ઈરાન-ઇઝરાયેલ યુધ્ધની ભયાનક અસર: મોરબીથી ટાઇલ્સ ભરીને મોકલાવેલ 1500 કન્ટેનર પાછા આવ્યા, ઉદ્યોગકારોને મોટું નુકશાન માળીયા (મી) નજીકથી તમંચા સાથે એક શખ્સ પકડાયો મોરબીમાં રામ નવમી નિમિત્તે હિન્દુ સમાજ અને વિવિધ સંગઠનો દ્વારા શોભાયાત્રાનું આયોજન મોરબીની સબ જેલ ખાતે મુસ્લિમ બંદીવાનોએ ઇદની નમાજ અદા કરી મોરબીમાં એક શામ અમર જવાનો કે નામ વીરાંજલિ કાર્યક્રમનું માતૃભૂમિ વંદના ટ્રસ્ટ દ્વારા આયોજન માળીયા (મી)ના મોટી બરાર ઘટના બાદ ખેડૂતોમાં ચિંતા: સુરક્ષા માટે લેખિત ખાતરી લેવાની માંગ ઉઠી મોરબી: ધર્મ જાગરણ સમન્વય સૌરાષ્ટ્ર પ્રાંત દ્વારા કાલે ચોટીલા ડુંગર પરિક્રમાનું આયોજન મોરબીમાં મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટનો રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શિશપાલજી રાજપૂતની હાજરીમાં પ્રારંભ
Breaking news
Morbi Today

મોરબીમાં રામ નવમી નિમિત્તે હિન્દુ સમાજ અને વિવિધ સંગઠનો દ્વારા શોભાયાત્રાનું આયોજન


SHARE











મોરબીમાં રામ નવમી નિમિત્તે હિન્દુ સમાજ અને વિવિધ સંગઠનો દ્વારા શોભાયાત્રાનું આયોજન

મોરબીમાં રામ નવમીના દિવસે સમગ્ર હિન્દુ સમાજ અને વિવિધ સંગઠનો દ્વારા રામ જન્મોત્સવની શોભાયાત્રાનું આયોજન કરવામાં આવે છે તેવી જ રીતે આ વર્ષે પણ આયોજન કરવામાં આવ્યું છે અને તેની માહિતી આપવા માટે પત્રકાર પરિષદ યોજાઇ હતી અને આગામી 26 માર્ચને ગુરુવારના રોજ શહેરમાં શોભાયાત્રા નીકળશે જેમાં સનાતની ભાઈ બહેનોને જોડાવા માટે આયોજકોએ આહ્વાન કર્યું છે.

આગામી તા. 26 માર્ચના રોજ મોરબીમાં સાંજે 4:00 વાગ્યે સર્કિટ હાઉસથી શોભાયાત્રા શરૂ કરવામાં આવશે જેમાં 15થી વધુ શાળાઓના આકર્ષક ફ્લોટ્સ, શણગારેલા વાહનો, બગી વિગેરે રાખવામા આવશે. અને શહેરમાં 30થી વધુ સ્થળોએ સનાતન હિન્દુ સમાજ દ્વારા શોભાયાત્રાનું સ્વાગત કરવામાં આવશે. આ તકે બાળકોને શિવ, રામ અને કૃષ્ણ જેવા પાત્રોની વેશભૂષા સાથે શોભાયાત્રામાં રાખવામા આવશે. જે લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બનશે. આ શોભાયાત્રા સર્કિટ હાઉસથી શરૂ કરાશે પછી મહારાણા પ્રતાપ સર્કલ, મયુર પુલ, વીસી ફાટક, ત્રિકોણ બાગ, નવા ડેલા રોડ, જુના બસ સ્ટેન્ડ, રામ ચોક, નવા બસ સ્ટેન્ડ, બાપા સીતારામ ચોક, સીતા ચોક, રવાપર રોડ, ચકીયા હનુમાન, શાક માર્કેટ, નેહરૂ ગેટ અને દરબારગઢ ખાતે પૂર્ણ કરવામાં આવશે. અને મોરબીના નવા બસ સ્ટેન્ડ અને નગર દરવાજા ચોક ખાતે વિશેષ આરતીનું આયોજન કરાયું છે. તેમજ રાત્રે 12 વાગ્યે દરબારગઢ પાસે આવેલ રામ મહેલ મંદિર ખાતે ભવ્ય મહાઆરતી બાદ શોભાયાત્રા સંપન્ન કરાશે. આ ધાર્મિક કાર્યક્રમમાં મોરબીના તમામ સનાતની હિન્દુ સમાજને આવવા માટે હિન્દુ સંગઠનોના આગેવાનોએ આહ્વાન કર્યું છે.






Latest News