મોરબીની યુ.એન.મહેતા આર્ટ્સ કોલેજ ખાતે લાસ્ટ યરની વિદ્યાર્થીનીએ ભાવુક હ્દયે અનુભવો વર્ણવ્યા
મોરબી જલારામ ધામ ખાતે રામનવમીના પાવન પર્વ નિમિતે ત્રિવિધ કાર્યક્રમો યોજાશે
SHARE
મોરબી જલારામ ધામ ખાતે રામનવમીના પાવન પર્વ નિમિતે ત્રિવિધ કાર્યક્રમો યોજાશે
મોરબીમાં પ્રભુ શ્રી રામના જન્મોત્સવની ભક્તિભાવપૂર્વક ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે.
સનાતન હિન્દુ ધર્ ના આરાધ્ય દેવ પ્રભુ શ્રી રામના જન્મોત્સવ (રામ નવમી) નિમિતે વિવિધ પ્રકારની માનવસેવા કરતા મોરબીના શ્રી જલારામ સેવા મંડળ દ્વારા શહેરના અયોધ્યાપુરી મેઇન રોડ ઉપર આવેલા જલારામ ધામ ખાતે ત્રિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે. જે અંતર્ગત બપોરે ૧૧ઃ૩૦ કલાકે પ્રભુ શ્રીરામનું પૂજન, બપોરે ૧૨ કલાકે મહાઆરતી ત્યારબાદ બપોરે ૧૨ઃ૩૦ કલાકે ફરાળ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવેલ છે.તો શહેરની ધર્મપ્રેમી જનતાને પ્રભુ શ્રી રામના જન્મોત્સવના વધામણા કરવા, મહા આરતીનો લાભ લેવા તેમજ મહાપ્રસાદ ગ્રહણ કરવા પધારવા ભાવભર્યુ નિમંત્રણ છે.