કરવામાં આવશે. આ આયોજન દ્વારા સમાજમાં સેવા, સંસ્કાર અને આધ્યાત્મિકતા વધુ મજબૂત બનશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.






Latest News