મોરબીના મેયર, ડેપ્યુટી મેયર અને દંડકે કુબેરનગર નવલખી ફાટક પાસે પ્રી-મોન્સૂન કામગીરીનું ચેકિંગ કર્યું મોરબી જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર ખાતે ૧૧ માસના કરાર આધારિત ડિસ્ટ્રિક્ટ પ્રોજેક્ટ ઓફિસરની જગ્યા માટે અરજીઓ મંગાવાઈ મોરબીમાં બીજા માળની છત ઉપરથી નીચે પડી જતા મહિલાનું મોત મોરબીમાં કાલે શ્રી સનાતન યુવા ગ્રુપ દ્વારા રાહત દરે ફુલસ્કેપ નોટબુકનું વિતરણ મોરબીની સિરામિક ટાઇલ્સના ભાવમાં 1 જૂનથી પ્રતિ સ્ક્વેર ફૂટે 5 રૂપિયાનો ભાવ વધારો: એડવાન્સ પેમેન્ટ પછી ગ્રાહકોને માલની ડિલિવરીનો સામૂહિક નિર્ણય મોરબીના માધાપરવાડી વિસ્તારમાં મંત્રીશ્રી કાંતિભાઈ અમૃતિયા તેમજ ધારાસભ્યશ્રી દુર્લભજીભાઈ દેથરીયાના પ્રયાસોથી માધ્યમિક શાળા મંજુર મોરબીના ફડસર ગામે બોલાવીને રાજકોટના યુવાન પાસે વ્યાજના પૈસાની પઠાણી ઉઘરાણી કરીને આપી જાનથી મારી નાખવાની ધમકી મોરબીમાં આઇપીએલની મેચ ઉપર સટ્ટો રમતા એક પકડાયો-બેની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબીમાં રામ નવમી નિમિત્તે હિન્દુ સમાજ અને વિવિધ સંગઠનો દ્વારા શોભાયાત્રાનું આયોજન


SHARE











મોરબીમાં રામ નવમી નિમિત્તે હિન્દુ સમાજ અને વિવિધ સંગઠનો દ્વારા શોભાયાત્રાનું આયોજન

મોરબીમાં રામ નવમીના દિવસે સમગ્ર હિન્દુ સમાજ અને વિવિધ સંગઠનો દ્વારા રામ જન્મોત્સવની શોભાયાત્રાનું આયોજન કરવામાં આવે છે તેવી જ રીતે આ વર્ષે પણ આયોજન કરવામાં આવ્યું છે અને તેની માહિતી આપવા માટે પત્રકાર પરિષદ યોજાઇ હતી અને આગામી 26 માર્ચને ગુરુવારના રોજ શહેરમાં શોભાયાત્રા નીકળશે જેમાં સનાતની ભાઈ બહેનોને જોડાવા માટે આયોજકોએ આહ્વાન કર્યું છે.

આગામી તા. 26 માર્ચના રોજ મોરબીમાં સાંજે 4:00 વાગ્યે સર્કિટ હાઉસથી શોભાયાત્રા શરૂ કરવામાં આવશે જેમાં 15થી વધુ શાળાઓના આકર્ષક ફ્લોટ્સ, શણગારેલા વાહનો, બગી વિગેરે રાખવામા આવશે. અને શહેરમાં 30થી વધુ સ્થળોએ સનાતન હિન્દુ સમાજ દ્વારા શોભાયાત્રાનું સ્વાગત કરવામાં આવશે. આ તકે બાળકોને શિવ, રામ અને કૃષ્ણ જેવા પાત્રોની વેશભૂષા સાથે શોભાયાત્રામાં રાખવામા આવશે. જે લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બનશે. આ શોભાયાત્રા સર્કિટ હાઉસથી શરૂ કરાશે પછી મહારાણા પ્રતાપ સર્કલ, મયુર પુલ, વીસી ફાટક, ત્રિકોણ બાગ, નવા ડેલા રોડ, જુના બસ સ્ટેન્ડ, રામ ચોક, નવા બસ સ્ટેન્ડ, બાપા સીતારામ ચોક, સીતા ચોક, રવાપર રોડ, ચકીયા હનુમાન, શાક માર્કેટ, નેહરૂ ગેટ અને દરબારગઢ ખાતે પૂર્ણ કરવામાં આવશે. અને મોરબીના નવા બસ સ્ટેન્ડ અને નગર દરવાજા ચોક ખાતે વિશેષ આરતીનું આયોજન કરાયું છે. તેમજ રાત્રે 12 વાગ્યે દરબારગઢ પાસે આવેલ રામ મહેલ મંદિર ખાતે ભવ્ય મહાઆરતી બાદ શોભાયાત્રા સંપન્ન કરાશે. આ ધાર્મિક કાર્યક્રમમાં મોરબીના તમામ સનાતની હિન્દુ સમાજને આવવા માટે હિન્દુ સંગઠનોના આગેવાનોએ આહ્વાન કર્યું છે.






Latest News